1 મારી ઇચ્છા છે કે તમે એ જાણો કે, તમારે માટે લાઓદિકિયામાંની મંડળી માટે, અને જેઓ મને અંગત રીતે મળ્યાં નથી તેઓને માટે હું કેટલો બધો પરિશ્રમ કરું છું. 2 મારો ધ્યેય એ છે કે તેઓના હ્રદયમાં દિલાસો પામે અને એક પ્રેમમાં જોડાયેલાં રહે, જેથી તેઓ સંપૂણઁ સમજણને પ્રાપ્ત કરે ને તેઓ ઇશ્વરનાં એટલે મસીહનાં મમઁ જાણી શકે. 3 તેમનામાં સર્વ જ્ઞાન અને બુધ્ધિનો અખૂટ ભંડાર સમાયેલો છે. 4 કોઈ મીઠી મીઠી વાતો કરીને તમને ભરમાવી ન જાય માટે હું તમને આ બધું કહું છું. 5 કેમકે હું શરીરે તમારાથી દુર છું પણ આત્મામાં તમારી સાથે છું, અને તમે કેટલાં શિસ્તબધ્ધ છો તથા મસીહમાં તમારો વિશ્વાસ કેટલો દ્રઢ છે તે જોઇને મને આનંદ થાય છે.
6 તો જેમ, તમે મસીહ ઈસુને પ્રભુ તરીકે સ્વીકાયાઁ, તેમ તેમનામાં તમારા જીવન જીવતાં રહો, 7 અને તેમનામાં જડ ઘાલેલા તથા સ્થપાયેલા થઇને, તથા મળેલાં શિક્ષણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને આભારસ્તુતિથી ભરપૂર થાઓ.
8 સાવધ રહો, કે કોઈ તમને ખોટા અને છેતરપિંડી ભયાઁ ફિલસુફીઓ દ્રારા ન ફસાવે, જે મસીહ પર નહિ, પણ મનુષ્યના સંપ્રદાય પ્રમાણે અને આ જગતના મૂળભૂત આત્મિક પરિબળો પર આધારીત છે.
9 કેમકે મસીહમાં દેવત્વની સંપૂર્ણતા રહેલી છે. 10 અને મસીહમાં તમે સર્વસંપન્ન છો. તેઓ સર્વોચ્ચ અધિકારી તથા સત્તાઓ તેમની હકૂમત હેઠળ છે. 11 તેમનામાં તમે સુન્નતિ થયા જે સુન્નત માણસોના હાથે કરેલી નથી. મસીહ દ્રારા તમારી સુન્નત કરવામાં આવી ત્યારે શરીર દ્રારા સંચાલિત સંપૂણઁ સ્વભાવને દૂર કરવામાં આવ્યો હતો. 12 તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા અને ઈશ્વરે જેને મૂએલામાંથી ઉઠાડયા, તેમના કાયઁમાં તમારા વિશ્વાસ દ્રારા તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા.
13 જયારે તમે તમારા પાપોમાં અને તમારા દેહની બેસુન્નતમાં મૂએલા હતા, ત્યારે ઈશ્વરે તમને મસીહ સાથે સજીવન કયાઁ. તેમણે આપણા બધા પાપો માફ કયાઁ, 14 અને વિધિઓનું ખત જે આપણી વિરુધ્ધ હતું તે રદ કયુઁ અને આપણને દોષિત ઠેરવતું હતું, તેને ક્રૂસ પર ખિલ્લા મારીને દૂર કયાઁ છે. 15 અને સત્તા અને અધિકારીઓને નિઃશસ્ત્ર કરીને, તેમણે તેમને જાહેરમાં ઉઘાડાં પાડયા, અને ક્રૂસ દ્રારા તેઓ પર વિજય મેળવ્યો.
16 તેથી, કોઇ પણ વ્યકિત તમારા ખાવાપીવા કે તહેવારો, ચંદ્ર, કે સાબ્બાથવારના દિવસને ધ્યાનમાં રાખીને તમારો ન્યાય ન કરે. 17 આ તો આવનારી બાબતોનો પડછાયો છે; પણ વાસ્તવિકતા તો મસીહમાં જોવા મળે છે. 18 જે કોઇ ખોટી નમ્રતા અને દૂતોની આરાધનામાં આનંદ માણે છે, તે તમને અયોગ્ય ન ઠરાવે. આવી વ્યકિત તેણે જે જોયું છે તેના વિષે પણ ખૂબ વિગતવાર વાત કરે છે, તે પોતાના અધમીઁ મનથી ફુલાય જય છે. 19 તેઓ શિરની સાથે જોડાયેલાં નથી, પણ જેનાથી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઇશ્વરથી વૃધ્ધિ પામે છે.
20 જયારે તમે મસીહની સાથે જગતનાં તત્વો સંબંધી મૂઆ, તો પછી જગતમાં જીવનારાની પેઠે વિધિઓને આધીન કેમ થાઓ છો? 21 "જેમ કે અમુક ખોરાકને ખાવો નહિ! કે તેને અડકવો નહિ! ચાખવો નહિ!" 22 એ સઘળાં વાનાં વપરાશથી જ નાશ પામનારાં છે, એ વિધિઓ તો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે. 23 તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દેહદમન વિષે જ્ઞાનનો આભાસ તો છે જ, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઇ રીતે શરીરને ઉપયોગી નથી.