1 બાળકો, પ્રભુમાં તમારાંં માતાપિતાની વાતો માનો, એમ કરવું એ વ્યાજબી છે. 2 "તમારાંં માતાપિતાને માન આપો," તે પહેલી વચનયુકત આજ્ઞા છે, 3 "એ સારું કે તારું કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય."
4 પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.
5 સેવકો, જેમ તમારા મસીહને આધીન થાઓ છો, તેમ શરીર પ્રમાણે જેઓ તમારા માલીક છે તેઓને બીકથી તથા ભયથી નિખાલસ મનથી આધીન થાઓ. 6 માણસોને પ્રસન્ન કરનારાઓની પેઠે દેખરેખ હોય ત્યાં સુધીજ ચાકરી કરનારાની રીતે નહિ, પણ મસીહના દાસોની પેઠે, જીવથી ઈશ્વરની ઈચ્છા પૂરી કરો; 7 જાણે લોકોની નહિ પણ પ્રભુની સેવા કરતા હોય તેમ ખરાં હૃદયથી સેવા કરો, 8 કેમકે તમે જાણો છો કે જે કોઈ સારું કરે છે તેને પ્રભુ બદલો આપશે, ભલે તમે ગુલામ હો કે મુક્ત હો.
9 અને માલિકો, તમારાં ગુલામોની સાથે એમ જ વતોઁ. તેઓને ધમકી ન આપો, યાદ રાખો કે તમારા બંન્નેનો માલીક આકાશમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.
10 છેવટે, તમારાંમાં પ્રભુનું જે મહાન સામર્થ્ય રહેલું છે તેમાં મજબૂત થાઓ. 11 ઈશ્વરનાં તમામ શસ્ત્રો ધારણ કરો, જેથી શેતાનની સવઁ કુયુકિતઓ સામે ટકી શકો. 12 કેમકે આપણી લડાઈ લોહી અને માંસની સાથે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે. 13 તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો સજી લો, જેથી તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, અને બને એટલું સવઁ કરીને તેની સામે ટકી શકો, 14 તમે સત્યથી તમારી કમર બાંધો, સાથે ન્યાયીપણાનું બખ્તર ધારણ કરો, 15 તથા શાંતિના સુસમાચારના તૈયારરૂપી ચંપલ પહેરીને, ઉભા રહો; 16 સવઁ ઉપરાંત, શેતાન તરફથી આવતાં સળગતાં તીરોનો સામનો કરવા માટે તમે વિશ્વાસરૂપી ઢાલ ધારણ કરો, 17 વળી તમે તારણનો ટોપ પહેરો અને વચનરૂપી આત્માની તરવાર ધારણ કરીને સજજ રહો.
18 આત્મામાં સર્વ સમયે અને હરેક પ્રકારે પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અથેઁ સઘળાં સંતોને માટે સંપૂણઁ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. 19 મારે માટે પણ પ્રાર્થના કરો કે બીજાઓ સમક્ષ પ્રભુનાં વચનો હિમતપૂર્વક પ્રગટ કરવા માટે મને યોગ્ય શબ્દો આપે કે હું સુસમાચારનો મમઁ જણાવી શકું, 20 કારણ કે હાલ તો હું સાંકળોથી બંધાયેલો એલચી છું. પ્રાર્થના કરો કે જેમ મારે પ્રગટ કરવો જોઈએ તેમ હું હિમતપૂર્વક એ પ્રગટ કરું.
21 પ્રિય ભાઈ અને પ્રભુના કામમાં વિશ્વાસુ સહાયક તુર્ખીકસ, તમને બધી માહિતી આપશે કે હું કેવો છું અને હું શું કરું છું. 22 તમે અમારી અવસ્થા જાણો, અને તે તમારાં હૃદયોને દિલાસો આપે, તેટલા જ માટે મે તેને તમારી પાસે મોકલ્યો છે.
23 ઈશ્વર પિતા તરફથી તથા પ્રભુ ઈસુ મસીહ તરફથી ભાઈઓને શાંતિ તથા વિશ્વાસ સહિત પ્રીતિ થાઓ.
24 જેઓ આપણા પ્રભુ ઈસુ મસીહ પર નિષ્કપટ પ્રેમ રાખે છે તે સર્વ પર કૃપા થાઓ.