1 પાઉલ, ઈશ્વરનો સેવક અને ઈસુ મસીહનો પ્રેષિત ઈશ્વરના પસંદ કરાયેલાઓને વિશ્વાસમાં અને ભક્તિભાવ તરફ દોરી જતા સત્યનાં જ્ઞાનમાં— 2 અને અનંતકાલિક જીવનની આશામાં, જેનું વચન ઈશ્વરે, જે કદી જૂઠું બોલતા નથી, તેમણે જગતના આરંભ પહેલાં આપ્યું હતું, 3 હવે ઈશ્વરે પોતાના યોગ્ય સમયે સુસમાચાર દ્રારા આપણા તારનાર ઈશ્વરની આજ્ઞાથી એ પ્રગટ કરવાનું મને સોંપવામાં આવ્યું છે,
4 સામાન્ય વિશ્વાસમાં મારા સાચા દીકરા તિતસ:
ઈશ્વર પિતા તરફથી આપણા તારનાર મસીહ ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ થાઓ.
5 મેં તને ક્રીતમાં એટલા માટે રાખ્યો કે જે કામો અધૂરા છે તે તું વ્યવસ્થિત કરે અને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે દરેક શહેરમાં વડીલોની નિમણૂક કરે. 6 વડીલ નિદોઁષ હોય, તેની સ્ત્રીને વિશ્વાસુ હોય, જેના બાળકો વિશ્વાસુ હોય અને જેના પર અનાદર કે આજ્ઞાનું ઉલ્લંધન કરવાનો આરોપ ન હોય. 7 આગેવાન ઇશ્વરના ઘરનો કારભારી છે, તે નિદોઁષ હોવો જોઈએ, તે સ્વછંદી, ક્રોધી, દારૂડિયો, ઝઘડાખોર કે નીચ લાભનો દ્રવ્યલોભી હોવો ન જોઈએ. 8 તેના બદલે, તે મહેમાનગતી કરનાર, જે સારું છે તેના પર પ્રીતિ કરનાર, સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તબધ્ધ હોવો જોઈએ. 9 તે વિશ્વાસયોગ્ય ઉપદેશને દ્રઢતાથી વળગી રહેનાર હોવો જોઈએ, જેથી તે બીજાઓને શુધ્ધ સિધ્ધાંત દ્રારા ઉતેજન આપી શકે અને તેનો વિરોધ કરનારાઓને ઠપકો આપી શકે.
10 કારણ કે ઘણાં બંડખોર લોકો છે, જેઓ બકવાસ કરનારાં અને ઠગનારા છે, ખાસ કરીને સુન્નતીઓમાનાં 11 તેઓના મોં બંધ કરવાં જોઈએ, કારણ કે તેઓ જે ઘટિત નથી તે શીખવીને ઘણાં કુટુંબોને ઊંધાં વાળે છે, અને તે પણ અપ્રમાણીક લાભ માટે. 12 ક્રીતીઓ માંના એક પ્રબોધકે કહ્યું છે કે: "ક્રીતવાસીઓ જૂઠા છે. તેઓ જંગલી પશુ જેવા ઘાતકી, આળસુ અને પેટભરા છે." 13 આ વાત સાચી છે, માટે તેઓને સખત ઠપકો આપ, જેથી તેઓ વિશ્વાસમાં દ્રઢ બને. 14 અને તેઓ યહૂદી દંતકથાઓ પર અને સત્યનો અસ્વીકાર કરનારાઓનાં માનવીય આદેશ પર ધ્યાન ન આપે. 15 જેઓ શુધ્ધ છે તેઓને સર્વ શુધ્ધ છે, પણ જેઓ ભ્રષ્ટ અને અવિશ્વાસીઓ છે, તેઓને માટે કંઈ પણ શુધ્ધ નથી. પણ હકિકતમાં તો તેઓના મન તથા અંતઃકરણ બંન્ને ભ્રષ્ટ થયેલા છે. 16 આવાં લોકો ઈશ્વરને ઓળખતાં હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓની કરણીઓથી તેઓ નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, અનઆજ્ઞાંકિત તથા કોઈ પણ સારાં કાર્ય કરવાને માટે નકામાં છે.