Publicidade

Mateus 8

ઈસુ રકતપિતના માણસને સાજો કરે છે

1 જયારે ઈસુ પહાડ પરથી નીચે ઊતર્યા, મોટો સમુદાય તેમની પાછળ ગયો. 2 રકતપિતવાળો એક માણસ આવ્યો અને તેમની આગળ ઘુંટણે પડીને કહ્યું, "પ્રભુ, તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો."

3 ઈસુએ તેમનો હાથ લાંબો કયોઁ અને માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, "હું ચાહું છું, શુધ્ધ થા." અને તે જ ક્ષણે તે પોતાના રકતપિતથી શુધ્ધ થયો. 4 પછી ઈસુએ તેને કહ્યું, "જો જે તું કોઈને ન કહેતો. પણ જા, યાજકને પોતાને દેખાડને તેઓને માટે સાક્ષી તરીકે મોશેએ કરેલી આજ્ઞા પ્રમાણે તે અપઁણ ચઢાવ."

અધિકારીનો વિશ્વાસ

5 જયારે ઈસુ કપરનાહૂમ આવ્યા, ત્યારે એક સૂબેદારે ઈસુ પાસે આવીને મદદ માંગી. 6 તેણે કહ્યું "પ્રભુ, મારો નોકર ઘરમાં લકવાનાં દર્દથી ઘણો પીડાય છે અને પથારીવશ છે."

7 ઈસુએ તેને કહ્યું, "શું હું આવીને તેને સાજો કરું?"

8 પછી અધિકારીએ જવાબ આપ્યો, "પ્રભુ, તમે મારા છાપરા તળે આવો એવો હું યોગ્ય નથી, પણ શબ્દ કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. 9 કારણ કે હું મારા અધિકારીઓના હાથ નીચે છું, મારી નીચે સૈનિકો છે. હું આને કહું કે, ‘જાઓ!’ અને તે જાય છે અને પેલાને કહું કે ‘આવો!’ અને તે આવે છે. હું મારા નોકરને કહું છું કે ‘આ કર!’ અને તે તે કરે છે."

10 ત્યારે ઈસુ તે સાંભળીને નવાઈ પામ્યા, "પાછળ આવતાં લોકોને તેમણે કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, આટલો મોટો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જડયો નથી. 11 હું તમને કહું છું કે ઘણાં લોકો પૂવઁથી અને પશ્વિમથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે પવઁમા બેસશે, 12 પણ રાજયની પ્રજાને બહાર ફેકી દેવામાં આવશે, અંધકારમાં, જયાં રડવું અને દાંત પીસવું થશે."

13 પછી ઈસુએ અધિકારીને કહ્યું, "જા, જેવો તારો વિશ્વાસ છે તેવું જ તને થાઓ." અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો.

ઈસુ ઘણાઓને સાજા કરે છે

14 જયારે ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યારે તેમણે પિતરની સાસુને તાવને લીધે પથારીમાં પડેલી જોઈ. 15 તેમણે તેના હાથને સ્પર્શ કર્યો, તેનો તાવ ઊતરી ગયો, તે ઊઠીને તેમની સેવા કરવા લાગી.

16 જયારે સાંજ પડી ઘણા અશુધ્ધ આત્મા વળગેલાઓને તેમની પાસે લાવ્યાં, તેમણે માત્ર શબ્દથી આત્માઓને કાઢયા, અને બધા માંદાઓને પણ સાજા કર્યા. 17 યશાયા પ્રબોધક દ્રારા જે કહેવામાં આવ્યું હતુ તે પુરું થાય:

"તેણે આપણા મંદવાડ લઈ લીધા

અને આપણા રોગ ભોગવ્યાં."

ઈસુની પાછળ ચાલવાની કિંમત

18 જયારે ઈસુએ લોકોના ટોળા એમની આસપાસ જોયા, ત્યારે તેમણે સરોવરને પેલે પાર જવાની આજ્ઞા કરી. 19 ત્યારે નિયમશાસ્ત્રના પંડિતે તેમની પાસે આવીને કહ્યું, "ગુરુજી, તમે જયાં જશો, ત્યાં હું તમારી પાછળ આવીશ."

20 ઈસુએ જવાબ આપ્યો, "શિયાળવાને બખોલ હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને પોતાનું માથું મૂકવાને જગ્યા નથી."

21 બીજા શિષ્યએ તેમને કહ્યું, "પ્રભુ પહેલાં મને જઈને મારા પિતાને દફનાવવા દો."

22 પણ ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ, અને મૂએલાંઓને તેઓના મૂએલાઓને દફનાવવા દે."

ઈસુએ તોફાનને શાંત પાડયું

23 પછી ઈસુ હોડીમાં ગયા અને તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24 એકાએક સરોવરમાં ભયંકર તોફાન આવ્યું, તેથી મોજાઓથી હોડી ઢંકાઈ જવા લાગી; પરંતુ ઈસુ ઊંઘતા હતા. 25 શિષ્યો ગયા ને તેમને જગાડયાં, કહ્યું, "હે પ્રભુ! અમને બચાવો, અમે ડૂબીએ છીએ!"

26 તેમણે જવાબ આપ્યો, "તમે અલ્પવિશ્વાસીઓ!" આટલા બધા તમે કેમ ગભરાઈ ગયા છો? પછી તેમણે ઊભા થઈને પવન અને મોજાંને ધમકાવ્યાં અને સંપૂણઁ શાંતિ થઈ.

27 માણસોએ આશ્ચયઁ પામીને કહ્યું, "આ કેવાં પ્રકારનો માણસ છે? પવન અને મોજાઓ પણ તેનું માને છે!"

અશુધ્ધ આત્મા વળગેલા બે માણસોને ઈસુ સાજા કરે છે

28 જયારે તેઓ સરોવરનાં સામે કિનારે ગદરાનીના પ્રદેશમાં પહોંચ્યા, અશુધ્ધ આત્મા વળગેલાં બે માણસો કબરોમાંથી નિકળતા તેમને મળ્યાં. તેઓ એવા ભયાનક હતા કે તે માગેઁ થઈને કોઈ જઈ શક્તું ન હતું. 29 "ઈશ્વરપુત્ર, તમારે અમારી સાથે શું જોઈએ છે? તેઓએ બૂમ પાડી, નિયત સમય પહેલાં અમને પીડા દેવાને તમે અહીં આવ્યા છો શું?"

30 ત્યાંથી થોડે દૂર ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું. 31 અશુધ્ધ આત્માઓએ ઈસુને આજીજી કરી, "જો તમે અમને કાઢી મૂકવાનાં જ હો તો અમને ભૂંડોનાં ટોળામાં મોકલો."

32 તેમણે તેઓને કહ્યું, "જાઓ!" એટલે તેઓ બહાર નીકળીને ભૂંડોમાં પેઠાં અને આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને પાણીમાં ડૂબી મર્યુ. 33 પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને અશુધ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું. 34 ત્યારે આખું નગર ઈસુને મળવા માટે બહાર આવ્યું, અને જયારે તેઓએ તેમને જોયા. તેઓએ તેમને વિનંતી કરી અમારી પ્રદેશમાંથી જતા રહો.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-