1 હું પાઉલ, મસીહની નમ્રતા અને કોમળતાની ખાતર હું તમને વિનંતી કરું છું, જયારે હું તમારી સાથે હોઉં છું ત્યારે "ડરપોક" છું, પણ જયારે દૂર હોઉં છું ત્યારે "હિંમતવાન" છું. 2 હું તમને વિનંતી કરું છું કે જયારે આવું ત્યારે મારે એવા લોકો પ્રત્યે હિમંતવાન થવું ન પડે જેમને લાગે છે કે અમે દુનિયાદારીનાં ધોરણો પ્રમાણે જીવીએ છીએ. 3 કેમકે અમે દુનિયામાં રહીએ છીએ, છતાં દુનિયાની જેમ અમે લડાઈ કરતા નથી. 4 અમે જે હથિયારથી લડીએ છીએ તે સાંસારિક હથિયાર નથી, તેનાથી વિપરીત, પણ ઈશ્વરના સામથ્યઁથી તોડી પાડવાને તેઓ સમથઁ છે. 5 અમે ઈશ્વરનાં જ્ઞાનની વિરુધ્ધ ઊભા થતા વાદવિવાદો અને દરેક ઢોંગને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને મસીહની આધીનતામાં લાવીએ છીએ. 6 અને જ્યારે તમારું આજ્ઞાપાલન પૂણઁ થશે, ત્યારે દરેક આજ્ઞાભંગને સજા કરવા અમે તૈયાર છીએ.
7 તમે દેખાવ પ્રમાણે ન્યાય કરો છો. જો કોઈને ખાતરી હોય કે તે મસીહનો છે, તો તેણે ફરીથી વિચાર કરવો જોઈએ કે, જેમ તે પોતે મસીહનો છે તેમ અમે પણ મસીહના છીએ. 8 કેમકે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહિ, પણ તમારી ઉન્નતિ કરવા માટે અમને આપ્યો, તે વિશે જો હું અધિક અભિમાન કરું, તોપણ હું શરમાઈશ નહિ. 9 મારા પત્રો દ્વારા હું તમને ડરાવતો હોય તેવું દેખાડવા માંગતો નથી. 10 કેટલાક કહે છે, "તેના પત્રો ભારે અને અસરકારક છે પણ તે પોતે શરીરમાં નબળો અને તેનું બોલવું દમ વગરનું છે." 11 આવા લોકોએ સમજવું જોઈએ કે, અમે દૂર હોવા છતાં પત્રોમાં લખેલા જેવા જ છીએ, તે જ રીતે હાજર થઇશું ત્યારે કામથી પણ દેખાઈશું.
12 જેઓ પોતાની પ્રશંસા કરે છે તેઓની સાથે અમે પોતાની સરખામણી કરવાની હિંમત કરતા નથી. જયારે તેઓ પોતાની જાતનો માપદંડ નક્કી કરે છે અને સરખાવે છે, ત્યારે તેઓ બુધ્ધિ વગરનાં છે. 13 પણ અમે હદ ઉપરાંત અભિમાન કરતા નથી, પણ ઈશ્વરે અમને જે સેવા ક્ષેત્ર સોંપ્યું છે, જેમા તમે પણ સામીલ છો, તે પ્રમાણે અભિમાન કરીશું. 14 અમે અમારા અભિમાન કરવામાં આગળ જતા નથી, જો અમે તમારી સુધી આવ્યા ન હોત, તો શું થયું હોત, કેમકે અમે મસીહના સુસમાચાર લઈને તમારી પાસે આવ્યા હતાં 15 બીજાઓ દ્રારા કરેલાં કામ વિશે અમે અભિમાન કરીને અમે અમારી હદ ઓળંગતા નથી. અમારી આશા એ છે કે, તમારો વિશ્વાસ વૃધ્ધિ પામે અને ઈશ્વરે ઠરાવી આપેલી મર્યાદામાં તમારી વચ્ચે અમારું કાર્ય પ્રગતિ પામશે. 16 જેથી અમે તમારી બહારનાં પ્રદેશોમાં પણ સુસમાચાર પ્રગટ કરી શકીએ અમે બીજાની હદમાં થયેલા કાયઁ વિશે અભિમાન કરવા માગતા નથી. 17 પણ, "જે કોઈ અભિમાન કરે છે તે પ્રભુમાં અભિમાન કરે." 18 કેમકે જે પોતાના વખાણ કરે છે તે નહિ, પણ જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે.