Publicidade

Mateus 23

ઢોંગ સામે ઈસુની ચેતવણી

1 પછી ઈસુએ ટોળાને તથા તેમના શિષ્યોને કહ્યું, 2 "નિયમશાસ્ત્રના પંડિતો તથા ફરોશીઓ મોશેનાં સ્થાને બેસે છે. 3 માટે જે કાંઈ તેઓ તમને કહે તેથી તમે સાવધાન રહો. પણ તેઓ જે કરે તે પ્રમાણે ન કરો કેમકે તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે કરતા નથી. 4 તેઓ ભારે ને ઊંચકતા મહા મુસિબત પડે એવા બોજા તેઓ લોકોના ખભા પર નાખે છે, પણ તેઓ તેને ખસેડવા પોતે પોતાની એક આંગળી પણ લગાડતા નથી.

5 "તેઓ જે કરે છે તે લોકો જુએ માટે કરે છે: તેઓ પોતાના સ્મરણપત્રોને પોહળા અને પોતાના વસ્ત્રોની કોરને લાંબી કરે છે. 6 તેઓ ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો પસંદ કરે છે, 7 તેઓને બજારમાં લોકોના વંદન ઝીલવાનું ગમે છે અને લોકો દ્ગારા તેઓને રાબ્બી કહેવામાં આવે એવું તેઓ ઈચ્છે છે.

8 "પણ તમે રાબ્બી કહેવડાવો નહિ; કારણ કે તમારે એક જ ગુરુ છે અને તમે સઘળા ભાઈઓ છો. 9 અને પૃથ્વી પર કોઈને પિતા કહેશો નહિ, કારણ કે તમારે એક પિતા છે જે સ્વગઁમાં છે. 10 વળી તમે સ્વામી ન કહેવડાવો કારણ કે તમારે એક જ સ્વામી છે, મસીહા 11 તમારાંમાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક થાય. 12 જેઓ પોતાને ઊંચા કરે છે, તેઓને નમ્ર કરવામાં આવશે, અને જેઓ પોતાને નમ્ર કરશે, તેઓને ઊંચા કરવામાં આવશે."

નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ પર સાત અફસોસ

13 "ઓ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ, ઢોંગીઓ! તમને અફસોસ! તમે લોકોની સામે સ્વર્ગના રાજ્યનો દરવાજો બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશતાં નથી, અને જેઓ ચાહે છે તેઓને પ્રવેશવા દેતા નથી. 14 ઓ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ છે કેમકે તમે વિધવાઓનાં ઘર પડાવી લો છો, ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો એ સારું તમને ભારે સજા થશે.

15 "ઓ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ, ઢોંગીઓ! તમને અફસોસ! એક શિષ્ય બનાવવાં તમે આખી પૃથ્વી અને સમુદ્રની મુસાફરી કરો છો, અને જયારે તે થાય છે ત્યારે તમે તેને તમારાં કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.

16 "ઓ આંધળા દોરનારાઓ તમને અફસોસ, તમે કહો છો કે ‘જો કોઈ પ્રભુમંદિરનાં નામે સમ ખાય તો કાંઈ વાંધો નહિ; પણ જે કોઈ મંદિરનાં સોનાનાં સમ ખાય તો તે બંધનકર્તા છે.’ 17 ઓ મુખઁ આંધળાઓ! મોટું તે કયું: સોનું કે સોનાને પવિત્ર બનાવનાર મંદિર? 18 તમે એ પણ કહો છો, ‘જો કોઈ વેદીથી સમ ખાય, તો તેમાં કાંઈ વાંધો નહિ, પણ જે કોઈ વેદી ઉપરના અર્પણના નામે સમ ખાય તો તે તેનાથી બંધનકર્તા છે.’ 19 ઓ આંધળા માણસો! મોટું તે કયું, અર્પણ કે અર્પણને પવિત્ર બનાવનાર વેદી? 20 તેથી જે કોઈ વેદીના સમ ખાય છે, તે તેના તથા તેના પર જે કાંઈ છે તેના પણ સમ ખાય છે. 21 અને જે કોઈ મંદિરનાં સમ ખાય છે, તે તેના તથા તેમાં જે વસનાર છે તેના સમ ખાય છે. 22 અને જે કોઈ સ્વર્ગના સમ ખાય છે તે ઈશ્વરના રાજ્યાસનના, તથા તેના પર બિરાજનારના સમ ખાય છે.

23 "ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે તમારા મસાલા, ફૂદીના, સુવા અને જીરાનો દશાંશ આપો છો, પરંતુ તમે નિયમશાસ્ત્રની મહત્વની બાબતો એટલે ન્યાય, દયા અને વિશ્વાસુપણાની અવગણના કરો છો. તમારે પહેલાની અવગણના કયાઁ વિના પાછળનું પાલન કરવું જોઈએ. 24 ઓ આંધળા દોરનારાઓ! તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો!

25 "ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પરંતુ અંદર જુલમ અને શોષણ ભરેલાં છે. 26 ઓ આંધળા ફરોશીઓ! તમે પહેલાં પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, અને તે બહારથી પણ સાફ થઈ જશે.

27 "ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી સુંદર દેખાય છે પણ અંદર તો મૂંએલાના હાંડકાંઓ અને બધો ગંદવાડ ભરેલો છે. 28 તે જ પ્રમાણે તમે લોકોની આગળ બહારથી ન્યાયી દેખાવ છો પણ તમે અંદરથી ઢોંગે તથા ભૂંડાઈથી ભરેલાં છો.

29 "ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે પ્રબોધકોની કબરો બંધાવો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો; 30 અને તમે કહો છો, ‘જો અમે અમારા પૂર્વજોના દિવસોમાં રહેતા હોત તો અમે પ્રબોધકોનાં લોહી વહેડાવામાં ભાગ ન લીધો હોત.’ 31 તેથી તમે પોતે તમારી વિરોધ સાક્ષી પુરો છો, કે તમે પ્રબોધકોનાં ખૂનીઓનાં સંતાનો છો. 32 પછી આગળ વધો, અને તમારા પૂઁવજોએ જે શરું કયુઁ તે પુરું કરો.

33 "ઓ સર્પો, સપોઁના વંશજ! તમે નરકની સજામાંથી કેવી રીતે બચી શકશો? 34 તેથી હું તમારી મધ્યે પ્રબોધકો, અને જ્ઞાનીઓ અને શિક્ષકોને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે મારી નાંખશો ને ક્રૂસે જડશો; કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરે નગરે તેઓની પાછળ પડશો, 35 તેથી ન્યાયી હાબેલને મારી નાંખવામાં આવ્યો તેનાથી માંડીને બારાખ્યાનાં દીકરા ઝખાર્યા જેને તમે મંદિર અને વેદીની વચ્ચે મારી નાંખ્યો, ત્યાં સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવશે. 36 હું તમને સાચે જ કહું છું, કે આ બધુ આ પેઢી પર આવશે.

37 "ઓ યરુશાલેમ! યરુશાલેમ! પ્રબોધકોને મારી નાંખનાર અને તમારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, મેં કેટલીવાર ઈચ્છયું કે જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે એકઠાં કરે છે, તેમ મેં પણ તારાં સંતાનો એકત્ર કરવા કેટલું બધું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ. 38 જુઓ તમારું ઘર તમારે સારું ઉજજડ મુકાયું છે. 39 તેથી હું તમને કહું છું કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે.’ એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-