1 અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું પ્રભુ તરફથી મને જે સંદર્શન અને પ્રકટીકરણ થયું તે વિશે કહીશ. 2 મસીહમાં એક માણસને હું ઓળખું છું જે ચૌદ વર્ષથી ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. તે શરીરમાં હતો કે શરીર બહાર, તે હું જાણતો નથી, ઈશ્વર તે જાણે છે. 3 અને હું એવા માણસને જાણું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર તને મને ખબર નથી પણ ઈશ્વર જાણે છે. 4 તેને પારાદૈસમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં તેણે એવી અદભુત વાતો સાંભળી જેનું વર્ણન માનવી ભાષામાં થઈ શકે નહિ. 5 એવા માણસને લીધે હું અભિમાન કરીશ, પણ હું મારે પોતાના વિશે અભિમાન નહિ કરું કેવળ મારી નિર્બળતા વિશે જ અભિમાન કરીશ. 6 જો હું અભિમાન કરવાનું પસંદ કરું, તો હું મૂખઁ નહિ બનુ, કારણ કે હું સત્ય બોલીશ. પણ હું ટાળું છું, જેથી કોઈ મારું સાંભળે અને મારા કાયોઁ કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે. 7 અથવા આ અદભુત મહાન પ્રકટીકરણને લીધે હું અભિમાન ન કરું, તે માટે, મને શિક્ષા આપવાં માટે શેતાનનાં દૂતે મને શરીરમાં પીડા આપવામાં કાંટારૂપી વેદના મૂકી જેથી હું અભિમાન ન કરું. 8 મારામાંથી દૂર કરવામાં આવે માટે મેં ત્રણ વાર પ્રભુને વિનંતી કરી. 9 પણ તેમણે મને કહ્યું: "તારે માટે મારી કૃપા પૂરતી છે. મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂણઁ થાય છે." તેથી મસીહનું પરાક્રમ મારાંં પર આવી રહે, એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું. 10 એ માટે, મસીહની ખાતર, વેદનામાં, અપમાનોમાં, કષ્ટોમાં, સતાવણીઓ અને મુશ્કેલીઓ વેઠવામાં હું આનંદ માનું છું, કેમકે જયારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું.
11 મેં મારી જાતને મૂખઁ બનાવી છે, પણ તમે મને એ મૂર્ખાઈ કરવાની ફરજ પાડી છે. તમારે તો મારા વખાણ કરવા જોઈતા હતા, કેમકે મારી કોઈ વિસાત ન હોવા છતાં મુખ્ય પ્રેષિત કરતાં હું કોઈ પણ પ્રકારે ઊતરતો નથી. 12 મેં તમારામાં સાચા પ્રેષિતના ગુણ દશાઁવવા સતત પ્રયાસ કયોઁ, જેમાં ચમત્કારો, ચિહ્નો અને અજાયબીઓ વડે મહાન કાર્ય કર્યા. 13 હું તમને કયારેય ભારરૂપ થયો નથી, એ સિવાય તમે બીજી મંડળીઓ કરતા કઈ બાબતમાં ઉતરતા હતાં? મારી આ ભૂલ માફ કરો.
14 હવે ત્રીજી વાર હું તમારી મુલાકાતે આવવાને તૈયાર છું. હું તમને બોજારૂપ બનવાનો નથી, કેમકે હું તમારી સંપતિ નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા રાખું છું. છેવટે, બાળકોએ માતાપિતાના માટે બચત કરવી ઘટતી નથી, પરંતુ માબાપે બાળકો માટે બચત કરવી જોઈએ. 15 પણ હું તમારા માટે ઘણી ખુશીથી મારી પાસે જે કાંઈ છે તે સર્વ ખરચીશ અને હું જાતે પણ ખરચાઈ જઈશ. જો હું પુષ્કળ પ્રેમ રાખું છું, તો શું તમે મને ઓછો પ્રેમ કરશો? 16 ભલે ગમે તે હોય, હું તમારા પર બોજ બન્યો નથી. પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા! 17 જે માણસોને મેં તમારી પાસે મોકલ્યા તેઓની મારફતે મેં શું કોઈ સ્વાર્થ સાધ્યો છે? 18 મેં તિતસને વિનંતી કરી, એક ભાઈને તેની સાથે મોકલ્યો. શું તિતસે તમારી પાસે કોઇ સ્વાથઁ સાધ્યો? શુંં આપણે એક જ આત્મા દ્રારા એક જ પગલે ચાલ્યા ન હતાં?
19 આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિદોઁષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ, પણ વહાલાઓ, મસીહમાં ઈશ્વરની સમક્ષ અમે જે બોલીએ છીએ તે સવઁ આત્મિક રીતે તમને દ્રઢ કરવા માટે છે. 20 મને ડર છે કે જયારે હું તમારી પાસે આવીશ ત્યારે તમારાંમાં હું જે જોવાની ઈચ્છા રાખું છું તે જોવા મળશે કે નહિ, અને તમે જેવો મને જોવાની ઇચ્છા રાખ છો તેઓ તમે મને ન જુઓ; રખેને મને તમારાંમાં ઝગડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, ચાડી ચુગલી, નિંદા, ઘમંડ અને અવ્યવસ્થા જોવા મળે! 21 વળી મને ભય છે કે હું તમારી પાસે ફરીથી આવું ત્યારે તમારી આગળ ઈશ્વર મને નમ્ર બનાવે; અને જે ઘણાં લોકોએ અગાઉ પાપ કયાઁ છે અને જે વાસના, અશુધ્ધતા અને વ્યભિચાર કર્યા છતાં પસ્તાવો કયોઁ નથી, તેમને માટે હું દુઃખી થાઉં.