1 આ વાત વિશ્વાસયોગ્ય છે: જો કોઈ અધ્યક્ષની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કાયઁ છે. 2 હવે અધ્યક્ષ તો નિદોઁષ, પોતાની પત્નીને વિશ્વાસયોગ્ય, સંયમી, વિચારવંત, આદરણીય, પરોણાગત કરનાર, શીખવી શકે એવો હોવો જોઈએ. 3 તે દારૂ પીનાર નહિ, હિંસક નહિ, પણ સહનશીલ, ઝઘડાખોર નહિ પરંતુ નમ્ર, તે દ્રવ્યલોભી ન હોવો જોઈએ. 4 તે પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવનાર તથા તેનાં બાળકોને આધીનતામાં રાખનાર, અને તે સંપૂણઁ આદરને યોગ્ય હોવો જોઈએ. 5 કેમકે જો કોઈ માણસ પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવી શકતો નથી, તો તે આખી ઈશ્વરની મંડળીની કેવી રીતે સંભાળ રાખી શકે? 6 તે તાજેતરમાં જ બદલાણ પામેલો ન હોવો જોઈએ; નહિ તો તે ગર્વિષ્ઠ બની જશે અને આખરે શેતાનની જેમ જ શિક્ષા ભોગવશે. 7 અને બહારનાં લોકોમાં તેની સાક્ષી સારી હોવી જોઈએ, જેથી તે નિંદાપાત્ર થઈને શેતાનનાં ફાંદામાં ફસાય નહિ.
8 એ જ રીતે, સેવકો પણ માનને પાત્ર, ગંભીર, દારૂ ન પીનાર અને અપ્રમાણીકપણે પૈસા લેવાનો પ્રયાસ ન કરનાર હોવા જોઈએ. 9 તે શુધ્ધ અંતઃકરણથી વિશ્વાસનાં ઊંડા સત્યને પકડી રાખનાર હોવો જોઈએ. 10 પહેલાં તેઓની પારખ થવી જોઈએ; અને જો તેઓની વિરુધ્ધ કંઈ ન હોય, તો તેઓ સેવક તરીકેની સેવા કરી શકે.
11 એ જ પ્રમાણે, સ્ત્રીઓએ માનને પાત્ર બનવું જોઈએ, નિંદાખોર નહિ, પણ સંયમી અને સવઁ બાબતોમાં વિશ્વાસુ હોવી જોઈએ.
12 સેવક પોતાની પત્નીને વિશ્વાસુ હોવો જોઈએ અને પોતાના બાળકો અને ઘરનું સારી રીતે સંચાલન કરતો હોવો જોઈએ. 13 જેઓએ સારી રીતે સેવા કરી છે તેઓ મસીહ ઈસુમાં તેમના વિશ્વાસમાં ઉત્તમ દરજ્જો અને મોટી ખાતરી મેળવે છે.
14 જો કે હું તમારી પાસે જલ્દી આવવાં ઇચ્છા રાખું છું, છતાં પણ હું તમને આ સૂચનાઓ લખી રહ્યો છું, 15 જો મને આવવામાં વાર લાગે, તો લોકોએ ઇશ્વરના ઘરમાં કેવી રીતે વતઁવું એ તારા જાણવામાં આવે; એ ઘર તો જીવંત ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ અને પાયો છે. 16 બધા પ્રશ્ન ઉપરાંત, એ રહસ્ય છે કે ઈશ્વરમય જીવન જીવવું એ મોટો મઁમ છે;
માનવદેહે તે પ્રગટ થયા,
આત્મા દ્રારા ન્યાયી ઠરાવાયાં,
દૂતો દ્રારા જોવામાં આવ્યા,
સર્વ પ્રજાઓમાં પ્રચાર કરવામાં આવ્યો,
એમનાં પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો,
અને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.