1 વહેલી સવારે, બધા મુખ્ય યાજકો અને લોકોના આગેવાનોએ ઈસુને કેવી રીતે મારી નાખવા યોજના કરી. 2 તેથી તેઓ તેમને બાંધીને રાજ્યપાલ પિલાતના હાથમાં સોંપી દીધા.
3 ઈસુને દગો દેનાર યહૂદાએ જયારે જોયું કે, ઈસુને ગુનેગાર ઠરાવ્યાં છે, ત્યારે તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો થયો અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યાજકો તથા આગેવાનો પાસે પાછો ગયો, 4 તેણે કહ્યું મે પાપ કયુઁ છે, "પરસ્વાધીન લોહી પરસ્વાઘીન કયાઁથી મેં પાપ કર્યું છે."
તેઓએ જવાબ આપ્યો, "તે તું જાણે?" એમાં અમારે શું?
5 તેથી યહુદાએ મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નિકળ્યો, પછી જઈને પોતે ગળે ફાંસો ખાધો.
6 મુખ્ય યાજકોએ તે પૈસા લીધા અને કહ્યું, "એ લોહીનાં નાણાં છે માટે ભંડારમાં નાખવા એ નિયમની વિરુદ્ધ છે." 7 આથી તેઓએ નિર્ણય કયોઁ કે આ નાણાંનો ઉપયોગ પરદેશીઓ ને દાટવા માટે કુંભારનું ખેતર ખરીદવું. 8 તે માટે આજ દિન સુધી તેને "લોહીનું ખેતર" કહેવામાં આવે છે. 9 આમ યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પુરું થયું: "ઇઝરાયેલનાં લોકોએ તેની જે કિંમત આંકી હતી તેટલી કિંમત, ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા. 10 અને તેઓએ તેનો ઉપયોગ કુંભારના ખેતર ખરીદવા માટે કયોઁ. જેમ પ્રભુએ મને આજ્ઞા આપી હતી તેમ,"
11 તે વખતે ઈસુ રાજયપાલની આગળ ઊભા રહ્યા, અને રાજયપાલે તેમને પૂછયું, "શું તું યહૂદીઓનો રાજા છે?"
ઈસુએ જવાબ આપ્યો, "તે તમે જ કહો છો."
12 જયારે મુખ્ય યાજકો અને વડીલોએ ઈસુની વિરુધ્ધ આરોપો મૂક્યાં, છતાં તેમણે કંઈ જવાબ આપ્યો નહિ. 13 પછી પિલાતે તેમને કહ્યું, "તેઓ તારી વિરુધ્ધ જે સાક્ષી આપે છે તે શું તમે સાંભળતા નથી?" 14 પણ ઈસુએ એક શબ્દનો પણ જવાબ ન આપ્યો, રાજ્યપાલને ઘણી નવાઈ લાગી.
15 હવે એવો રિવાજ હતો કે પર્વમાં ટોળા દ્રારા પસંદ કરાયેલા એક બંદિવાનને રાજ્યપાલ છોડી દે. 16 એ સમયે ઈસુ બારાબાસ નામે એક જાણીતો બંદિવાન તેઓની પાસે હતો. 17 તેથી જયારે ટોળું ભેગું થયું ત્યારે પિલાતે તેઓને પૂછયું, "તમે કોને છોડવા માંગો છો? હું કોને છોડી દઉં, બારાબાસને અથવા ઈસુ જે મસીહ કહેવાય છે તેને?" 18 તે જાણતો હતો કે અદેખાઇને લીધે તેઓએ ઈસુને તેમના હાથમાં સોંપ્યા હતા.
19 જયારે પિલાત ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ કહેવડાવી મોકલ્યું કે "એ ન્યાયી માણસને તમે કંઇ કરતાં ના, કારણ કે આજે મને તેના લીધે સ્વપ્નમાં ઘણું દુઃખ થયું હતું."
20 પણ મુખ્ય યાજકો અને વડીલોએ ટોળાને સમજાવ્યું કે તેઓ બારાબાસને માંગે અને ઈસુને મારી નંખાવે.
21 રાજ્યપાલે પૂછયું, "આ બેમાંથી તમારે માટે હું કોને છોડી મૂકું?" ત્યારે લોકોએ જવાબ આપ્યો:
"બારાબાસને."
22 પિલાતે પૂછયું, "તો પછી ઈસુ જે મસીહ કહેવાય છે તેને, હું શું કરું?"
તેઓએ બૂમો પાડીને કહ્યું, "તેને ક્રૂસે જડાવો!"
23 પિલાતે પૂછયું, "શા માટે? તેણે શું ગુનો કયોઁ છે?"
પણ તેઓએ વધું જોરથી બૂમો પાડી, "તેને ક્રૂસે જડાવો!"
24 જયારે પિલાતે જોયું કે મારું કશું જ ચાલતું નથી પણ તેને બદલે હંગામો શરુ થયો છે, ત્યારે તેણે પાણી લીધું, અને ટોળા આગળ પોતાનાં હાથ ધોયા અને કહ્યું, "આ ન્યાયી માણસનાં લોહી સંબંધી હું નિર્દોષ છું. એ તમારી જવાબદારી છે!"
25 બધા લોકોએ જવાબ આપ્યો, "તેનું લોહી અમારે અને અમારા સંતાનોને માથે!"
26 પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી મૂકયો, પણ ઈસુને કોરડા મરાવીને ક્રૂસે જડવાં માટે તેને હાથમાં સોંપી દીધા.
27 પછી રાજયપાલના સૈનિકો ઈસુને મહેલમાં લઈ જઈને, આખી સૈનિકોની પલટણ તેની આસપાસ એકઠી કરી. 28 તેઓએ તેમના કપડાં ઉતારી લઈને તેમને કિરમજી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. 29 અને પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથે મૂકયો, તેમના જમણા હાથમાં સોટી આપી. અને તેમની આગળ ઘૂંટણે પડીને મશ્કરી કરતાં કહ્યું, "હે યહૂદીઓનાં રાજા સલામ!" 30 તેઓ તેમના પર થૂંક્યાં, અને સોટી લઈને તેમના માથામાં વારંવાર મારી. 31 તેમની મશ્કરી કરી રહયાં પછી તેઓએ ઝભ્ભો ઉતારી લઈને તેમનાં પોતાનાં કપડાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને ક્રૂસે જડવાંને માટે લઈ ગયા.
32 જયારે તેઓ બહાર જતા હતા ત્યારે તેઓ કૂરેનીનો, સિમોન નામે એક માણસ મળ્યો અને તેઓએ તેને ક્રૂસ ઉંચકવા બળજબરી કરી. 33 તેઓ ગલગોથા નામની જગ્યા એટલે કે ખોપરીની જગ્યાએ આવી પહોંચ્યા. 34 ત્યાં સૈનિકોએ ઈસુને પિત સાથે ભેળેલો સરકો પીવાને આપ્યો પણ ચાખ્યા પછી તેમણે તે પીવાની ના પાડી. 35 જયારે તેઓએ તેમને ક્રૂસે જડયાંં પછી, તેઓએ ચિઠ્ઠી નાખીને તેમનાં કપડાં વહેંચી લીધા 36 પછી ત્યાં નિચે બેસીને તેમની ચોકી કરવા લાગ્યા. 37 તેઓએ તેના માંથાની ઉપર લખેલું તોહમતનામું મૂકયું:
"આ ઈસુ છે યહૂદીઓનો રાજા."
38 બે લૂંટારાને પણ તેમની સાથે ક્રૂસે જડવામાં આવ્યા હતા, એક તેમની જમણી અને એક તેમની ડાબી બાજુએ. 39 ત્યાં થઈને પસાર થતાં લોકોએ પોતાનાં માથાં હલાવીને ઈસુનું અપમાન કયુઁ, 40 અને કહ્યું "મંદિરને પાડી નાંખીને ત્રણ દિવસમાં ફરી બાંધનાર તું પોતાને બચાવ, અને જો તું ઈશ્વરપુત્ર હોય તો ક્રૂસ ઉપરથી નીચે ઊતરી આવ." 41 તે જ પ્રમાણે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલોએ તેમની મશ્કરી કરી, 42 તેઓએ કહ્યું "બીજાઓને તેણે બચાવ્યાં પણ પોતાને તે બચાવી શકતો નથી. તે ઇઝરાયેલનો રાજા છે, તેને ક્રૂસ ઉપરથી હમણાં નીચે ઊતરી આવ! એટલે અમે તેનાં પર વિશ્વાસ કરીશું. 43 તેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો છે, જો તેઓ તેને ચાહતા હોય તો હમણાં તે તેને છોડાવશે. કેમકે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો પુત્ર છું.’ " 44 તેમની સાથે ક્રૂસે જડાયેલાં બળવાખોરોએ પણ તેમનું અપમાન કયુઁ.
45 બપોરથી માંડીને ત્રણ કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો. 46 આશરે બપોરે ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી, "એલી, એલી, લામા શબક્થની?" એટલે કે, "મારા ઈશ્વર! મારા ઈશ્વર! તમે મને કેમ તજી દીધો છે?"
47 ત્યાં ઊભેલાં કેટલાકે સાંભળીને, કહ્યું કે, "તે એલિયાને બોલાવે છે."
48 તરત તેઓમાંનો એક જણ દોડીને વાદળી લઈને સરકાથી તે બોળી અને તેને લાકડી પર મૂકીને ઈસુને ચૂસવા આપી. 49 બાકીનાઓએ કહ્યું, "હવે તેને એકલો રહેવા દો; આપણે જોઈએ કે એલિયા તેને બચાવવાં આવે છે કે નહિ."
50 અને પછી ઈસુએ ફરી મોટેથી બૂમ પાડીને તેમણે પોતાનો પ્રાણ છોડયો.
51 એ જ ક્ષણે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ચિરાઈ ગયો. ધરતી કાંપી ને, ખડકો ફાટી ગયા 52 અને કબરો ઊઘડી ગઈ. મૃત્યુ પામેલાં ઘણા મૃત્યુ પામેલા પવિત્ર લોકોના શરીરો સજીવન કરવામાં આવ્યા. 53 ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોને દેખાયા.
54 જયારે સુબેદાર અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઇ બન્યું હતું તે જોયું, ત્યારે તેઓ ગભરાય ગયાં અને કહ્યું, "સાચે જ એ ઈશ્વરપુત્ર હતા!"
55 ઘણી સ્ત્રીઓ ત્યાં હતી, તેઓ દૂર રહીને જોઈ રહી હતી. ઈસુની સેવા કરતાં છેક ગાલીલથી તેમની પાછળ આવેલી હતી. 56 તેઓમાં મરિયમ માગદાલેણ, યાકોબની તથા યોસેફની મા મરિયમ અને ઝબદીના દિકરાઓની માં હતી.
57 સાંજ પડી ત્યારે અરિમથાઈનો એક શ્રીમંત માણસ ત્યાં આવ્યો, તેનું નામ યોસેફ હતું, જે પોતે ઈસુનો શિષ્ય બન્યો હતો. 58 તેણે પિલાત પાસે જઈને ઈસુના શબની માંગણી કરી, તેને શબ આપવામાં આવે એવો હુકમ પિલાતે કર્યો. 59 યોસેફે શબ લઈને તેના પર શણનું ચોખ્ખા કપડાંમાં તે વિટાળ્યું. 60 અને તેણે તેને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂકયું. એક મોટો પથ્થર કબરનાં દ્રાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો. 61 મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ, કબરની સામે બેઠેલી હતી.
62 તૈયારીના બીજે દિવસે, મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા. 63 તેઓએ કહ્યું, "સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહ્યું હતું કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો સજીવન થઈશ.’ 64 તેથી ત્રણ દિવસ સુધી કબર પર જાપ્તો રાખવાનો હુકમ કરો, નહિતર તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી જઈને બધાને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આમ છેલ્લી ભુલ પહેલીના કરતાં વધારે મોટી થશે."
65 પિલાતે તેઓને કહ્યું, "સૈનિકો લો, જાવ ને તમારાથી બને તેઓ જાપ્તો રખાવો." 66 તેથી તેઓ ગયા ને પથ્થર પર મુદ્રા મારી અને ચોકીદારો ગોઠવીને કબરને સુરક્ષિત કરી.