1 ઈશ્વર આપણા તારનારની અને મસીહ ઈસુ જે આપણી આશા છે, તેની આજ્ઞાથી થયેલો પ્રેષિત પાઉલ,
2 વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને:
ઈશ્વર પિતા અને આપણા પ્રભુ મસીહ ઈસુ તરફથી કૃપા, દયા અને શાંતિ થાઓ.
3 મકદોનિયા જતી વખતે મેં તને કહ્યું હતું તે પ્રમાણે તું એફેસસમાં રહેજે, અને ત્યાંના કેટલાએક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુઠા ઉપદેશ ન કરે. 4 વળી લાંબી લાંબી વંશાવળીઓ તથા કલ્પીત વાતો પ્રત્યે તેઓ લક્ષ ન આપે, એવી વાતો વિશ્વાસ પર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉતેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્ન કરે છે. 5 એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુધ્ધ હ્રદયથી તથા સારા અંતઃકરણથી તથા ઠોંગ વગરનાં વિશ્વાસથી પ્રીતિ રાખવી એ છે. 6 એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાએક મિથ્યા બકબકાટ કરવા લાગ્યા; 7 તેઓ નિયમશાસ્ત્રના પંડિતો થવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેઓ શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂવઁક બોલે છે તે તેઓ સમજતા નથી.
8 આપણે જાણીએ છીએ કે જો નિયમશાસ્ત્રનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે. 9 આપણે જાણીએ છીએ કે નિયમ ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધમીઁ તથા પાપી, અપવિત્ર તથા ધમઁભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ, 10 વળી વ્યભિચારી, સજાતીય સંબંધમાં રાચનાર, મનુષ્ય-હરણ કરનાર તથા જુઠા સમ ખાનારાઓ, અને તેવાં સવઁને માટે છે; 11 સ્તુત્ય ઇશ્વરના મહિમાના સુસમાચાર જે મને સોંપવામાં આવ્યા છે તે પ્રમાણેનાં શુધ્ધ ઉપદેશની વિરુધ્ધ જે કંઇ હોય તેને માટે છે.
12 પ્રભુ મસીહ ઈસુનો હું ઘણો આભાર માનું છું કે તે મને સામર્થ્ય આપે છે. તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કયોઁ. 13 જો કે પહેલાં તો હું દુભાઁષણ કરનાર તથા સતાવનાર અને ક્રૂર માણસ હતો. તોપણ મારા પર દયા દર્શાવી. કેમકે મે અજ્ઞાનતામાં તથા અવિશ્વાસને કારણે મેં આ બધું કર્યું હતું, 14 આપણા પ્રભુની કૃપા મારાં પર અતિશય થવાથી મને મસીહ ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ થયો.
15 આ વાત વિશ્વાસનીય તથા સંપૂણઁ અંગીકાર કરવા યોગ્ય છે: મસીહ ઈસુ પાપીઓનું તારણ કરવા માટે આ જગતમાં આવ્યા, એવામાં હું મુખ્ય છું. 16 પરંતુ, એ જ કારણથી મારા પર દયા કરવામાં આવી જેથી મારામાં સૌથી ખરાબ પાપીઓમાં, મસીહ ઈસુ પોતાની અપાર ધીરજ બતાવી શકે, જેથી જેઓ અનંતજીવનને માટે ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમુનારૂપ થાવ. 17 હવે સનાતન યુગોના રાજા, અવિનાશી અને અદ્રશ્ય તથા એકલા જ ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો, આમીન.
18 મારા દીકરા તિમોથી, તારા વિશે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે હું તને આજ્ઞા આપું છું કે તું તેમને સારી રીતે યાદ કરીને સારી લડાઈ લડ, 19 ને વિશ્વાસ તથા સારું અંતઃકરણ રાખ, તેનો ત્યાગ કરવાથી કેટલાએકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. 20 તેઓમાનાં હુમનાયસ તથા એલેકઝાંડર છે, તેઓ દુભાઁષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા છે.