1 થેસ્સાલોનિકામાંની ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ મસીહની મંડળીને,
લખનાર પાઉલ, સિલ્વાનુસ તથા તિમોથી:
2 મારા પ્રિય દીકરા તિમોથીને ઈશ્વર પિતા તથા આપણા પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ.
3 ભાઈઓ અને બહેનો, તમારાં માટે અમે ઈશ્વરનો આભાર માનીએ તે યોગ્ય છે, કારણ કે તમારો વિશ્વાસ ધણો વધતો જાય છે, અને તમે એકબીજા પ્રત્યે ઘણો પ્રેમ રાખો છો. 4 તેથી, તમે જે ભારે સતાવણી અને મુશ્કેલીઓનો સામનો કરો છો, તેઓમાં તમે જે ધીરજ અને વિશ્વાસ રાખો છો તે વિશે બીજી મંડળીઓને કહેતાં અમે તમારાં વખાણ કરીએ છીએ.
5 આ તો ઈશ્વરના નિષ્પક્ષ ન્યાયનો પુરાવો છે, જેથી ઇશ્વરના જે રાજયને સારું તમે દુઃખ વેઠો છો, તે રાજયમાં દાખલ થવાને યોગ્ય તમે ગણાઓ. 6 વળી ઈશ્વર ન્યાયી છે; જેઓ તમને સતાવે છે તેઓને ઈશ્વર સતાવશે, 7 અને તમને દુઃખ સહન કરનારાઓને જયારે પ્રભુ ઈસુ તેમના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જવાળામાં સ્વર્ગમાંથી પ્રગટ થશે ત્યારે તમને વિસામો આપશે; 8 અને જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી તથા પ્રભુ ઈસુના ઉધ્ધારના સુસમાચારનો સ્વીકાર કયોઁ નથી તેઓને તે શિક્ષા કરશે. 9 તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેમના મહિમાવંત સામર્થ્યથી અલગ રહેવાની નરકની અનંતકાલિક શિક્ષા ભોગવશે. 10 જયારે પોતાનાં સંતોમાં મહિમા મેળવવાને, અને જેઓએ વિશ્વાસ કયોઁ તેઓમાં આશ્ચયઁ ઉત્પન્ન કરવાને તે આવશે તે દિવસે એમ થશે. કેમકે તમે અમારી સાક્ષી પર વિશ્વાસ રાખ્યો છે.
11 એ વાત ધ્યાનમાં રાખીને, અમે હંમેશાં તમારે માટે સતત પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તમને પોતાના બોલાવેલા આમંત્રણને લાયક ઠરાવે, અને પોતાના સામર્થ્યથી સારાં કામ કરવાની તમારી ઇચ્છાને તે પૂર્ણ કરે. 12 અમે આ પ્રાથઁના કરીએ છીએ કે આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય અને તમે તેમનામાં મહિમાવાન થાઓ, એ આપણને ઈશ્વર તથા પ્રભુ ઈસુ મસીહની કૃપાથી થાય.