Publicidade

Mateus 21

ઈસુ યરૂશાલેમમાં રાજા તરીકે આવે છે

1 જયારે તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ પર બેથફગે આવ્યા ત્યારે, ઈસુએ બે શિષ્યોને મોકલ્યા, 2 તેઓને કહ્યું "તમારી આગળનાં ગામમાં જાઓ, અને ત્યાં બાંધેલી એક ગધેડી તથા તેની સાથ વછેરો જોવા મળશે. તેઓને છોડી ને અહીં મારી પાસે લાવો. 3 જો કોઈ તમને કાંઈ કહે, તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે, એટલે તે તેમને તરત જ મોકલી આપશે."

4 આ એટલા માટે થયું કે પ્રબોધકો દ્ગારા બોલેલી ભવિષ્યવાણી પૂરી થાય:

5 "સિયોનની પુત્રીને કહો કે:

જુઓ તમારો રાજા તમારી પાસે આવે છે,

નમ્રને ખોલકા પર સવારી કરી;

અને ખોલકા પર, ગધેડીના વછેરાં પર."

6 શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું. 7 તેઓ ગઘેડીને તથા વછેરાને તેમની પાસે લાવ્યાં, અને તેઓએ પોતાના ઝભ્ભા વછેરા પર પાથયાઁ અને ઈસુ તેમના પર બેસે. 8 અતિ મોટા ટોળાએ પોતાનાં ઝભ્ભા રસ્તામાં પાથયાઁ, જયારે બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. 9 ટોળું કે જે તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા.

"હોસાન્ના! દાવિદના દીકરાને!"

"પ્રભુને નામે જે આવે છે, તે ધન્ય છે."

"ઉચ્ચ સ્વગઁમાં! હોસાન્ના!"

10 જયારે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા, ત્યારે આખું શહેર ખળભળી ઉઠયું ને પૂછયું: "આ કોણ છે?"

11 ટોળાએ જવાબ આપ્યો, "આ તો ઈસુ છે, ગાલીલના નાઝરેથનો પ્રબોધક."

ઈસુ મંદિરે

12 ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા અને ત્યાંથી તેમણે વેચનારાઓને અને ખરીદનારાઓને ત્યાંથી હાંકી કાઢયાં, નાણાંવટીઓના ટેબલ અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી કરી નાંખી. 13 તેમણે તેઓને કહ્યું કે લખેલું છે કે, "મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને લુંટારાઓનું કોતર બનાવો છો."

14 અંધજનો અને અપંગો ઈસુ પાસે મંદિરમાં આવ્યા, અને તેમણે તેઓને સાજા કર્યાં. 15 પણ જયારે મુખ્ય યાજકોએ અને નિયમશાસ્ત્રના પંડિતોએ તેમણે કરેલી અદભુત બાબતો જોઈ, અને બાળકોને મંદિરનાં આંગણાંમાં પોકાર કરતાં સાંભળ્યા કે "હોસાન્ના! દાવિદના પુત્રને" ત્યારે તેઓ રોષે ભરાયા.

16 તેઓએ તેમને કહ્યું, "આ બાળકો શું કહે છે તે તમે સાંભળો છો?"

"હા," ઈસુએ જવાબ આપ્યો, "શું તમે કયારેય નથી વાંચ્યું,

બાળકોનાં હોઠોથી અને ધાવણાંઓથી

તમે, પ્રભુ, તમારી સ્તુતિ પ્રગટ કરાવી છે?"

17 પછી તેઓ તેમને મૂકીને બેથાનિયા નગરની બહાર ગયા, જયાં તેમણે રાત વિતાવી.

ઈસુ અંજીરીને શ્રાપ આપે છે

18 વહેલી સવારે, જયારે ઈસુ શહેરે પાછા જતાં હતા, ત્યારે ઈસુ ભૂખ્યાં થયા. 19 રસ્તાની બાજુએ એક અંજીરીને જોઈ, અને તેઓ તેની પાસે ગયા, પણ પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ. પછી તેમણે તેને કહ્યું, "હવેથી તને કદી ફળ ન લાગો!" તરત જ અંજીરી સુકાઈ ગઈ.

20 જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓ દંગ થઈ ગયા. તેઓએ પૂછયું, "અંજીરી આટલી જલ્દી કેવી રીતે સુકાઈ ગઈ?"

21 ઈસુએ જવાબ આપ્યો હું તમને સાચે જ કહું છું, "જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ના લાવો તો અંજીરની જે થયું તે તમે કરી શકશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહી શકો છો, ‘જા, તું ઊચકાઇને સમૃદ્રમાં નંખા.’ અને તે પ્રમાણે થશે. 22 જો તમે વિશ્વાસ રાખો તો તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગશો તો તે તમને મળશે."

ઈસુના અધિકારનો પ્રશ્ર

23 ઈસુ મંદિરનાં આંગણાંમાં આવ્યા, અને જયારે તેઓ ઉપદેશ આપતાં હતા, ત્યારે મુખ્ય યાજકો અને લોકોનાં વડીલોએ તેમની પાસે આવ્યા. તેઓએ પૂછયું, "ક્યાં અધિકારથી તમે આ કામો કરો છો? અને એ અધિકાર તમને કોણે આપ્યો?"

24 ઈસુએ જવાબ આપ્યો, "હું પણ તમને એક પ્રશ્ન પૂછીશ, જો તમે મને જવાબ આપશો તો હું તમને કહીશ કે કયાં અધિકારથી હું આ કામો કરું છું: 25 યોહાનનું બાપ્તિસ્મા તે કયાંથી આવ્યું? શું તે સ્વગઁથી હતું કે માણસોથી?"

તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, "જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહિ? 26 પણ જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો આપણે લોકોથી ડરીએ છીએ; કારણ કે તેઓ બધા માને છે કે યોહાન એક પ્રબોધક હતો."

27 તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, "અમે જાણતા નથી."

પછી તેમણે કહ્યું, "તો હું પણ તમને કહેતો નથી કે હું કયાં અધિકારથી આ કામો કરું છું.

બે દીકરાનું દૃષ્ટાંત

28 "તમે શું ધારો છો? એક માણસને બે દીકરા હતા. તેણે પહેલાની પાસે જઈને કહ્યું, ‘દીકરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ "

29 "તેણે જવાબ આપ્યો, ‘હું જવાનો નથી.’ પણ પછીથી પસ્તાઈને તે ગયો.

30 "પછી પિતાએ નાનાંને કહ્યું, તું દ્રાક્ષાવાડીમાં જા. તેણે જવાબ આપ્યો, ‘હા, પિતાજી’ હું જાઉં છું. પણ તે ગયો નહિ.

31 "બેમાંથી કોણે તેમના પિતાની ઇચ્છા પ્રમાણે કયુઁ?"

"તેઓએ જવાબ આપ્યો પહેલાએ, ઈસુએ તેમને કહ્યું હું તમને સાચે જ કહું છું કે, જકાતકારો અને વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. 32 કેમકે યોહાન ન્યાયનો માગઁ બતાવવા તમારી પાસે આવ્યો, અને તમે તેના પર વિશ્વવાસ કયોઁ નહિ; પણ જકાતકારો અને વેશ્યાઓએ કયોઁ. અને આ બધું જોયા પછી પણ તમે પસ્તાવો કયોઁ નહિ ને તેના પર વિશ્વવાસ કયોઁ નહિ.

ઇજારદારનું દૃષ્ટાંત

33 "બીજું એક દૃષ્ટાંત સાંભળો: એક જમીનદાર હતો કે જેણે એક દ્રાક્ષાવાડી રોપી, તેણે તેની આજુબાજુ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને ચોકીબુરજ બનાવ્યો. પછી તેણે કેટલાક ખેડૂતોને દ્રાક્ષાવાડી ઇજારે આપી અને બીજી જગ્યાએ ગયો. 34 જયારે કાપણીનો સમય નજીક આવ્યો, ત્યારે તેણે તેના નોકરોને ફળ લેવાં માટે ઈજારો પાસે મોકલ્યા.

35 "ઇજારદારોએ તેના નોકરોને પકડયાં; તેઓએ એકને માર્યો, બીજાને મારી નાંખ્યો, અને ત્રીજાને પથ્થરો માર્યા. 36 પછી તેણે બીજા નોકરો તેમની પાસે મોકલ્યા, પહેલાં કરતાં વધારે, અને ઇજારદારોએ તેમની સાથે તેઓ જ વ્યહાર કયોઁ. 37 સૌથી છેલ્લે, તેણે પોતાના દીકરાને તેમની પાસે મોકલ્યો. તેમણે કહ્યું, ‘તેઓ મારા દીકરાનો આદર કરશે.’

38 "પણ જયારે ઇજારદારે દીકરાને જોયો, ત્યારે તેઓએ એકબીજાને કહ્યું, ‘આ વારસદાર છે, ચાલો! તેને મારી નાખીએ અને વારસો લઈ લઈએ.’ 39 તેથી તેઓએ તેને પકડીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો અને તેને મારી નાખ્યો.

40 "તેથી, જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે, ત્યારે તે આ ઇજારોને શું કરશે?"

41 તેઓએ જવાબ આપ્યો, તે દુષ્ટોનો અંત દુષ્ટતાઈથી લાવશે, "અને તે દ્રાક્ષાવાડી બીજા ઇજારદારોને ઇજારે આપશે, કે જેઓ કાપણીના સમયમાં તેની ઉપજનો ભાગ આપશે."

42 ઈસુએ તેઓને કહ્યું, "શું તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી:

" ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કયોઁ હતો

તે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો,

પ્રભુએ આ કયુઁ છે

અને આપણી નજરમાં તે આશ્ચર્યકારક છે?’

43 "તેથી હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે: અને જે લોકો ફળ આપશે તેને તે આપવામાં આવશે. 44 જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે; પણ જેઓનાં તે પડશે તેઓનો ભુક્કો થઈ જશે."

45 જયારે મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુના દ્રષ્ટાંતો સાંભળ્યા, ત્યારે તેઓ જાણતા હતા કે તેઓ તેમના સંબંધી બોલે છે. 46 તેઓએ તેમને પકડવાનો માગઁ શોધ્યો, પણ તેઓ ટોળાથી બીતા હતા કેમકે, લોકો તેમને પ્રબોધક માનતા હતા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-