1 તો પછી યહૂદી હોવાનો શો લાભ? અથવા સુન્નતથી શો ફાયદો? 2 દરેક રીતે ઘણું બધું! સૌ પ્રથમ યહૂદીઓને એ કે ઈશ્વરનાં વચનો સોંપવામાં આવ્યા છે.
3 જો કેટલાક અવિશ્વાસુ હશે તો શું? શું તેમની અવિશ્વાસુતા ઈશ્વરની વિશ્વાસુતાને રદ કરશે? 4 ના! કદી નહીં? ઈશ્વર સાચાં રહે અને દરેક માણસ જુઠો ઠરે. જેમ લખેલું છે કે:
"જયારે તમે બોલે ત્યારે તમે સત્ય ઠરે,
અને ન્યાય કરવામાં આવે ત્યારે તારો વિજય થાય."
5 પણ જો આપણું અન્યાયીપણું ઇશ્વરના ન્યાયીપણાને વધું સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે, તો આપણે શું કહીએ? આપણા પર ક્રોધ લાવનાર ઈશ્વર અન્યાયી છે? (હું માનવ દલિલનો ઉપયોગ કરી રહ્યો છું.) 6 ના! એવું નથી! જો એમ હોત, તો ઈશ્વર જગતનો ન્યાય કેવી રીતે કરી શકે? 7 કોઇ વ્યક્તિ દલિલ કરી શકે છે કે, જો મારા અસત્યથી જો ઈશ્વરનું સત્ય પ્રગટ થતું હોય અને તેથી તેમને મહિમા મળતો હોય તો પછી મને પાપી કેમ ગણવામાં આવે છે? 8 કેમ ન કહેવાય, કેટલાક નિંદા કરે છે અને તેઓનું બોલવું એવું છે કે, "ચાલો, આપણે ભૂંડુ કરીએ જેથી સારું થાય?" એવાઓને સજા થાય એ યોગ્ય છે!
9 તો પછી આપણે શું સારાંશ કાઢીએ? શું આપણને કોઇ ફાયદો છે? બિલકુલ નહિ! યહૂદીઓ અને વિદેશીઓ બંને પાપને આધીન છે માટે આપણે અગાઉથી દોષીત છે. 10 જેમ લખેલું છે:
"કોઈ પણ ન્યાયી નથી, એક પણ નથી;
11 સમજનાર કોઈ નથી;
ઈશ્વરને શોધનાર કોઇ નથી!
12 સઘળાં ભટકી ગયા છે,
સર્વ એક સાથે નકામાં થઇ ગયા છે.
સારું કરનાર કોઈ નથી,
એક પણ નહિ."
13 "તેઓનું ગળું ખુલ્લી કબર જેવું છે
તેઓની જીભ કપટ કરે છે."
"તેઓનાં હોઠો પર સાપનુ ઝેર છે."
14 "તેઓનું મુખ શાપ અને કડવાશથી ભરેલું છે."
15 "તેઓના પગ લોહી વહેવડાવવામાં ઉતાવળા છે;
16 તેઓના માગોઁમાં વિનાશ અને વિપતિ છે.
17 તેઓએ શાંતિનો માગઁ જાણ્યો નથી."
18 "તેઓની આંખો આગળ ઈશ્વરનો ડર છે જ નહિ."
19 હવે આપણે જાણીયે છીએ કે નિયમશાસ્ત્ર જે કંઇ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઇશ્વરને જવાબદાર ઠરે. 20 તેથી નિયમશાસ્ત્રના કાર્યોથી કોઈ પણ વ્યકિત ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠરશે નહિ; પણ નિયમશાસ્ત્ર દ્વારા આપણને પાપ વિશે જ્ઞાન થાય છે. વિશ્વાસથી ન્યાયપણું.
21 પણ નિયમશાસ્ત્ર વિના ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે, જેની સાક્ષી નિયમશાસ્ત્ર અને પ્રબોધકો આપે છે. 22 ઈસુ મસીહ પરનાં વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને આ ન્યાયીપણું આપવામાં આવ્યું છે, એમાં યહૂદી અને વિદેશી વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ નથી. 23 કારણ કે સઘળાંએ પાપ કર્યું છે અને સઘળાં ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. 24 અને મસીહ ઈસુથી થયેલા ઉધ્ધાર દ્રારા તેમની કૃપાથી બધા વિનામુલ્ય ન્યાયી ઠરે છે. 25 ઈશ્વરે મસીહને તેમના લોહી વહેવડાવીને પ્રાયશ્ચિતનાં બલિદાન તરીકે રજૂ કર્યા, વિશ્વાસ દ્ગારા સ્વીકારવા માટે તેમણે આ રીતે પોતાનું ન્યાયીપણું દશાઁવ્યુ, કારણ કે તેમની ધિરજમાં તેમણે અગાઉ થયેલા પાપોની સજા કર્યા વિના છોડી દીધા હતા. 26 વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયીપણું દેખાડે જેથી તે ન્યાયી રહીને ઈસુમાં વિશ્વાસ રાખનારાઓને ન્યાયી ઠરાવે.
27 તો પછી અભિમાન કરવાનું કારણ ખરું? તે રદબાતલ છે, કયાં નિયમને કારણે? જે નિયમ કરણી કરે છે તે? ના, વિશ્વાસનાં નિયમથી. 28 માટે આપણે એવું માનીએ છીએ કે માણસ નિયમની કરણીઓથી નહિ: પરંતુ વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. 29 અથવા ઈશ્વર માત્ર યહૂદીઓનો જ ઈશ્વર છે? શું તે વિદેશીઓનો પણ ઈશ્વર નથી? હું, વિદેશીઓનો પણ છે. 30 કારણ કે ઈશ્વર એક જ છે, અને તે સુન્નતીને વિશ્વાસથી, અને બેસુન્નતિને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે. 31 ત્યારે, શું જો આપણે વિશ્વાસથી નિયમશાસ્ત્રને નિરથઁક ઠરાવીએ છે? બિલકુલ નહિ! તેના બદલે આપણે નિયમશાસ્ત્રને સ્થાન આપીએ છીએ.