1 પાઉલ, ઈશ્વરની ઈચ્છાથી થયેલો મસીહ ઈસુનો પ્રેષિત,
પ્રભુને વિશ્વાસુ રહેનાર એફેસસમાં રહેતા પવિત્ર તથા મસીહ ઈસુમાં વિશ્વાસુ છે તેઓને: લખું છું.
2 આપણા પિતા ઈશ્વર અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
3 આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા ઈશ્વરે આપણને સ્વર્ગમાંના તમામ આત્મિક આશીર્વાદો આપ્યા છે. ઈશ્વરની સ્તુતિ હો! 4 કારણ કે સૃષ્ટિની ઉત્પતિ કરવામાં આવી તે પહેલાં તેમણે આપણને તેમનામાં પસંદ કર્યા છે. જેથી તેમની સમક્ષ પ્રેમમાં નિર્દોષ અને પવિત્ર માલૂમ પડીએ. 5 તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, ઈસુ મસીહ દ્વારા આપણને દત્તકપુત્ર કરી લેવા માટે અગાઉથી નિમાઁણ કયાઁ. 6 તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય, જેણે એ કૃપા પોતાના પ્રિય પુત્રમાં આપણને મફત આપી. 7 તેમનામાં તેમના લોહી દ્રારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉધ્ધાર એટલે પાપોની માફી મળી છે. 8 સવઁ જ્ઞાનમાં તથા સમજણમાં તેમણે આપણા પર પોતાની ભરપૂર કૃપા વરસાવી છે, 9 તેમણે મસીહમાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઇચ્છાનું રહસ્ય આપણને જણાવ્યું, 10 જ્યારે સમયની સંપૂણઁતા થશે ત્યારે અમલમાં મૂકવામાં આવશે, સ્વર્ગમાં કે પૃથ્વી પરનાં સઘળાં વાનાનો મસીહમાં એકત્ર કરશે.
11 તેમનામાં આપણને અગાઉથી પસંદ કરવામાં આવ્યા હતા. જે પોતાના આયોજન પ્રમાણે સઘળું કરે છે, તેમનાં સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી પસંદ થયા હતાં 12 જેથી આપણે, કે જેઓ મસીહ પર પ્રથમ આશા રાખનારાં, તેના મહિમાની સ્તુતિ માટે થઈએ. 13 અને જયારે તમે સત્યનો સંદેશ, અને તમારા તારણના સુસમાચાર સાંભળ્યા, ત્યારે તમે પણ મસીહમાં સામીલ થયા, અને જયારે તમે વિશ્વાસ કયોઁ, ત્યારે તમને આપેલ વચનથી પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવ્યા, 14 જે લોકો ઇશ્વરના છે તેમના ઉધ્ધાર સુધી, તેમના મહિમાની સ્તુતિ માટે, તે આપણા વારસાની ખાતરી આપે છે.
15 આજ કારણથી, જયારથી મેં પ્રભુ ઈસુમાં તમારાં દ્રઢ વિશ્વાસ અને ઇશ્વરના બધા લોકો માટેનાં તમારા પ્રેમ વિશે સાંભળ્યું છે, 16 હું તમારે માટે આભાર માનવાનું ચૂકતો નથી, અને મારી પ્રાથઁનાઓમાં તમને યાદ કરું છું. 17 હું હંમેશા પ્રાર્થના કરું છું કે, આપણા પ્રભુ ઈસુ મસીહના મહિમાવંત પિતા ઈશ્વર, તમને જ્ઞાનને સારુ બુધ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપે, જેથી તમે તેમને વધું સારી રીતે જાણી શકો તથા સમજી શકો. 18 હું પ્રાથઁના કરું છું કે તમારાંં હૃદયોની આંખો પ્રકાશીત થાય, જેથી તમે જાણી શકો કે તેમણે તમને કંઈ આશા માટે બોલાવ્યા છે, એટલે કે તેમના પવિત્ર લોકોમાં તેમના મહિમાવાન વારસાની સંપતી જાણી શકીએ, 19 અને આપણા વિશ્વાસીઓ માટે તેમની અજોડ મહાન શક્તિએ બધા શાસન શક્તિ જેવી જ છે 20 જયારે તેમણે મસીહને મૂએલાંમાંથી સજીવન કર્યા, અને સ્વગીઁય સ્થાનોમાં પોતાને જમણે હાથે બેસાડયા, 21 સવઁ શાસન, અધિકાર, પરાક્રમ, પ્રભુત્વ અને ફકત વતઁમાન યુગમાં જ નહિ, પણ આવનાર યુગમાં પણ જે નામ લેવામાં આવે છે તે સવઁથી ઉપર છે. 22 અને ઈશ્વરે સઘળું તેમના પગ નીચે મૂક્યું, અને તેમને મંડળીના શિરપતિ બનાવ્યાં છે. 23 આ મંડળી, કે જે તેમનું શરીર છે, જે સર્વ વાતે સઘળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરીપણું છે.