1 તે સમયે હેરોદ રાજાએ ઈસુ સંબંધી સાંભળ્યું, 2 અને તેણે તેના સેવકોને કહ્યું, "આ તો યોહાન બાપ્તિસ્ત છે; તે મરણમાંથી સજીવન થયો છે, તેથી તે આવાં ચમત્કારીક પરાક્રમી કામો તેનાથી થઈ રહ્યાં છે."
3 હવે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે યોહાનની ધરપકડ કરી અને તેને બાંધીને જેલમાં પૂર્યો હતો. 4 કેમકે યોહાન તેને કહ્યાં કરતો હતો કે, "તેને રાખવી તારા માટે યોગ્ય નથી." 5 હેરોદ યોહાનને મારી નાંખવા માંગતો હતો પણ લોકોથી તે બીતો હતો, કારણ કે તેઓ યોહાનને પ્રબોધક માનતા હતા.
6 હેરોદની વર્ષગાંઠે હેરોદિયાસની દીકરીએ મહેમાનોની માટે નૃત્ય કર્યું. ને હેરોદને પ્રસન્ન કયોઁ, 7 માટે તેણે સમ ખાઇને વચન આપ્યું કે જે કાંઇ તે માગે તે હું તેને આપીશ. 8 તેની માતાનાં સમજાવ્યાં પ્રમાણે તેણે કહ્યું, "યોહાન બાપ્તિસ્તનું માથું અહીં મને તાસકમાં આપો." 9 રાજા દુઃખી થયો, પણ પોતે આપેલા વચનને લીધે તથા આમંત્રિત મહેમાનોને લીધે તેની માંગણી પ્રમાણે આપવાનો હુકમ કર્યો. 10 અને જેલમાં યોહાનનું માથું કાપી નાંખવામાં આવ્યું, 11 અને તેનું માથું તાસકમાં મૂકીને છોકરીને આપવામાં આવ્યું અને તે પોતાની માં પાસે લઇ ગઇ. 12 યોહાનનાં શિષ્યો આવ્યા, અને તેના મૃતદેહને લઈ જઈને દફનાવ્યો. પછી તેઓ ગયા અને ઈસુને કહ્યું.
13 જયારે ઈસુએ જે બન્યું હતું તે સાંભળ્યું, તેઓ હોડીમાં ઉજજડ જગ્યાએ એકાંતમાં ગયા, આ વિષે સાંભળીને ટોળું નગરમાંથી પગ રસ્તે તેમની પાછળ ગયા. 14 જયારે ઈસુ ઉતયાઁ અને મોટું ટોળું જોયું, ત્યારે તેમને તેઓના પ્રત્યે કરુણા ઊપજી અને તેઓમાંના રોગીઓને સાજા કર્યા.
15 સાંજ પડી, ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "આ સ્થળ ઉજજડ છે, અને હવે ઘણું મોડું થઇ ગયું છે. ટોળાને વિદાય કરો, જેથી તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે."
16 ઈસુએ જવાબ આપ્યો, "તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો!"
17 તેઓએ જવાબ આપ્યો કે, અહીં અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.
18 તેમણે કહ્યું, "તે અહીં મારી પાસે લાવો." 19 અને તેણે લોકોને ઘાસ પર બેસી જવા જણાવ્યું. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો, અને રોટલી ભાંગી. પછી તેમણે તે શિષ્યોને આપીને શિષ્યોએ લોકોને આપી. 20 તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી. 21 સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જેઓ જમ્યાં તેઓ લગભગ પાંચ હજાર પુરુષો હતા.
22 ટોળાને વિદાય કયાઁ પછી તરત જ ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડીને સામે કિનારે તેમની આગળ મોકલ્યા, 23 તેઓને વિદાય કયાઁ પછી, તેઓ પોતે પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયા. તે મોડી રાત્રે તેઓ ત્યાં એકલા હતા. 24 અને હોડી પહેલેથીજ જમીનથી ઘણી દૂર હતી, પવન સામો હોવાને કારણે તોફાની મોજાંઓમાં સપડાઈ ગઈ હતી.
25 સવારના થોડા સમય પહેલાં સરોવર પર ચાલીને ઈસુ તેઓની પાસે જતા હતા. 26 જયારે શિષ્યોએ તેમને પાણી પર ચાલતાં જોઈને તેઓ બી ગયાં, તેઓએ કહ્યું "તે કોઈ ભૂત છે!" ને બીકથી તેઓએ બુમ પાડી.
27 પણ ઈસુએ તરત તેઓને કહ્યું, "ગભરાશો નહિ, હિંમત રાખો! એ તો હું છું!"
28 ત્યારે પિતરે તેમને જવાબ આપ્યો, "પ્રભુ! જો એ તમે હો, તો મને કહો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું."
29 તેમણે એ કહ્યું, "આવ!"
તેથી પિતર હોડીમાંથી ઊતરીને પાણી પર ચાલીને ઈસુની તરફ આવવાં લાગ્યો. 30 પણ જયારે તેણે પવન જોયો, ત્યારે તે ડરી ગયો અને ડુબવા લાગ્યો. ને બૂમ પાડી ઊઠયો, "પ્રભુ, મને બચાવો!"
31 તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેમણે કહ્યું, "ઓ અલ્પવિશ્વાસી! તેં કેમ સંદેહ આણ્યો?"
32 અને જયારે તેઓ હોડીમાં ચઢી ગયા, પવન શાંત થઈ ગયો. 33 અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમની આરાધના કરી, કહ્યું, "સાચે જ તમે ઈશ્વરપુત્ર છો."
34 અને તેઓ પાર ઉતયાઁ ને તેઓ ગન્નેસરેત આવ્યા. 35 અને જયારે તે જગ્યાં ના માણસોએ ઈસુને ઓળખ્યાં, ત્યારે તેઓએ આસપાસના બધા દેશોમાં સમાચાર મોકલ્યાં. લોકો તેમના બધા માંદાઓને તેમની પાસે લાવ્યા. 36 અને તેમને વિનંતી કરી કે તેમના ઝભ્ભાની કીનારીને કેવળ સ્પર્શ કરવા દે. અને જેટલાંએ સ્પર્શ કયોઁ તેટલાં સાજા થયાં.