Publicidade

Mateus 22

લગ્ન જમણનાં સમારંભનું દ્રષ્ટાંત

1 ઈસુ ફરીથી તેમને દ્રષ્ટાંતોમાં વાત કરી, કહ્યું: 2 "સ્વગઁનું રાજ્ય એક રાજાના જેવું છે કે જેણે પોતાના પુત્રનાં લગ્ન-પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો. 3 તેણે મહેમાનોને સમારંભમાં આમંત્રણ આપવાં સારું પોતાના નોકરોને બોલાવવા મોકલ્યાં, પણ તેઓએ આવવાની ના પાડી.

4 "પછી ફરીથી તેણે બીજા નોકરોને મોકલીને કહ્યું, ‘જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમને કહો કે મેં મારું જમણ તૈયાર કયુઁ છે: મારા બળદ અને પુષ્ટ જનાવરો કાપ્યાં છે, અને બધું તૈયાર છે, લગ્ન સમારંભમાં આવો.’

5 "પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ અને જતા રહ્યા, એક તેના ખેતરમાં, અને બીજો તેને ધંધે ચાલ્યો ગયો. 6 બાકીનાઓએ તેમના નોકરોને પકડયા, તેમનું અપમાન કરીને મારી નાંખ્યાં. 7 રાજા ગુસ્સે ભરાયો. તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કયોઁ અને તેઓના શહેરને સળગાવી દીધું.

8 "પછી તેણે પોતાના નોકરોને કહ્યું, ‘લગ્નજમણ તૈયાર છે, પણ આમંત્રિતો આવવાને માટે યોગ્ય ન હતા; 9 માટે રસ્તાઓનાં નાકાં પર જાઓ, અને જેટલાં તમને મળે તે દરેકને લગ્નજમણમાં બોલાવી લાવો.’ 10 તેથી નોકરો બહાર રસ્તાઓમાં ગયા, અને સારાં કે નરસા જે મળ્યાં તે સર્વને તેઓએ એકઠા કયાઁ, અને ભોજનખંડ મહેમાનોથી ભરાઈ ગયો.

11 "પણ જયારે મહેમાનોને જોવા રાજા અંદર આવ્યો ત્યારે, લગ્નનો પોશાક પહેર્યા વિના આવેલો, એક માણસ તેના જોવામાં આવ્યો. 12 તેણે પૂછયું, ‘મિત્ર, તું અહીં લગ્નનો પોશાક પહેર્યા વિના કેવી રીતે આવ્યો?’ તે માણસ અણબોલ્યો રહયો.

13 "પછી રાજાએ નોકરોને કહ્યું, ‘તેના હાથપગ બાંધીને તેને બહારનાં અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવાનું અને દાંત પીસવાનું થશે.’

14 "કેમકે આમંત્રિતો ઘણાં છે, પણ પસંદ કરાયેલા થોડા છે."

કૈસરને કર આપવાં બાબત

15 પછી તેમને તેમની વાતમાં સપડાવવા માટેનું કાવતરું ઘડવા ફરોશીઓ બહાર ગયા. 16 હેરોદીઓની સાથે પોતાના શિષ્યોને તેમની પાસે મોકલ્યા. તેઓએ કહ્યું: "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે પ્રમાણીક માણસ છો, અને તમે સત્યતાથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો, તમે કોઈની શેહશરમ રાખતા નથી; કેમકે તેઓ કોણ છે તેના પર તમે ઘ્યાન આપતાં નથી. 17 તો અમને કહો કે તમારો શો અભિપ્રાય છે? કૈસરને શાહી કર ચૂકવવો એ યોગ્ય છે કે નહિ?"

18 પણ ઈસુ તેઓની દુષ્ટ ચાલાકી જાણીને કહ્યું, "ઓ ઢોંગીઓ, તમે મને કેમ ફસાવવાં માંગો છો? 19 કર માટે વપરાતો એક સિક્કો મને બતાવો." તેઓ તેમની પાસે એક દિનાર લાવ્યા. 20 અને તેમણે તેઓને પૂછયું, "આ છાપ કોની છે? અને કોના લેખ છે?"

21 તેઓએ જવાબ આપ્યો, "કૈસરનાં."

ત્યારે તેમણે તેમને કહ્યું, "તો જે કૈસરનું છે, તે કૈસરને પાછું આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને."

22 જયારે તેઓએ આ સાંભળ્યું તેઓ અચંબો પામ્યા. તેથી તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.

પુનરુત્થાન સમયે લગ્ન

23 તે જ દિવસે સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી તેઓ તેમની પાસે પ્રશ્ર લઇને આવ્યા. 24 તેઓએ કહ્યું, "ગુરુજી, મોશેએ અમને કહ્યું છે કે: જો કોઈ માણસ નિઃસંતાન મરણ પામે તો તેનો ભાઈ વિધવા સાથે લગ્ન કરીને તેને સારું સંતાન ઉપજાવે. 25 હવે અમારામાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્ન કર્યું ને મરી ગયો, અને તેને કોઈ સંતાન ન હતા. તે તેની પત્નિ તેના ભાઈને સારું મુકી ગયો. 26 જેવું જ બીજા અને ત્રીજા ભાઈને પણ થયું, તેવું જ સાતેયની સાથે પણ બન્યું. 27 છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 તો પછી હવે પુનરુત્થાને આ સાતમાંથી તે કોની પત્ની થશે, કારણ કે તેઓ બધાએ તેની સાથે લગ્ન કયાઁ હતા?"

29 ઈસુએ જવાબ આપ્યો, "શાસ્ત્ર તથા ઈશ્વરના પરાક્રમ ન જાણવાને કારણે તમે ભૂલ ખાઓ છો. 30 પુનરુત્થાનમાં લોકો પરણતા કે પરણાવતા નથી; તેઓ સ્વગઁમાંના દૂતો જેવાં થશે. 31 પણ મૂએલાઓનાં પુનરુત્થાન સંબંધી ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે વાંચ્યું નથી, 32 ‘હું અબ્રાહમનાં ઈશ્વર, ઇસહાકનાં ઈશ્વર તથા યાકોબનાં ઈશ્વર છું?’ તે મૂએલાંના ઈશ્વર નથી પણ જીવતાંઓના છે."

33 જયારે ટોળાએ આ સાંભળ્યું તેઓ તેમના શિક્ષણથી આશ્ચર્ય પામ્યાં.

સૌથી મોટી આજ્ઞા

34 ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સાદૂકીઓને ચૂપ કરી દીધા છે, ત્યારે તેઓ એકત્ર થયા. 35 તેઓમાંના એકે, નિયમશાસ્ત્રનાં પંડિતે, આ પ્રશ્રથી તેમની પરીક્ષા કરી: 36 "ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ?"

37 ઈસુએ જવાબ આપ્યો, "તું તારા પૂરાં હૃદયથી, અને પૂરાં જીવથી અને પૂરાં મનથી પ્રભુ તારાં ઈશ્વર પર પ્રેમ કર. 38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39 અને બીજી તેના જેવી જ છે: ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ 40 બધા જ નિયમો અને પ્રબોધકો આ બે આજ્ઞાઓ પર આધારીત છે."

મસીહ કોનો દીકરો છે

41 જયારે ફરોશીઓ ભેગા થયા હતા, ત્યારે ઈસુએ તેમને પૂછયું, 42 "મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?"

તેઓએ જવાબ આપ્યો, "દાવિદનો દીકરો છે."

43 તેમણે તેઓને કહ્યું, "તો પછી આત્માથી બોલતાં દાવિદ તેમને ‘પ્રભુ’ કેવી રીતે કહે છે? કેમકે તે કહે છે,

44 " ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું:

"જયાં સુધી હું તારા શત્રુઓને,

તારા પગ નીચે ન મૂકું,

ત્યાં સુધી મારે જમણે હાથે બેસ." ’

45 જો દાવિદ તેમને ‘પ્રભુ’ કહે છે તો તે તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?" 46 કોઈ પણ શબ્દનો જવાબ આપી શક્યાં નહિ, અને તે દિવસ પછી તેમને વધારે પ્રશ્ન પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-