1 ઈશ્વરની ઇચ્છાથી, અને મસીહ ઈસુનો પ્રેષિત પાઉલ અને આપણા ભાઈ તિમોથી તરફથી,
2 કલોસ્સેમાં રહેતાં ઈશ્વરના પવિત્ર લોકો, મસીહમાં વિશ્વાસુ ભાઈઓ અને બહેનોને,
આપણા ઈશ્વર પિતા તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ.
3 અમે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે હંમેશાં આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા ઈશ્વરનો આભાર માનીએ છીએ, 4 કેમકે અમે મસીહ ઈસુમાં તમારા વિશ્વાસ અને ઈશ્વરના લોકો માટે તમારા પ્રેમ વિશે અમે સાંભળ્યું છે. 5 વિશ્વાસ અને પ્રેમ જે આકાશમાં તમારા માટે રાખી મૂકેલ આશા છે અને તે વિશે તમે સુસમાચારના સત્ય વિશે સંદેશમાં પહેલેથી સાંભળ્યું છે. 6 જે તમારી પાસે આવી છે તેવીજ રીતે, તે સુસમાચાર આખા જગતમાં ફળ આપે છે તથા વધે છે, જે દિવસે તમે ઇશ્વરનો સંદેશો સાંભળ્યો, તથા સત્યમાં તેમની કૃપા વિશે સમજ્યાં. 7 તમે અમારા અતિ પ્રિય સાથી, એપાફ્રાસ પાસેથી શીખ્યા, જે અમારા માટે મસીહનો વિશ્વાસુ સેવક છે, 8 આત્મામાં તમારો જે પ્રેમ છે તે વિશે પણ તેણે અમને કહ્યું.
9 તમારાં વિશે સાંભળ્યું, તે દિવસથી અમે તમારે માટે પ્રાર્થના કરવાનું બંધ કયુઁ નથી, અમે સતત પ્રાથઁના કરીએ છીએ કે ઈશ્વર તમને આત્મા દ્રારા આપવામાં આવતી બધી બુધ્ધિ અને સમજણ દ્રારા તેમની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર કરે, 10 જેથી તમે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય જીવન જીવો. અને સવઁ સારા કામામાં ફળ આપો, અને ઇશ્વરના જ્ઞાનમાં વધતાં જાઓ, 11 અને તેમના મહિમાવંત સામર્થ્યથી ભરપૂર થાઓ. જેથી તમે પૂણઁ ધીરજ અને સહનશીલતા ધરાવો, 12 અને પિતાનો આભાર માનો, કે જેણે આપણને પ્રકાશનાં રાજ્યના પોતાના પવિત્ર લોકોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યાં છે. 13 કારણ કે તેમણે આપણને અંધકારના રાજ્યમાંથી છોડાવીને તેમના પ્રિય પુત્રનાં રાજ્યમાં લાવ્યાં છે. 14 તેમનામાં આપણને ઉધ્ધાર, એટલે પાપોની માફી છે.
15 દીકરો તો અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા છે, સવઁ સૃષ્ટિનો પ્રથમજનિત. 16 તેમનામાં સઘળું ઉત્પન્ન થયું: આકાશમાં અને પૃથ્વી પર જે કાંઈ છે: દ્રશ્ય તથા અદ્રશ્ય, રાજ્યાસનો કે રાજ્યો, શાસકો અને સત્તાધીશો સવઁ તેમના દ્રારા તથા તેમને માટે ઉત્પન્ન થયા. 17 તે સવઁ વસ્તુઓ કરતા અગાઉથી છે, અને તેમનામાં સઘળું વ્યવસ્થિત એક સાથે ટકી રહે છે. 18 અને તે શરીરનું એટલે કે મંડળીનું શિર છે, તેમણે શરૂઆત અને મૃત્યુ પામેલાંઓમાં પ્રથમજનિત છે, જેથી તે સવઁ બાબતમાં સવોઁપરી બને. 19 કેમકે તેમનામાં સવઁ પ્રકારની સંપૂણઁતા રહે એમ ઇશ્વરને પસંદ પડ્યું. 20 અને તેમના દ્રારા ક્રૂસ પર વહેવડાવેલાં તેમના લોહીથી શાંતિ કરાવીને, તેમના દ્રારા તે પોતાની સાથે સવઁનું સમાધાન કરાવે; પછી તે આકાશમાંના હોય કે પૃથ્વી પરનાં હોય.
21 તમે એક સમયે ઈશ્વરથી ખૂબ દૂર હતા અને દુષ્ટ વતઁનથી તમારા મનમાં તેમના દુશ્મનો હતા. 22 પરંતુ હવે તેમણે મસીહના શારીરિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે, જેથી તમને તેમની હજૂરમાં પવિત્ર, નિર્દોષ, અને દોષરહિત રજૂ કરે, 23 જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો, અને જે સુસમાચાર તમે સાંભળ્યા છે, તેની આશામાંથી જો ચલિત ન થાઓ તો, એ સુસમાચાર આકાશ નીચેનાં સવઁ પ્રાણીઓને પ્રગટ કરવામાં આવી છે, અને હું પાઉલ તેનો સેવક છું.
24 હવે હું તમારા માટે જે દુઃખ સહન કરું છું તેમાં હું આનંદ પામું છું, અને મસીહના શરીર એટલે કે મંડળી માટે, સંકટોમાંની જે ન્યૂનતા હોય તે મારા શરીર દ્રારા પૂરી કરું છું. 25 ઈશ્વરની વાત સંપૂણઁ રીતે પ્રગટ કરવાને, ઈશ્વરે મને આપેલા કાયઁ વડે, હું તેમનો સેવક બન્યો છું. 26 તે મમઁ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખી મૂકયું હતું, પણ હાલ પ્રભુના લોકોને પ્રગટ કર્યું છે. 27 વિદેશીઓમાં તે મમઁના મહિમાની સંપત શી છે તે ઈશ્વરે તેઓને જણાવવાં ચાહ્યું, એટલે મસીહ, જે તમારામાં છે, એટલે મહિમાની આશા છે.
28 આપણે બધાંને મસીહમાં સંપૂણઁ રીતે પરિપકવ થયેલા રજૂ કરવા માટે અમે તેમની વાત પ્રગટ કરી છીએ, અને દરેકને સવઁ પ્રકારના જ્ઞાનથી શિખામણ અને શિક્ષણ આપીએ છીએ. 29 આ માટે હું મસીહ મારાંમાં જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે સખત મહેનત કરું છું.