1 નિયમશાસ્ત્ર તો આવનાર સારી બાબતોનો ફક્ત પડછાયો છે, વાસ્તવિકતાનો નહિ, માટે વષોઁવષઁ થતા એક જ બલિદાનોથી, આરાધના માટે ત્યાં આવનારા લોકોને તે સંપૂણઁ કરવાને કદી સમથઁ ન હતું. 2 જો, એમ હોત, તો તેઓનું અપઁણ કરવાનું શું બંધ ન થયું હોત? કેમકે આરાધના કરનારાઓ એક જ વાર શુધ્ધ થયા હોત, અને પાપને કારણે તેમને દોષ ન લાગત. 3 પરંતુ એ બલિદાનો દર વરસે પાપોની યાદ તાજી કરાવે છે. 4 કારણ કે બળદો અને બકરાનું લોહી પાપ દૂર કરવાને સમર્થ નથી.
5 તેથી મસીહ જયારે જગતમાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું:
"તમે બલિદાન અને અપઁણની ઇચ્છા રાખી ન હતી,
પણ મારા માટે શરીર તૈયાર કયુઁ છે;
6 દહનાપઁણ અને પાપાથાઁપણઁથી
તમે પ્રસન્ન ન હતા.
7 ત્યારે મેં કહ્યું, ‘હું અહીં છું, ઓળિયામાં મારા વિશે લખેલું છે,
મારા ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવાને માટે હું આવ્યો છું.’ "
8 પહેલાં તેમણે કહ્યું, "બલિદાનો અને અર્પણો, તથા દહનાર્પણો, પાપાથાઁપણો તમે ઇચ્છતા ન હતા, અને તમે તેનાથી પ્રસન્ન પણ ન હતા," જો કે તે નિયમશાસ્ત્રના પ્રમાણે કરવામાં આવતા હતાં. 9 પછી તેમણે કહ્યું, "હું આ રહ્યો તમારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું." આમ બીજાને સ્થાપવા સારું પહેલાને તેઓ રદ કરે છે. 10 અને એ ઇચ્છાથી, ઈસુ મસીહના શરીરનું એક જ વાર અપઁણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
11 દરેક યાજક દરરોજ ઊભા રહીને સેવા કરતા, અને એ જ અપઁણ વારંવાર આપતાં ઊભા રહે છે, પરંતુ તે કદી પાપોને દૂર કરી શકતા નથી. 12 પણ જયારે આ યાજકે પાપોને માટે એક જ વાર બલિદાન આપ્યું છે અને તેઓ ઈશ્વરની જમણી બાજુએ બિરાજ્યા છે, 13 ત્યારથી તે તેમના શત્રુઓને તેમનું પાયાસન કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. 14 જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને એક જ બલિદાનથી સદાને માટે સંપૂર્ણ કર્યા છે.
15 આ વિશે પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે. પ્રથમ તેમણે કહ્યું:
16 "પ્રભુ કહે છે કે, તે સમય પછી, આ મારો કરાર હું તેમની સાથે સ્થાપન કરીશ.
મારા નિયમો હું તેઓના હ્રદયમાં મૂકીશ,
હું તેઓનાં હદયપટ પર લખીશ."
17 વધુમાં તે કહે છે,
"તેઓનાં પાપ તથા દુષ્કર્મો હું
ફરી કદી સ્મરણ કરીશ નહિ."
18 અને જયારે બધી બાબતો માફ થઈ છે, ત્યાં પાપને સારું અન્ય કોઈ બલિદાનની જરૂર રહેતી નથી.
19 તેથી ભાઈઓ અને બહેનો, ઈસુના રક્તથી આપણને પરમપવિત્રસ્થાનમાં પ્રવેશી શકીએ છીએ. 20 કેમકે પોતાના શરીરરૂપી પડદામાં થઈને તેમણે આપણે માટે નવો અને જીવનદાયી માર્ગ ખોલી નાંખ્યો છે, 21 અને આપણી પાસે ઈશ્વરના ઘર ઉપર એક મોટા યાજક છે. 22 તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિમઁળ પાણીથી શરીરને ધોઈને આપણે ખરાં હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વર પાસે જઈએ. 23 આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમકે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે; 24 અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા પરસ્પર ઉતેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. 25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ, પરંતુ એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દિવસ પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.
26 સત્યનું જ્ઞાન થયા પછી પણ જો આપણે પાપમાં જીવવાનું ચાલુ રાખીએ તો તે પાપનાં નિવારણ માટે બીજું બલિદાન છે જ નહિ, 27 પણ ન્યાયની ભયંકર અપેક્ષા તથા શત્રુઓને ભસ્મ કરી નાંખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 28 જો કોઈ મોશેનાં નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓથી પૂરવાર થાય તો તેને મરણની સજા થતી. 29 તો પછી ઈશ્વરપુત્રને પગ નીચે કચડનાર, કરારના રકતથી પવિત્ર થયો હતો તેને અશુધ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કયુઁ છે તે કેટલી ભયંકર સજાને પાત્ર થશે તેનો વિચાર કરો. 30 "બદલો લેવાનું કામ મારું છે; હું બદલો વાળી આપીશ" અને ફરી "પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે." એમ જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. 31 જીવતાં ઈશ્વરના હાથમાં પડવું તે ભયંકર છે.
32 પણ પૂવઁના દિવસોનું સ્મરણ કરો, તે સમયે તમે પ્રકાશિત થયા પછી, જાણે તમે દુઃખોથી ભરપૂર ભારે સંઘષઁ સહન કયોઁ. 33 કયારેક તમને જાહેરમાં અપમાન અને સતાવણીનો સામનો કરવો પડ્યો; તો કયારેક તમે એવા લોકોની પડખે ઊભા રહ્યા જેમની સાથે આવું વતઁન કરવામાં આવ્યું. 34 જેઓ જેલમાં હતા તેઓનાં દુઃખોમાં તમે સહાનુભૂતિ દર્શાવી, તમારી માલમિલકત પડાવી લેવામાં આવી ત્યારે પણ તમે આનંદથી તે સહન કયુઁ, કારણ કે સ્વર્ગનાં ઉત્તમ તથા સાર્વકાલિક વાનાંનો વારસો તમે પામવાનાં છો એવી તમને ખાતરી હતી. 35 પછી તમારા વિશ્વાસનો મોટો બદલો જે તમને મળવાનો છે, તેને નાંખી ન દો.
36 ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વત્યાઁ પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. 37 કેમકે, "થોડા સમય પછી,
જે આવે છે તે જલ્દી આવશે,
અને વિલંબ નહિ કરે."
38 અને,
"પણ મારો ન્યાયી વિશ્વાસથી જીવશે.
જો તે પાછો હઠી જાય
તો તેથી મને આનંદ થશે નહિ."
39 પરંતુ આપણે પાછા હઠી જનારામાંનાં નાશ પામનાર લોકો જેવા નથી, પણ જેમને વિશ્વાસ અને તારણ છે તેમના જેવા છે.