Publicidade

Romanos 10

1 ભાઈઓ અને બહેનો, મારા હૃદયની ઇચ્છા તથા ઇશ્વરને પ્રાર્થના છે કે ઇઝરાયેલી ઉધ્ધાર પામે. 2 કેમકે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે તેઓ ઈશ્વર માટે ઉત્સાહી છે પણ તેમનો ઉત્સાહ જ્ઞાન પર આધારીત નથી. 3 તેઓ ઈશ્વરના ન્યાયપણાં વિષે અજ્ઞાન હતાં અને પોતાના ન્યાયીપણાને સ્થાપિત કરવા માંગતા હતાં, તેથી તેઓ ઇશ્વરના ન્યાયીપણાને આધીન થયાં નહિ. 4 કેમકે મસીહ તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયપણું પ્રાપ્ત કરવા અથેઁ નિયમશાસ્ત્રની સંપૂણઁતા છે.

5 મોશે લખે છે, કે ન્યાયપણું નિયમથી છે: જે વ્યક્તિ આ બધું કરે છે તે તે વડે જીવશે. 6 પરંતુ વિશ્વાસ કરવાથી મળતું ન્યાયપણું કહે છે કે: "તું તારા હ્રદયમાં એમ ન કહે કે, ‘આકાશમાં કોણ ચઢશે? એટલે કે મસીહને નીચે લાવવાને?’ " 7 અથવા ઊંડાણમા કોણ ઉતરશે? (એટલે મસીહને મૃત્યુમાંથી ઉપર લાવવાં માટે.) 8 પણ તે શું કહે છે? શબ્દ તમારી પાસે છે, તમારા મુખમાં તથા તમારાં હૃદયમાં છે, એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે: 9 જો તમે તમારાંં મોં થી કબૂલ કરો કે "ઈસુ પ્રભુ છે," અને તમારાંં હૃદયમાં વિશ્વાસ કરો કે પ્રભુએ તેમને મરણમાંથી સજીવન કર્યા છે, તો તમે તારણ પામશો, 10 કારણ કે હૃદયથી વિશ્વાસ કરવાથી તમે ન્યાયી ઠરશો, અને મોં થી કબૂલ કરશો તો તમે તારણ પામશો. 11 શાસ્ત્ર કહે છે કે: તેના પર જે કોઇ વિશ્વાસ કરશે તે કદી શરમાશે નહિ. 12 યહૂદી અને વિદેશીઓમાં કંઇ ભેદ નથી—કેમકે સવઁનો પ્રભુ એક જ છે, અને જેઓ તેને વિનંતી કરે છે તે સવઁને પુષ્કળ આશીઁવાદ આપે છે. 13 કેમકે પ્રભુને નામે, જે કોઈ વિનંતી કરશે તે તારણ પામશે.

14 તો પછી, જેમનાં પર તેઓએ વિશ્વાસ કયોઁ નથી, તેને તેઓ તેમને કેવી રીતે વિનંતી કરશે? અને જેના વિશે સાંભળ્યું નથી કેવી રીતે તેઓ તેમના પર વિશ્વાસ કરશે? અને કોઈ કહે નહિ ત્યાં સુધી તેઓ કેવી રીતે સાંભળશે? 15 અને જો કોઈને મોકલવામાં ન આવે તો તે કેવી રીતે ઉપદેશ કરશે? જેમ લખેલું છે તેમ: સુસમાચાર લાવનારાનાં પગલાં કેવાં સુંદર છે!

16 પરંતુ બધાં ઇઝરાયેલીઓએ સુસમાચારનો સ્વીકાર કયોઁ નહિ. યશાયા કહે છે કે "પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે?" 17 એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે. 18 પણ હું પૂછું છું કે: શું તેઓએ સાંભળ્યું નથી? ચોક્કસ તેઓએ સાંભળ્યું:

આખી પૃથ્વી પર તેઓનો અવાજ ગયો છે, છેડાઓ સુધી,

અને તેમના વચન પૃથ્વીનાં છેડાઓ સુધી પહોંચ્યા છે.

19 ફરીથી હું પૂછું છું: શું ઇઝરાયેલીઓ સમજતા ન હતા? પ્રથમ, મોશે કહે છે,

જેઓ પ્રજા નથી તેમના પર હું ઈર્ષા ઉત્પન્ન કરીશ,

જે પ્રજાને સમજ નથી તેમના દ્ઘારા હું તમને ગુસ્સે કરીશ.

20 અને યશાયા હિમંતથી કહે છે:

"જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો;

જેઓ મને શોધતા ન હતા તેઓને હું પોતે પ્રગટ થયો."

21 પરંતુ ઇઝરાયેલ વિશે યશાયા કહે છે:

"આખો દિવસ મેં મારા હાથ,

અનાજ્ઞાંકિત અને હઠીલા લોકો તરફ લંબાવ્યા છે."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-