1 ફરોશીઓ અને સાદૂકીઓ ઈસુની પાસે આવીને કસોટી કરતા કહ્યું કે તેમને આકાશમાંથી કોઈ નિશાની બતાવો.
2 તેમણે જવાબ આપ્યો, "જયારે સાંજે પડે છે ત્યારે તમે કહો છો કેમકે આકાશ રાતુ છે માટે વાતાવરણ સ્વચ્છ રહેશે. 3 અને સવારમાં, આજે તે તોફાની હશે કેમકે આકાશ રતુમડું અને ઘેરાયેલું છે. આમ આકાશનું રૂપ તમે પારખી જાણો છો, પરંતુ સમયના એ ચિન્હો તમે પારખી શકતા નથી! 4 દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની જોવા માંગે છે, પણ યોનાની નિશાની સિવાય બીજું કંઈ તેને આપવામાં આવશે નહિ." પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.
5 જયારે તેઓ સરોવરને પાર ગયા ત્યારે શિષ્યો રોટલી લેવાનું ભૂલી ગયા. 6 ઈસુએ તેઓને કહ્યું સાવધાન રહો, "ફરોશીઓ અને સાદૂકીઓના ખમીરથી સાવધ રહો."
7 આ વિષે તેઓએ માંહોમાંહે ચચાઁ કરીને કહ્યું, "આ તો આપણે કોઇ રોટલી નથી લાવ્યા માટે."
8 ઈસુએ તેઓની ચચાઁ જાણીને કહ્યું, "ઓ અલ્પવિશ્વાસીઓ! તમારી પાસે રોટલી નથી તે માટે માંહોમાંહે કેમ વાત કરો છો? 9 શું હજી સુધી તમે સમજતા નથી? શું તમને યાદ નથી પાંચ હજાર માટે પાંચ રોટલી, અને તમે કેટલી ટોપલી ભેગી કરી? 10 અથવા સાત રોટલી ચાર હજારને માટે અને તમે કેટલી ટોપલી ભેગી કરી? 11 તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી વિષે કહ્યું ન હતું? પણ ફરોશીઓ અને સાદૂકીઓના ખમીરથી સાવધ રહો." 12 ત્યારે તેઓ સમજ્યાં કે તેમણે તેઓને રોટલીમાં વપરાયેલા ખમીર વિષે નહિ પણ ફરોશીઓ અને સાદૂકીઓના ખોટા શિક્ષણથી સાવધ રહેવાનું કહ્યું.
13 જયારે ઈસુ કૈસરીયા ફિલિપ્પીના પ્રાંતમાં આવ્યા, તેમણે તેમના શિષ્યોને પૂછયું: "માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?"
14 તેઓએ જવાબ આપ્યો, "કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત; બીજા કહે છે કે એલિયા; ને બીજા કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંના એક."
15 પછી તેમણે તેઓને પૂછયું, "પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?"
16 સિમોન પિતરે જવાબ આપ્યો, "તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો."
17 ઈસુએ જવાબ આપ્યો, "સિમોન યોનાના પુત્ર, તને ધન્ય છે! કેમકે એ તને માંસે તથા લોહીએ જણાવ્યું નથી, પણ સ્વર્ગમાંના મારા પિતાએ. 18 અને હું તને કહું છું કે તું પિતર છે. અને આ ખડક પર હું મારી મંડળી બાંધીશ. અને તેની સામે હાદેસની સત્તાનું જોર ચાલશે નહિ. 19 હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ; પૃથ્વી પર જે કંઇ તું બાંધશે તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઇ છોડશે તે સ્વર્ગમાં પણ છોડાશે." 20 પછી તેમણે શિષ્યોને આજ્ઞા આપી હું મસીહ છું એ તમે કોઈને કહેશો નહિ.
21 ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરુશાલેમ જવું જોઈએ અને ત્યાં વડીલો, મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોઓના હાથે ઘણું સહન કરવું, માયાઁ જવું, અને ત્રણ દિવસ પછી સજીવન થવું એ જરૂરનું છે.
22 પિતર તેમને બાજુ પર લઈ જઈને તેમને ઠપકો દેવા લાગ્યો, તેણે કહ્યું, "કયારેય નહિ, પ્રભુ! તમને એવું કયારેય ન થાઓ."
23 ઈસુએ ફરીને પિતરને કહ્યું, "શેતાન, મારી પાછળ જા! તું મારા માટે ઠોકરરૂપ છે! તું ઈશ્વરની વાતો પર મન લગાડતો નથી પણ માત્ર માણસની વાતો પર મન લગાડે છે."
24 પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "જે મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરીને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 25 કેમકે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ગુમાવશે, પણ જે કોઈ મારે માટે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. 26 કોઇ આખું જગત મેળવે તો એ શા કામનું? છતાં પોતાના આત્માની હાનિ પામે? અથવા કોઇ પોતાના આત્માને બદલે શું આપશે? 27 કેમકે માણસનો દીકરો તેમના પિતાનાં મહિમામાં તેમના દૂતો સાથે આવશે, ત્યારે તેઓ દરેક વ્યકિતને તેમના કાર્ય પ્રમાણે બદલો આપશે.
28 "હું તમને સાચે જ કહું છું, અહીં ઊભેલાઓમાંથી કેટલાક માણસના દીકરાને તેમના રાજ્યમાં આવતા જોશે ત્યાં સુધી મરણ પામશે નહિ."