1 ભાઈઓ અને બહેનો, બીજી બાબતો વિષે અમે તમને શિખવ્યું છે કે તમારે કેવી રીતે જીવવું ને ઇશ્વરને પ્રસન્ન કરવાં, હવે પ્રભુ ઈસુના નામમાં અમે તમને વિનંતી કરીએ છીએ કે તેમાં તમે વિશેષ વૃધ્ધિ પામતાં જાઓ. 2 કારણ કે તમે જાણો છો કે પ્રભુ ઈસુ તરફથી તમને કંઈ આજ્ઞાઓ આપી છે.
3 તમે પવિત્ર થાઓ: અને વ્યભિચારથી દૂર રહો એવી ઈશ્વરની ઇચ્છા છે; 4 અને તમારાંમાંના દરેકે પવિત્ર અને માનપૂર્વક પોતાના શરીરને કાબુમાં રાખવાનું શિખવું જોઈએ. 5 જે મૂતિઁપૂજકો ઇશ્વરને નહિ જાણનારાં તેમની જેમ વિષયવાસનામાં ન જીવો; 6 અને આ બાબતમાં કોઇએ પોતાના ભાઈ કે બહેનનું ખોટું ન કરવું, અને તેમનો ફાયદો ન ઉઠાવવો જોઈએ, જેમ અમે તમને પહેલેથી કહ્યું અને ચેતવણી આપી હતી, તેમ એવાં પાપ કરનારને પ્રભુ ભારે શિક્ષા કરશે. 7 કેમકે ઈશ્વરે આપણને અશુધ્ધતાને સારું નહિ પણ પવિત્ર જીવન જીવવા માટે તેડું આપ્યું છે. 8 માટે જે કોઈ આ સૂચનાનો અનાદર કરે છે, તે માણસનો નહિ પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.
9 હવે એકબીજા પ્રત્યેના પ્રેમ વિષે અમારે લખવાની જરૂર નથી, કારણ કે એકબીજા પર પ્રેમ કરવાનું ઈશ્વરે જ તમને શીખવ્યું છે. 10 અને ખરેખર, મકદોનિયાના સમગ્ર ઇશ્વરના પરિવારને તમે પ્રેમ કરો છો, છતાં પણ ભાઈઓ અને બહેનો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એથી પણ વિશેષ પ્રેમ રાખો. 11 અને એમ શાંતિમય જીવન જીવવાનું લક્ષ માટે રાખો: જેમ અમે તમને કહ્યું હતું તેમ, તમારે પોતાના કામમાં ઘ્યાન આપવું જોઈએ, અને પોતાના હાથે મહેનત કરવી જોઈએ. 12 તેથી તમારા રોજીંદા જીવનમાં બહારનાં લોકોનું માન જીતો અને કોઇની ઉપર નિભઁર ન રહો.
13 ભાઈઓ અને બહેનો, અમે નથી ચાહતા કે તમે મરણમાં ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ રહો, જેથી તમે બીજા લોકો જેઓની પાસે કોઇ આશા નથી તેઓની માફક તમે દુઃખી થાઓ. 14 કેમકે આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા, અને તેથી આપણે વિશ્વાસ કરીએ છીએ કે તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. 15 પ્રભુના વચન પ્રમાણે અમે તમને કહીએ છીએ કે પ્રભુના આગમન સમયે જેઓ જીવંત હશે તેઓ ચોકકસપણે ઊંઘી ગયેલાઓની અગાઉ જનાર નથી. 16 કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. 17 ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું. 18 તો આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.