1 તો, પછી, દરેક માણસે અમને મસીહના સેવકો ગણવાં જોઈએ: મસીહના સેવકો તરીકે અમે ઈશ્વરે પ્રગટ કરેલાં મમોઁના કારભારી છીએ. 2 હવે જેમને સોંપવામાં આવેલું છે તે પ્રમાણે તેઓએ વિશ્વાસુ થવું જરૂરી છે. 3 તમારા દ્ગારા કે કોઇ માનવીય અદાલત દ્ઘારા મારો ન્યાય કરવામાં આવે તો મને કંઇ પડી નથી; ખરેખર, હું મારો પોતાનો ન્યાય કરતો નથી. 4 મારો અંતરઆત્મા મને દોષિત ઠરાવતો નથી. તોપણ તેથી હું ન્યાય ઠરતો નથી મારો. ન્યાય કરનાર તે પ્રભુ છે. 5 તેથી સમય પહેલાં એટલે કે પ્રભુનું પુનરાગમન થાય તે પહેલાં કોઈનો ન્યાય ન કરો; કેમકે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને પ્રકાશમાં લાવશે અને હૃદયની ધારણાઓ બહાર પાડશે. તે સમયે ઈશ્વર તરફથી દરેક વ્યક્તિ પોતાની પ્રશંસા પામશે.
6 હવે, ભાઈઓ અને બહેનો, આ વાતો તમારા હિત માટે મેં દ્રષ્ટાંતરૂપે મેં મારો અને અપોલસનો દાખલો આપ્યો છે, જેથી તમે અમારા દાખલા પરથી શીખો, "જે લખેલું છે તેની બહાર જવું નહિ." એટલે તમે આપણામાંના એકના અનુયાયી બનીને બીજાની વિરુધ્ધ કોઈ અભિમાન ન કરે. 7 તમને એકબીજાથી અલગ કોણ કરે છે? અને તમને મળ્યું ન હોય એવું તમારી પાસે શું છે? અને જો તે તમને મળ્યું હોય, તો મળ્યું ન હોય એમ તમે કેમ અભિમાન કરો છો?
8 તમારી પાસે પહેલેથીજ બધું જ છે જે તમે ઈચ્છો છો! તમે પહેલેથીજ ધનવાન બની ગયા છો! તમે રાજ કરવા લાગ્યા છો, અને તે પણ અમારા વિના! હું કેવું ઈચ્છું છું કે તમે ખરેખર રાજ કરવાનું શરૂ કર્યુ હોત જેથી અમે પણ તમારી સાથે રાજ કરત! 9 કારણ કે મને લાગે છે કે અમને પ્રેષિતોને ઈશ્વરે મૃત્યુદંડ પામનારાની જેમ, જેમને અખાડામાં રજૂ કયાઁ છે. અમે આખા જગત માટે, માણસો અને દૂતોની દ્રષ્ટિમાં અમે તમાશારૂપ બન્યા છીએ. 10 અમે મસીહને લીધે મૂખઁ છીએ, પણ તમે મસીહમાં ઘણા બુધ્ધિમાન છો! અમે નબળાં છીએ, પણ તમે બળવાન છો! તમે માન પામનારા છો, પણ અમે અપમાન! 11 આજ સુધી અમે ભૂખ્યા અને તરસ્યા છીએ, વસ્ત્રો પૂરતાં નથી, અમારી સાથે ખરાબ વતઁન કરવામાં આવે છે, અમે બેઘર છીએ, 12 અમે અમારા પોતાના હાથે સખત પરિશ્રમ કરીએ છીએ. જ્યારે અમને શાપ આપે છે, ત્યારે અમે આશીઁવાદ આપીએ છીએ; જ્યારે અમારી સતાવણી થાય છે, ત્યારે અમે સહન કરીએ છીએ; 13 જ્યારે અમારી નિંદા થાય છે, ત્યારે અમે દયાળુપણે જવાબ આપીએ છીએ. પૃથ્વીનો મેલ, જગતના કચરા જેવા છીએ, અમે આજ સુધી.
14 તમને શરમિંદા બનાવવાં માટે નહિ પરંતુ મારાંં વહાલાં બાળકો ગણીને તમને ચેતવણી આપવાં માટે આ વાતો હું લખું છું. 15 જો તમને મસીહમાં દસ હજાર શિક્ષક હોય, તોપણ તમને તમારાં ઘણાં પિતા નથી, કેમકે ઈસુ મસીહમાં સુસમાચાર દ્રારા હું તમારો પિતા થયો છું. 16 તેથી હું તમને વિનંતી કરું છું કે મને અનુસરો. 17 આટલા માટે જ મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે. તે પ્રભુમાં મારો પ્રિય પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું અને પ્રભુમાં વિશ્વાસુ છે. જેમ હું દરેક મંડળીમાં જે શિક્ષણ આપું છું તે મસીહ ઈસુમાં મારા વિશે તમને યાદ કરાવશે.
18 જાણે હું તમારી પાસે આવવાનો ન હોઉં તેમ સમજીને તમારાંમાંના કેટલાક ઘમંડી બની ગયા છે. 19 પણ ઈશ્વરની ઈચ્છા હશે તો હું જલદી તમારી પાસે આવીશ, પછી હું જોઈશ કે આ ઘમંડી લોકો કેવી વાત કરે છે, પણ તેમની પાસે શું શક્તિ છે. 20 કેમકે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નથી, પણ સામર્થ્યમાં છે. 21 તમે શું પસંદ કરશો? શું હું તમારી પાસે શિસ્તતાની સોટી લઈને આવું તે કે પછી પ્રેમ અને નમ્રતા સાથે આવું?