1 ભાઈઓ અને બહેનો, જો કોઈ ભાઈ પાપ કરતાં પકડાય તો, તમે જેઓ આત્મિક છો તેઓએ નમ્રતાથી તેને પાછો લાવવો, નહિ તો તમે પણ પરિક્ષણમાં પડશો. 2 એકબીજાનો ભાર ઊંચકો, અને એમ મસીહનો નિયમ સંપૂણઁ પાળશો. 3 જો કોઈ પોતે કંઈ ન હોવા છતાં પોતે કંઈક છે એવું માનનાર પોતાની જાતને છેતરે છે. 4 દરેકે પોતાનાં કામ તપાસી જોવાં. બીજા કોઈ સાથે પોતાની સરખામણી કયાઁ વિના, તો પોતાના વિષે અભિમાન કરવાનું કારણ મળશે. 5 કેમકે પ્રત્યેક વ્યકિતએ પોતાનો બોજો ઊંચકવાનો છે. 6 તે છતાં, જેઓ ઈશ્વરનાં વચનોનું શિક્ષણ લે છે, તેઓએ તેમના શિક્ષકો સાથે દરેક સારા વાનાનો હિસ્સો આપવો.
7 છેતરાઈ ન જાઓ: ઈશ્વરની મશ્કરી કરાય નહિ. કેમકે માણસ પોતે જેવું વાવે છે તેવું જ તે લણશે. 8 જે કોઈ પોતાના દેહને ખુશ કરવા માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; જે કોઈ આત્માને ખુશ કરવા માટે વાવશે, તે અનંતજીવન લણશે. 9 તો સારું કરતાં આપણે થાકવું જોઈએ નહિ, કેમકે જો આપણે હિંમત ન હારીએ તો યોગ્ય સમયે ફસલ લણીશું. 10 આથી, જેમ આપણને તક મળે તેમ આપણે સવઁનું ભલું કરીએ, ખાસ કરીને વિશ્વાસનાં કુટુંબના છે તેઓનું.
11 જુઓ, હું કેટલાં મોટાં અક્ષરોમાં મારા પોતાના હસ્તે તમને લખું છું!
12 જેઓ દેહ વિશે લોકોને પ્રભાવિત કરવા માંગે છે, તેઓ તમને સુન્નત કરાવવા દબાણ કરે છે, કારણ કે તેઓ મસીહના ક્રૂસને લીધે તેમની સતાવણી ન થાય માટે તેમ કરે છે. 13 કેમકે જેઓ સુન્નત કરાવનારાઓ પણ નિયમોનું પાલન કરતા નથી, પણ તેઓ ઈચ્છે છે કે તમે સુન્નત કરાવો જેથી તેઓ તમારી સુન્નત વિશે દેહમાં અભિમાન કરે. 14 પણ આપણા પ્રભુ ઈસુ મસીહના ક્રૂસ સિવાય હું બીજા કશાંમાં અભિમાન ન કરું, જેના દ્રારા મારા માટે જગત ક્રૂસે જડાયેલું છે અને જગત માટે હું. 15 સુન્નત કંઈ નથી કે બેસુન્નત કંઈ નથી; નવી ઉત્પતિ જ મુખ્ય છે. 16 જેઓ આ સિધ્ધાંત અનુસાર ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયેલ પર દયા અને શાંતિ હો.
17 હવે પછી, કોઈ મને તકલીફ ન આપે કેમકે મારા શરીર પર ઈસુના ઘાનાં ચિન્હોનું નિશાન છે.
18 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.