1 તેથી મેં નિર્ણય કયોઁ છે, હું ફરીથી તમારી મુલાકાત લઈને તમને દુઃખી કરીશ નહિ, 2 પણ જો હું જ તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખી થયો હોય તેના સિવાય બીજો કોણ મને આનંદ આપે છે? 3 અને હું આવું ત્યારે જેઓથી મને હષઁ પામવો ઘટે છે, તેઓથી મને દુઃખ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી; હું તમો સવઁ પર ભરોસો રાખું છું, કે હું મારો આનંદ તમારી સાથે વહેંચીશ. 4 કેમકે ઘણી વિપતીથી તથા અંતઃકરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું; તે તમે દુઃખી થાવ એટલા માટે નહિ પણ તમારા પર મારી જે અતિશય પ્રીતિ છે તે તમે જાણો તે માટે લખ્યું છે.
5 જો કોઈએ દુઃખ પમાડ્યું હોય તો તે મને નહિ, પણ કેટલેક દરજજે (કેમકે તે પર હું વિશેષ ભાર મુકવાં ચાહતો નથી) તમો સવઁને તેણે દુઃખ પહોંચાડ્યું છે. 6 એવાને બહુમતીથી તેને શિક્ષા કરવામાં આવી તે બસ છે. 7 હવે તમારે તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ. જેથી તે અતિશય દુઃખમાં ગરક ન થઇ જાય. 8 તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી તેના પર તમારો પ્રેમ વ્યકત કરો. 9 મેં તમને લખ્યું એનું બીજું કારણ એ છે કે જો તમે પરીક્ષામાં સ્થિર ઉભા રહો તો, અને સવઁ વાતે આજ્ઞાકારી થાઓ. 10 જેને તમે માફ કરો છો તેને હું પણ માફ કરું છું. અને મેં જે માફી આપી છે અને મે જે માફ કયુઁ છે, તે તમારે લીધે મસીહની આગળ તમારા માટે માફ કયુઁ છે. 11 જેથી કરીને શેતાન આપણને ફસાવી ન જાય; કારણ કે આપણે તેની ચાલબાજીથી અજાણ નથી.
12 હવે જયારે હું મસીહના સુસમાચાર પ્રગટ કરવાં માટે ત્રોઆસ ગયો, ત્યારે પ્રભુએ મારા માટે દ્રાર ખોલ્યું. 13 હજું પણ મારા મનમાં કંઇ શાંતી ન હતી કેમકે મારો ભાઈ તિતસ મને ત્યાં ન મળ્યો. માટે હું તેઓની રજા લઇને મકદોનિયા ગયો.
14 પણ ઈશ્વરની સ્તુતિ થાઓ! જે સદા અમને મસીહની વિજય કૂચમાં દોરી જાય છે, અને અમારી મારફતે પોતાનામાં જ્ઞાનનો સુવાસ દરેક જગ્યાએ ફેલાવવાં માટે તે અમારો ઉપયોગ કરે છે. 15 કેમકે અમે તારણ પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ મસીહનાં સુવાસરૂપ છે; 16 મૃત્યું લાવનારને માટે અમે સુગંધરૂપ છીએ; બિજા માટે, જીવન લાવનારને સુગંધરૂપ છીએ, અને એ કાયઁને સારું કોણ યોગ્ય છે? 17 કેમકે ઘણાંની પેઠે અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતાં નથી, પણ શુઘ્ઘ અંતઃકરણથી તથા ઇશ્વરના તથા ઇશ્ચરની સમક્ષ બોલતા હોઈએ તેમ અમે મસીહમાં બોલીએ છીએ.