1 "કેમકે સ્વર્ગનું રાજ્ય જમીનદારના જેવું છે, જે વહેલી સવારે પોતાની દ્રાક્ષાવાડી માટે કામ કરનારાં મજૂરો લાવવાં બહાર ગયો. 2 તેણે રોજનો એક દીનાર આપવાનું ઠરાવીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
3 "લગભગ સવારે નવ વાગે તે બહાર જઈને કામ વગરનાં બીજાઓને બજારમાં ઊભેલા જોયા. 4 તેણે તેઓને કહ્યું, ‘તમે પણ જાવ ને મારી દ્રાક્ષાવાડીમાં કામ કરો, અને હું તમને વાજબી મહેનતાણું આપીશ.’ 5 તેઓ ગયા.
"તે ફરી આશરે બપોરે અને ત્રણ કલાકે બપોર પછી તે બહાર ગયો, અને તેમજ કયુઁ. 6 લગભગ બપોર પછી પાંચ વાગે તે બહાર ગયો અને હજુ બીજા આસપાસ ઊભેલા મળ્યાં. તેણે તેઓને પૂછયું, ‘શા માટે તમે આખા દિવસ સુધી કશું કામ કયાઁ વગરનાં અહીં ઊભા છો?’
7 "તેઓએ જવાબ આપ્યો, ‘કોઈએ અમને મજૂરીએ રાખ્યાં નથી.’
"તેણે તેઓને કહ્યું, ‘તમે પણ જાઓ અને મારી દ્રાક્ષાવાડીમાં કામ કરો.’
8 "જયારે સાંજ પડી, ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે પોતાના કારભારીને કહ્યું, ‘છેલ્લા થી માંડીને પહેલાં સુધીનાં મજુરો બોલાવોને તેમને તેમની મજૂરી ચુકવો.’
9 "જે મજૂરોને બપોરે પાંચ વાગે કામે રાખવામાં આવ્યા હતા તે દરેક મજૂરે, એક એક દીનાર મેળવ્યો. 10 તેથી જેઓને પહેલાં મજૂરીએ આવેલા હતા તેઓ આવ્યા તેઓને વધું મળવાની આશા હતી, પણ તેઓમાંના દરેકને એક એક દીનાર મળ્યો. 11 જયારે તેઓને તે મળ્યાં, ત્યારે તેઓએ જમીનદારની વિરુધ્ધ કચકચ કરી. 12 ‘જેઓને છેલ્લે કામે રાખવામાં આવ્યા તેમણે માત્ર એક કલાક જ કામ કયુઁ હતુ, અને તે તેઓને અમારી સરખા આખા દિવસનો કામનો બોજો તથા તાપ સહન કરનારાઓની બરોબર ગણ્યાં છે.’
13 "તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો, ‘મિત્ર, મેં તને કોઇ અન્યાય કયોઁ નથી? શું તે મારી સાથે કામનો એક જ દીનાર નક્કી કર્યો નહોતો? 14 તારું મહેનતાણું લઈને ચાલ્યો જા. જેટલું તને એટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. 15 મારા પૈસા મારી મરજી મુજબ વાપરવાનો શું મને હક નથી? અથવા હું ઉદાર છું, માટે તમે ઈષાઁ કરો છો?’
16 "એમ જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે, અને પહેલાં તેઓ છેલ્લાં થશે."
17 હવે ઈસુ યરુશાલેમનાં જતાં રસ્તામાં, તેમણે બારેને એક બાજુમાં લઇ જઈને તેઓને કહ્યું. 18 "આપણે યરુશાલેમ જઈએ છીએ અને માણસના દીકરાને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોના હાથમાં સોંપી દેવામાં આવશે. તેઓ તેને મૃત્યુદંડ ફરમાવશે. 19 પછી તેઓ તેની મશ્કરી કરવાને, કોરડા મારાવવાને અને વધસ્તંભ પર જડવાને વિદેશીઓનાં હાથમાં સોંપી દેશે. ત્રીજા દિવસે તે સજીવન થશે."
20 પછી ઝબદીના પુત્રોની માતાએ ઈસુની પાસે આવીને પગે પડી, તેમની પાસે એક માંગણી કરી.
21 તેમણે પૂછયું, "તારે શું જોઈએ છે?"
તેણે કહ્યું, "તમારાં રાજ્યમાં મારા આ બે દીકરાઓમાંથી એકને તમારી જમણે અને બીજાને તમારી ડાબે બેસાડજો."
22 ઈસુએ તેઓને જણાવ્યું, "તું જે માંગે છે તે તું સમજતી નથી!" ઈસુએ તેઓને કહ્યું, "જે પ્યાલો હું પીવાનો છે તે શું પી શકશો?" તેઓએ જવાબ આપ્યો,
"અમે પી શકીશું."
23 ઈસુએ તેઓને કહ્યું, "તમે મારા પ્યાલામાંથી પીશો તો ખરાં પણ, પરંતુ મારે ડાબે કે જમણે બેસાડવાનું મારા હાથમાં નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલાઓ માટે જ છે."
24 જયારે દસે આ વિશે સાંભળ્યું, ત્યારે તેઓ બંને ભાઈઓ પર ગુસ્સે થયા; 25 ઈસુએ તેઓ બધાને પાસે બોલાવીને કહ્યું, "તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ ધણીપણું કરે છે અને તેઓના મોટા અધિકારીઓ તેમના પર અધિકાર ચલાવે છે. 26 પણ તમારાંમાં એવું નથી. તેના કરતાં તમારાંમાં જે કોઈ મોટો થવા ઈચ્છે તો તેણે સેવક થવું જોઈએ, 27 અને જે કોઇ પહેલો થવા ચાહે, તેણે તમારો ગુલામ થવું. 28 જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા, અને ઘણાંને માટે મુકિતમૂલ્ય તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છું."
29 જયારે ઈસુ અને તેમના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા, ત્યારે મોટું ટોળું તેઓની પાછળ આવ્યું. 30 રસ્તાની કોરે બે અંધજન બેઠાં હતા, અને જયારે તેઓએ સાંભળ્યું કે ઈસુ ત્યાં થઈને પસાર થાય છે ત્યારે તેઓએ બૂમ પાડી, "હે પ્રભુ! દાવિદના દીકરા, અમારા પર દયા કરો!"
31 ટોળાએ તેઓને ધમકાવીને છાના રહેવા કહ્યું, પણ તેઓ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યા. "પ્રભુ! દાવિદના દીકરા! અમારા પર દયા કરો!"
32 ઈસુ ઊભા રહ્યા અને તેઓને બોલાવ્યાં, "હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?"
33 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ અમને અમારી દ્રષ્ટિ જોઈએ છે."
34 ઈસુને તેઓના પ્રત્યે અનુકંપા ઊપજી અને તેઓની આંખોને અડકયા. તરત જ તેઓ દેખતાં થયા અને તેમની પાછળ ગયા.