1 પછી શેતાનથી ઈસુનું પરીક્ષણ થાય માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો. 2 ત્યાં ચાળીસ દિવસ અને ચાળીસ રાતના ઉપવાસ પછી તેમને ભૂખ લાગી, 3 તેમનું પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર છો, તો આ પથ્થરોને કહો કે તે રોટલી થઈ જાય."
4 ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."
5 પછી શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને તેમને મંદિરનાં સવોઁચ્ચ સ્થાન પર ઊભા રાખ્યા. 6 તેણે કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર છો, તો પોતાને નીચે પાડી નાખો, કારણ કે લખેલું છે કે,
" ‘ઈશ્વર પોતાના દૂતોને તમારા સંબંઘી આજ્ઞા કરશે ને
તેઓ તમને તેમના હાથોમાં ઊંચકી લેશે,
જેથી તમારો પગ પથ્થર સાથે અથડાય નહિ.’ "
7 ઈસુએ તેમને જવાબ આપ્યો, "એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરનુંં પરીક્ષણ કરવું નહિ."
8 ફરી શેતાન તેમને એક ઘણાં ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો અને દુનિયાનાં સર્વ રાજયો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યાં, 9 તેણે કહ્યું "જો તમે મારા પગે પડીને મારું ભજન કરશો તો આ સર્વ હું તમને આપીશ."
10 ઈસુએ તેને કહ્યું, "શેતાન! મારાથી દુર જા! કેમકે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કર, ને તેમની જ સેવા કર.’ "
11 પછી શેતાન ત્યાંથી ચાલ્યો ગયો અને દૂતોએ આવીને તેમની સેવા કરી.
12 જયારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પુરવામાં આવ્યો છે, ત્યારે તેઓ ગાલીલમાં પાછા ગયાં, 13 નાઝરેથને મુકીને તેઓ કપરનાહૂમ રહેવા ગયા, તેઓ ઝબૂલોન અને નફતાલીની નજીકનાં પ્રદેશમાં, ગાલીલના સરોવર પાસે હતું. 14 એ માટે યશાયા પ્રબોધક દ્ગારા જે કહ્યું હતું તે પૂર્ણ થાય:
15 "ઝબૂલોનનો પ્રદેશ, અને નફતાલીનો પ્રદેશ
સમુદ્રનો માગઁ, યર્દનની પેલે પાર,
ગાલીલમાં નાં વિદેશીઓ
16 જે લોકો અંધકારમાં રહે છે;
તેઓએ મોટું અજવાળું જોયું;
મરણ છાયાની ભૂમિ મા રહેતા લોકો પર
એક અજવાળું પ્રકાશયું."
17 તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, "પસ્તાવો કરો, કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે."
18 જયારે ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં હતા, તેમણે બે ભાઈઓને જોયા, સિમોન જે પિતર કહેવાય છે તથા તેના ભાઈ આન્દ્રિયાને. તેઓ સમુદ્રમાં જાળ નાખતા હતા, કેમકે તેઓ માછીમાર હતા. 19 ઈસુએ તેઓને કહ્યું, "મારી પાછળ ચાલો અને હું તમને માણસોના પકડનારા બનાવી બહાર મોકલીશ." 20 તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.
21 ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને જોયા, યાકોબ અને યોહાનને, તેઓના પિતા ઝબદી સાથે હતા, તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં તેઓની જાળો સાંધતા જોઈને ઈસુએ તેઓને બોલાવ્યાં. 22 તરત તેઓ હોડીને તથા તેમના પિતાને મૂકીને તેમની પાછળ ચાલી નીકળ્યાં.
23 ઈસુ સમગ્ર ગાલીલ પ્રદેશમાં ગયા, યહૂદી સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, સ્વર્ગના રાજ્યનો શુભસંદેશ આપતાં, અને લોકોમાં દરેક પ્રકારની બિમારી અને રોગ મટાડતા. 24 તેમના વિશેનાં સમાચાર આખા સિરીયામા ફેલાયા, લોકો બિમાર માણસોને, તમામ પ્રકારના રોગથી પીડાતાંઓને, અશુધ્ધ આત્મા વળગેલાંઓને, હિસ્ટીરીયા, અને લકવાનાં રોગીઓને ત્યાં લાવવામાં આવ્યા ને તેમણે તેઓને સાજાં કર્યાં. 25 મોટું ટોળું ગાલીલથી, દકાપોલિસથી, યરુશાલેમથી, આખા યહૂદિયામાંથી અને છેક યર્દન નદી પારનાં પ્રદેશોમાંથી તેમની પાછળ ગયું.