1 જયારે ઈસુ આ બધું કહી રહ્યા પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, 2 "જેમ તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, ત્યારે માણસના દીકરાને ક્રૂસે જડાવવા સારું સોંપી દેવામાં આવશે."
3 પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો અને પ્રમુખયાજક જેનું નામ કાયાફાસ હતુ, તેના મહેલમાં ભેગા થયા. 4 કોઈ ન જાણે તેમ ઈસુની ધરપકડ કરીને તેમને મારી નાંખવાની યોજના તેઓએ ઘડી કાઢી. 5 પણ તેઓએ કહ્યું કે: "પર્વ દરમિયાન નહિ રખેને લોકોમાં હુલ્લડ ફાટી નીકળે."
6 જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીયાનાં ઘરમાં હતા, 7 ત્યારે અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને એક સ્ત્રી તેમની પાસે આવી, જયારે તેઓ જમવા બેઠા હતા, ત્યારે તેણે તેમના માથા પર તે રેડયું.
8 જયારે શિષ્યોએ તે જોયું, ત્યારે તેઓ રોષે ભરાઈને તેઓએ કહ્યું, "આ બગાડ શા માટે? 9 એ અત્તર મોટી કિંમતે વેચી શકાત અને નાણાં ગરીબોને આપી શકાત."
10 ઈસુએ તે જાણીને તેઓને કહ્યું, "તમે શા માટે આ સ્ત્રીની હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉત્તમ કાયઁ કર્યું છે. 11 ગરીબો હંમેશા તમારી સાથે રહેશે, પણ હું તમારી સાથે હંમેશા નથી. 12 જયારે તેણે આ અત્તર મારા શરીર પર રેડયું, તેણે મારા દફનની તૈયારી ને સારું એ કયુંઁ છે. 13 હું તમને સાચે જ કહું છું, જગતભરમાં જયાં કંઈ સુસમાચારનો પ્રચાર કરવામાં આવશે, ત્યાં તેણે જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે."
14 પછી બારમાંનો એક, કે જે યહૂદા ઇશ્કરિયોત કહેવાય છે, મુખ્ય યાજકોની પાસે ગયો. 15 અને કહ્યું, "હું તેમને તમારે સ્વાધીન કરૂ તો તમે મને શું આપવાં ઇચ્છો છો?" તેથી તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ગણી આપ્યા. 16 તે ઘડીથી તેણે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ શોધવાં લાગ્યો.
17 બેખમીર રોટલીનાં પર્વને પ્રથમ દિવસે, શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, "તમે પાસ્ખા ખાઓ માટે અમે તમારા માટે કયાં જઈને તૈયારી કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે?"
18 તેમણે જવાબ આપ્યો, "શહેરમાં જાઓ અને ફલાણાં માણસને એમ કહો, ‘ગુરુ કહે છે કે, મારો નિધાઁરિત સમય પાસે છે. હું મારાં શિષ્યોની સાથે તારા ઘરે પાસ્ખા પાળવાનો છું.’ " 19 તેથી ઈસુના કહ્યાં મુજબ શિષ્યોએ કર્યું, અને પાસ્ખાપવઁની તૈયારી કરી.
20 જયારે સાંજ પડી, ત્યારે ઈસુ બાર શિષ્યો સાથે મેજ પર બેઠાં હતા. 21 અને જયારે તેઓ જમતા હતા, ત્યારે તેમણે કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે, તમારાંમાંનો એક મને પરસ્વાધીન કરશે."
22 તેઓ ઘણા દુઃખી થયા અને એક પછી એક તેમને કહેવા લાગ્યા, "પ્રભુ, તમે ખરેખર મને કહેતા નથી?"
23 ઈસુએ જવાબ આપ્યો, "જે મારી સાથે વાટકામાં હાથ બોળે છે, તે જ મને પરસ્વાધીન કરશે. 24 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે, પણ જે માણસ માણસના દીકરાને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ! જો તે જન્મ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત."
25 ત્યારે તેમને પરસ્વાધીન કરનાર યહૂદાએ કહ્યું, "રાબ્બી, શું ખરેખર તમે મને તો નથી કહેતા?"
ઈસુએ જવાબ આપ્યો, "તેં એવું કહ્યું."
26 જયારે તેઓ ભોજન કરતા હતા, ઈસુએ રોટલી લીધી. અને આભાર માનીને, તેમણે તે તોડીને પોતાના શિષ્યોને આપી અને કહ્યું કે, "લો અને ખાઓ, આ મારું શરીર છે."
27 પછી તેમણે પ્યાલો લઈને, અને આભાર માનીને તેઓને આપીને કહ્યું કે, "તમે બધાં આમાંથી પીઓ, 28 આ કરારનુ મારું લોહી છે. જે ઘણા લોકો માટે પાપોની માફીને માટે તે વહેવડાવવામાં આવ્યું છે. 29 હું તમને કહું છું કે મારા પિતાનાં રાજ્યમાં તમારી સાથે નવો ન પીઉં ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષારસ પીનાર નથી."
30 પછી તેઓ ગીત ગાઈને તેઓ બહાર જૈતુનના પહાડ પર ગયા.
31 જયારે ઈસુએ તેઓને કહ્યું, "આજે રાત્રે મારા સંબંધી તમે ઠોકર ખાશો, કેમકે લખેલું છે:
" ‘હું ઘેટાંપાળકને મારીશ,
અને ટોળાનાં ઘેટાં વેરવિખેર થઈ જશે.’
32 પણ, મારા સજીવન થયા પછી, હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ."
33 પિતરે જવાબ આપ્યો, "જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય પણ હું કદી નહિ."
34 ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું, "મરઘો બોલે તે પહેલાં, આજ રાત્રે ત્રણ વાર, તું મારો નકાર કરીશ."
35 પણ પિતરે જાહેર કયુઁ, "જો કે તમારી સાથે મારે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ." બીજા બધા શિષ્યોએ પણ તે જ પ્રમાણે કહ્યું.
36 ત્યારે ઈસુ શિષ્યોની સાથે ગેથસેમાને કહેવાતી જગ્યાએ ગયા, અને તેમણે તેમને કહ્યું, "હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો." 37 તેઓએ પિતરને તથા ઝબદીના દીકરાને તેમની સાથે લીધા, અને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 ત્યારે તેમણે તેઓને કહ્યું, "મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો."
39 થોડેક દૂર જઈને, તેઓ જમીન પર ઊંધે મોંએ પડીને પ્રાર્થના કરી, "મારા પિતા, શકય હોય તો આ પ્યાલો મારાંથી દૂર થાય; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ."
40 જયારે તેઓ શિષ્યો પાસે પાછા આવ્યા ત્યારે તેઓને ઊંધતા જોયા. તેમણે પિતરને કહ્યું, "શું તું એક કલાક પણ મારી સાથે જાગતો રહી શકતો નથી! 41 જાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે."
42 બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, "મારા પિતા, જો આ પ્યાલો મારાં પીધા સિવાય લઈ લેવાય તેમ ન હોય તો તમારી ઈચ્છા પૂર્ણ થાઓ."
43 જયારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓને ફરીથી ઊંઘતા જોયા, કારણ કે તેઓની આંખો ભારે થઈ હતી. 44 તેથી તેઓને ફરીથી મુકીને દૂર ગયા અને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા પ્રાર્થના કરી.
45 પછી શિષ્યોની પાસે પાછા આવીને તેઓને કહ્યું, "હજું શું તમે ઊંઘ્યા કરો છો અને આરામ કરો છો? જુવો સમય આવી પહોંચ્યો છે! અને માણસનો દીકરો પાપીઓનાં હાથમાં સોંપી દેવામાં આવે છે! 46 ઊઠો! આપણે જઈએ, મને પરસ્વાઘીન કરનાર અહીં આવી પહોંચ્યો છે!"
47 તે બોલતા હતા એટલામાં બારમાંનો એક યહૂદા આવ્યો, અને તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી મોકલવામાં આવેલ મોટું ટોળું તરવારો અને લાઠીઓ લઇને આવી પહોંચ્યો. 48 હવે પરસ્વાઘીન કરનારે તેઓને નિશાની આપી હતી કે: "હું જેને ચુંબન કરું છું, તે માણસ છે, તેને પકડી લેજો." 49 આવતાંની સાથે જ ઈસુ પાસે જઈને યહુદાએ કહ્યું, સલામ, "ગુરુજી!" અને તેમને ચુંબન કર્યું.
50 ઈસુએ જવાબ આપ્યો,
"મિત્ર, તું જે કરવા માટે આવ્યો છે, તે કર." ત્યારે માણસોએ આગળ જઈને ઈસુને ઘેયાઁ અને પકડી લીધા. 51 તેની સાથે જ, ઈસુના સાથીઓમાંનો એકે તરવાર કાઢીને પ્રમુખ યાજકના નોકરને મારીને તેનો કાન કાપી નાંખ્યો.
52 ઈસુએ તેને કહ્યું, "તારી તરવાર તેની જગ્યાએ પાછી મુક! કેમકે જેટલા તરવાર ચલાવે છે, તેઓ તરવારથી માર્યા જશે. 53 શું તમે એવું વિચારો છો કે હું મારા પિતાને બોલાવી શકતો નથી, જો મારા પિતાની પાસે માગું તો તેઓ તરત જ દૂતોની બાર ફોજ કરતાં વધું મોકલી આપશે? 54 તો પછી શાસ્ત્રો જે કહે છે તે આ રીતે થવું જોઈએ, તે કેવી રીતે પરિપૂર્ણ થાય?"
55 તે વેળાએ ઈસુએ ટોળાને કહ્યું, "શું હું બળવાની આગેવાની કરી રહ્યો છું, કે મારી ધરપકડ કરવા તમે તરવારો અને લાકડીઓ લઈને આવ્યા છો? હું રોજ મંદિરનાં આંગણાંમાં બેસીને ઉપદેશ આપતો હતો! અને તમે મને પકડયો નહિ! 56 પરંતુ પ્રબોધકોના વચનો પરિપૂર્ણ થાય એટલા માટે આ બધું થયું છે." ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.
57 જેઓએ ઈસુને પકડયાં હતા તેઓ તેમને પ્રમુખયાજક કાયાફાની પાસે લઈ ગયા, જયાં નિયમશાસ્ત્રના પંડિતો અને આગેવાનો એકઠા થયા હતા. 58 પણ પિતર થોડે દૂર રહીને તેઓની પાછળ પ્રમુખયાજકની આંગણા સુધી ગયો. તે અંદર જઈને શું થશે તે જોવાને સિપાઈઓની સાથે બેસી ગયો.
59 ઈસુને મારી નાંખવાને મુખ્ય યાજકોએ અને આખી યહૂદી ન્યાયસભાએ ઈસુની વિરુદ્ધ જૂઠા સાક્ષીઓ શોધવાં લાગ્યાં, 60 જો કે ઘણાં જૂઠા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઇ ન મળી.
આખરે બે માણસો આગળ આવ્યા. 61 અને જાહેર કયુઁ, "આ માણસ કહેતો હતો, ‘હું ઈશ્વરના મંદિરને પાડી નાંખીને ત્રણ દિવસમાં ફરીથી બાંધવા સમર્થ છું.’ "
62 ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને ઈસુને કહ્યું, "શું તમે કંઇ જવાબ નથી આપતાં? આ માણસો તમારી વિરુદ્ધ શું સાક્ષી લાવે છે?" 63 પણ ઈસુ શાંત રહ્યા.
પ્રમુખ યાજકે તેમને કહ્યું, "જીવંત ઈશ્વરના નામે હું તને સમ દઇને પૂછું છું: જો તમે મસીહ, ઈશ્વરનો પુત્ર હો તો અમને કહો,"
64 ઈસુએ જવાબ આપ્યો, "તે એવું કહ્યું, પણ હું તમને બધાને કહું છું, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથે બિરાજેલો તથા આકાશના વાદળો પર આવતો નિહાળશે."
65 ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડયાં અને કહ્યું, "આ ઈશ્વર નિંદા છે! હવે આપણને અન્ય સાક્ષીની શી જરૂર છે? જુઓ, હવે તમે આ ઈશ્વર નિંદા સાંભળી છે. 66 હવે તમે શું વિચારો છો?"
તેઓએ જવાબ આપ્યો, કે તેઓ "મરણને યોગ્ય છે."
67 પછી તેઓએ તેમના મોં પર થૂંક્યાં, અને મુકકીઓ મારી, બીજાઓએ તેમને તમાચા માયાઁ, 68 અને કહ્યું "ઓ મસીહ! તમને કોણે માયુઁ, તે કહી બતાવ?"
69 હવે પિતર આંગણાંમાં બહાર બેઠો હતો, એક દાસી તેની પાસે આવી, તેણે પિતરને કહ્યું, "તું પણ ગાલીલના ઈસુની સાથે હતો ને?"
70 તેણે સહુની આગળ નકાર કયોઁ: તેણે કહ્યું "તું શું કહે છે તે હું જાણતો નથી."
71 પછી તે દરવાજા બહાર ગયો, ત્યાં બીજી એક દાસીએ તેને જોઇને, ત્યાં લોકોને કહ્યું, "આ માણસ નાઝરેથનાં ઈસુની સાથે હતો."
72 તેણે સમ ખાયને ફરીથી નકાર કયોઁ, "એ માણસને હું ઓળખતો નથી."
73 થોડીવાર પછી, ત્યાં ઊભેલા લોકોએ પિતર પાસે આવીને કહ્યું, "ખરેખર તું પણ તેઓમાંનો એક છે, તે તારી બોલી પરથી જણાઈ આવે છે."
74 ત્યારે તે શાપ દેવા અને સમ ખાવા લાગ્યો, તેણે કહ્યું, "હું તે માણસને ઓળખતો નથી!"
અને તરત જ મરઘો બોલ્યો. 75 પછી ઈસુએ પિતરને કહેલી વાત યાદ આવ્યું, "મરઘો બોલ્યા પહેલાં તું ત્રણ વાર મારો નકાર કરીશ." પછી તે બહાર જઈને બહુ રડયો.