1 પ્રાથઁના કરી રહ્યા પછી ઈસુ તેમના શિષ્યો સાથે કિંદ્રોન ખીણને પેલે પાર ગયા. તેની બીજી બાજુ એક વાડી હતી, જેમાં તે તથા તેમના શિષ્યો સાથે ગયા.
2 હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા, તે જગ્યા જાણતો હતો, કેમકે ઈસુ ઘણીવાર તેમના શિષ્યો સાથે ત્યાં ગયા હતા. 3 તેથી યહૂદા વાડીમાં પોતાની સાથે સૈનિકો ટુકડી લઇને અને મુખ્ય યાજકો અને ફરોશીઓના કેટલાક અધિકારીઓને લઇને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને હથિયારો લઈને આવી પહોંચ્યા.
4 ઈસુ, પોતાની સાથે શું થવાનું છે તે બધુ જાણતા હોવાથી, બહાર ગયા અને તેઓને પૂછયું, "તમે કોને શોધો છો?"
5 તેઓએ જવાબ આપ્યો, "નાઝરેથના ઈસુને."
ઈસુએ કહ્યું, "હું જ તે છું." (અને યહૂદા જે દગો આપનાર હતો, તે પણ તેમની સાથે ઊભો હતો.) 6 જયારે ઈસુએ કહ્યું, હું તે છું તેઓ પાછા હઠયા અને જમીન પર પડી ગયા.
7 ફરીથી તેમણે તેમને પૂછયું, "તમે કોને શોધી રહ્યા છો?"
તેઓએ જવાબ આપ્યો, "નાઝરેથના ઈસુને."
8 ઈસુએ જવાબ આપ્યો, "મેં તમને કહ્યું કે, હું તે છું. જો તમે મને જ શોધી રહ્યા છો, તો આ માણસોને જવા દો." 9 આ એટલા માટે બન્યું કે જે શબ્દો તેમણે કહ્યા હતા તે પૂણઁ થાય: "તમે મને જે આપ્યા છે તેમાંથી એકને પણ મેં ગુમાવ્યું નથી."
10 ત્યારે સિમોન પિતરે, જેની પાસે તરવાર હતી, તેણે તે કાઢી અને પ્રમુખ યાજકના નોકરને મારીને તેનો જમણો કાન કાપી નાંખ્યો. (તે નોકરનું નામ માલ્ખસ હતું.)
11 ઈસુએ પિતરને આજ્ઞા કરી, "તારી તરવાર મ્યાનમાં પાછી મુકી દે! પિતાએ જે પ્યાલો મને આપ્યો છે તે શું હું ના પીઉં?"
12 પછી સૈનિકોની ટુકડી, તેના સેનાપતિ અને યહૂદી અધિકારીઓએ ઈસુને પકડયા અને તેમને બાંધ્યા. 13 પ્રથમ તેઓ તેમને કાયાફાના સસરા અન્નાસ પાસે લઈ ગયા, કાયાફા તે વર્ષે પ્રમુખયાજક હતા. 14 કાયાફા એ જ હતા જેમણે યહૂદી આગેવાનોને સલાહ આપી હતી કે લોકો માટે એક માણસ મરે તે સારું રહેશે.
15 સિમોન પિતર અને બીજો શિષ્ય ઈસુની પાછળ ગયા. કરણ કે આ શિષ્ય પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે ઈસુની સાથે પ્રમુખ યાજકના આંગણાંમાં ગયો, 16 પરંતુ પિતર દરવાજા બહાર રાહ જોતો હતો. બીજો શિષ્ય, જે પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે પાછો આવ્યો, ત્યાં ફરજ બજાવતી દાસી સાથે વાત કરી અને પિતરને અંદર લઇ લીધો.
17 તેણે પિતરને પૂછયું, "શું તું પણ આ માણસના શિષ્યોમાંનો એક છે?"
તેણે જવાબ આપ્યો, "હું નથી."
18 ઠંડી હતી, અને નોકર અને અધિકારીઓ ગરમી માટે અગ્નિ સળગાવતા તેની આજુબાજુ ઊભા હતા. પિતર પણ તેઓની સાથે ઊભો રહીને, તાપતો હતો.
19 તે દરમિયાન, પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિશે તથા તેમના ઉપદેશ વિશે પ્રશ્નો કર્યા.
20 ઈસુએ જવાબ આપ્યો, "મેં જગતને ખુલ્લેઆમ બોલ્યો છું, હું સભાસ્થાનમાં અને મંદિરમાં નિત્ય ઉપદેશ કરતો હતો, જ્યાં યહૂદી આગેવાનો એકઠાં થાય છે. હું ગુપ્તમાં કંઇ બોલ્યો નથી. 21 મને શા માટે પ્રશ્ન પૂછો છો? જેઓએ મારું સાંભળ્યું છે તેઓને પૂછો. હું જે બોલ્યો છું તે તેઓ ચોક્કસ જાણે છે."
22 જયારે ઈસુએ એમ કહ્યું, ત્યારે નજીકમાં રહેલા એક અધિકારીએ તેમના મોં પર તમાચો માયોઁ ને કહ્યું, "શું તું પ્રમુખ યાજકને આવી રીતે જવાબ આપે છે?"
23 ઈસુએ જવાબ આપ્યો, "જો મેં ખોટું કહ્યું હોય, તો શું ખોટું છે તે સાબિત કર. પણ જો મેં સાચું કહ્યું, તો પછી તમે મને કેમ માયોઁ?" 24 પછી અન્નાસે તેમને, પ્રમુખયાજક કાયાફા પાસે મોકલી આપ્યા.
25 તે દરમિયાન, સિમોન પિતર ત્યાં ઉભો રહીને તાપતો હતો. તેઓએ તેને પૂછયું, "શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?"
તેણે નકાર કરીને કહ્યું, "હું નથી."
26 પરંતુ પિતરે જેનો કાન કાપી નાખ્યો હતો તેનો એક, સગો પ્રમુખ યાજકના ઘરનો નોકર હતો, તેણે તેને કહ્યું, "શું મેં તને વાડીમાં તેની સાથે ન હતો જોયો?" 27 પિતરે ફરીથી નકાર કયોઁ અને તે જ ઘડીએ મરઘો બોલવા લાગ્યો.
28 પછી યહૂદી આગેવાનો ઈસુને કાયાફા પાસેથી રોમન રાજ્યપાલના મહેલમાં લઇ ગયા. વહેલી સવાર થઈ હતી. અને તેઓ ધામિઁક અશુધ્ધતા ટાળવા માટે મહેલમાં પ્રવેશ્યા નહિ કારણ કે તેઓ પાસ્ખા ખાવા માંગતા હતાં. 29 તેથી પિલાતે બહાર આવીને તેઓને પૂછયું, "આ માણસની વિરુધ્ધ તમે શો આરોપ મૂકો છો?"
30 તેઓએ જવાબ આપ્યો, "જો એ ગુનેગાર ના હોત તો અમે તેને તમને સોંપત નહિ."
31 પિલાતે કહ્યું, "તેને તમે લઈ જાઓ અને તમારાં નિયમ પ્રમાણે તમે પોતે જ તેનો ન્યાય કરો."
તેઓએ વાંધો ઉઠાવ્યો, "પરંતુ અમને કોઇને પણ મૃત્યુદંડ આપવાનો અધિકાર નથી." 32 ઈસુએ પોતાના મૃત્યુ વિશે જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બન્યું.
33 પછી પિલાત મહેલમાં પાછો ગયો ઈસુને બોલાવીને તેને પૂછયું, "શું તું યહૂદીઓનો રાજા છે?"
34 ઈસુએ પૂછયું, "શું આ તમારા પોતાના વિચાર છે? કે બીજા કોઈએ મારે વિશે તમને કહ્યું છે?"
35 પિલાતે જવાબ આપ્યો, "શું હું યહૂદી છું? તારા પોતાના જ લોકો અને મુખ્ય યાજકોએ તને મને સોંપ્યો છે. શા માટે? તેં એવું શું કર્યું છે?"
36 ઈસુએ જવાબ આપ્યો, "મારું રાજ્ય આ જગતનું નથી. જો તે હોત, તો યહૂદી આગેવાનોએ મને પકડયો ત્યારે મારા સેવકોએ રોકવા માટે લડાઈ કરી હોત; પરંતુ હવે મારું રાજ્ય બીજી જગ્યાનું છે."
37 પિલાતે કહ્યું, "તો પછી તું રાજા છે?"
ઈસુએ જવાબ આપ્યો, "તું કહે છે કે હું રાજા છું, એ માટે હું જન્મ્યો છું અને જગતમાં સત્ય વિશે સાક્ષી આપવાને આવ્યો છું. જે કોઇ સત્યનાં પક્ષનો છે તે મારું સાંભળે છે."
38 પિલાતે પૂછયું, "સત્ય શું છે?" એમ કહી ફરીથી તે ત્યાં ભેગાં થયેલા યહૂદીઓને સમજાવવા બહાર ગયો. "અને કહ્યું મને તેનામાં કોઇ ગુનો દેખાતો નથી. 39 વળી તમારાં રિવાજ પ્રમાણે પાસ્ખાપર્વના સમયે હું તમારે માટે એક બંદિવાનને છોડી દઉ. શું તમે ઇચ્છો છો કે હું ‘યહૂદીઓનાં રાજા’ ને છોડી દઉ."
40 તેઓએ પાછી બૂમો પાડી, "ના, એને નહિ! અમને બારાબાસ આપો!" હવે બારાબાસે એક બળવામા ભાગ લીધો હતો.