1 મસીહ ઈસુના સેવકો, પાઉલ અને તિમોથી, તરફથી ફિલિપ્પીમાં,
મસીહ ઈસુના પવિત્ર લોકો, વડીલો તથા અધ્યક્ષોને સલામ:
2 આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
3 દરેક સમયે હું તમને યાદ કરીને હું ઇશ્વરનો આભાર માનું છું. 4 તમારા બધા માટે મારી બધી પ્રાથઁનાઓમાં, હું હંમેશા આનંદથી પ્રાર્થના કરું છું. 5 કેમકે પહેલાં દિવસથી આજ સુધી સુસમાચારના તમારા સહકારને લીધે મસીહ વિશેનાં સુસમાચાર તમે સાંભળ્યાં ત્યારથી આજ સુધી તેના પ્રચારમાં તમે મને અજાયબ જેવી સહાય કરી છે, 6 મને ખાતરી છે કે જેણે તમારાંમાં જે શુભ કાર્યની શરૂઆત કરેલી છે તેને પ્રભુ મસીહ ઈસુના દિવસ સુધી પૂર્ણ કરતા રહેશે.
7 તમારાં બધાં માટે મને એ પ્રમાણે માનવું યોગ્ય લાગે છે, તેથી આવી લાગણી ધરાવું એ સ્વાભાવિક છે; કારણ કે મારા બંધનોમા અને સુસમાચારની હિમાયત કરવામાં અને સાબિત કરવામાં તમે બધાં મારી સાથે ઈશ્વરની કૃપામાં સહભાગી હતા. 8 કેમકે મસીહ ઈસુ જેવા પ્રેમથી હું તમારા બધાં માટે કેટલો ઝંખુ છું તે વિશે ઈશ્વર મારા સાક્ષી છે.
9 અને આ મારી પ્રાર્થના છે: કે તમારા જ્ઞાનમાં અને સમજણની ઉંડાઈમાં તમારો પ્રેમ ઉતરોઉતર વધતો જાય, 10 જેથી શું શ્રેષ્ઠ છે તે તમે પારખી શકો અને મસીહના દિવસ સુધી શુધ્ધ અને નિદોઁષ રહી શકો, 11 ઈસુ મસીહ દ્રારા આવતા ન્યાયપણાના ફળથી ભરપૂર થાઓ, એટલે ઈશ્વરની સ્તુતિ અને મહિમા થાય.
12 ભાઈઓ આને બહેનો, મારી સાથે જે બન્યું છે તે સુસમાચારને આગળ વધારવામાં મદદરૂપ થયાં છે એ હું તમને જણાવવાં માંગુ છું. 13 પરિણામે, આખા મહેલના ચોકીદાર અને બધાને એ સ્પષ્ટ થઈ ગયું છે કે હું મસીહને કારણે જેલમાં છું. 14 અને મારા બંધનોને કારણે, મોટાભાગના ભાઈઓ અને બહેનો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા થયાં છે અને નિભઁયપણે પ્રભુના સુસમાચાર પ્રગટ કરવા માટે વધુ હિંમતવાન બન્યા છે.
15 એ સાચું છે કે કેટલાક લોકો અદેખાઈ અને દુશ્મનાવટથી, અને કેટલાંક સદભાવથી મસીહના સુસમાચાર પ્રગટ કરે છે, 16 બીજાઓ પ્રેમથી આમ કરે છે, કારણ કે તેઓ જાણે છે કે મને સુસમાચારના બચાવ માટે મૂકવામાં આવ્યો. 17 પહેલાં તો મારા બંધનમાં મારા પર વધું મુશ્કેલી લાવવાનાં હેતુથી સ્વાથીઁ ઇચ્છાથી, શુધ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી મસીહના સુસમાચાર પ્રગટ કરે છે. 18 પણ એથી શું? મહત્વની વાત એ છે કે, દરેક રીતે, ભલે તે ખોટાં કે સાચા ઈરાદાથી હોય, પણ મસીહનો પ્રચાર થાય છે, અને તેથી હું આનંદ કરું છું.
હા, અને હું આનંદ કરતો રહીશ, 19 હું જાણું છું કે તમારી પ્રાર્થનાઓ તથા ઈસુ મસીહના આત્માની સહાય દ્વારા મારા પર જે વિત્યું છે તે મારા ઉધ્ધારને માટે ઉપયોગી થઈ પડશે. 20 કેમકે હું આતુરતાથી આશા અને ઝંખના કરું છું કે છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ, પણ પૂરી હિમતથી હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી મારા શરીર દ્રારા મસીહને મહિમા મળશે. 21 કારણ કે એ મારા માટે મરવું તે લાભ અને જીવવું તે મસીહ છે 22 પણ શરીરમાં જીવવું એનો અથઁ મારા માટે કામનું ફળ થશે. તોપણ મારે શું પસંદ કરવું? તે હું જાણતો નથી! 23 હું આ બે વચ્યે ફસાયેલો છું, હું શરીરમાંથી નીકળીને મસીહની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમકે તે ઘણી રીતે સારું છે; 24 પણ તમારે માટે શરીરમાં રહેવું તે વધું જરૂરી છે. 25 મને ખાતરી છે કે, કે હું રહીશ, અને તમારા વિશ્વાસની વૃધ્ધિ અને આનંદ માટે હું તમારા બધાની સાથે રહીશ, 26 જેથી હું ફરીથી તમારી સાથે રહું ત્યારે મસીહ ઈસુમાં તમારો ગવઁ મારે કારણ ઘણો વધે.
27 ગમે તે થાય, મસીહના સુસમાચારને યોગ્ય આચરણ કરો. ભલે હું આવીને તમને જોંઊ કે મારી ગેરહાજરીમાં તમારા વિષે સાંભળું કે જાણું, કે તમે એક આત્મામાં સ્થિર રહીને સાથે મળીને સુસમાચારના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો. 28 જે લોકો તમારો વિરોધ કરે છે તેઓથી જરા પણ બીતા નહિ, એ તેઓને માટે વિનાશની નિશાની છે તેઓ નાશ પામશે, પણ તમે બચી જશો, અને તે વળી ઇશ્વરથી. 29 કેમકે ઈસુ મસીહ પર વિશ્વાસ કરો એટલું જ નહિ, પણ તેમને ખાતર દુઃખ સહન કરવાનો પણ તમને અધિકાર આપવામાં આવ્યો છે, 30 જે સંઘષઁ તમે મારામાં જોયું છે, અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.