1 હવે લાઝરસ નામનો એક માણસ બિમાર હતો. તે મરિયમ અને તેની બહેન માર્થાનાં ગામ બેથાનિયા નો હતો. 2 આ એ જ મરિયમ હતી, જેણે પ્રભુના પગ પર અતિમૂલ્યવાન અત્તર રેડીને પોતાના વાળથી તે લૂંછયા હતા. હવે તેનો ભાઈ લાઝરસ માંદો પડયો. 3 તેથી બહેનોએ ઈસુ પર ખબર મોકલાવી, "પ્રભુ, જેને તમે પ્રેમ કરો છો તે માંદો છે."
4 જયારે તેમણે આ સાંભળ્યું ત્યારે ઈસુએ કહ્યું, "મરણ થાય એવી આ માંદગી નથી, પણ તે ઈશ્વરના મહિમાને માટે છે, તેથી ઈશ્વર પુત્રનો મહિમા થાય." 5 હવે ઈસુ માર્થા તથા તેની બહેન અને લાઝરસ પર પ્રેમ રાખતાં હતા. 6 તેથી જયારે ઈસુએ સાંભળ્યું કે લાઝરસ બિમાર છે ત્યારે તે જયાં હતા ત્યાં બે દિવસ વધારે રહ્યા. 7 અને ત્યાર પછી તેના શિષ્યોને કહ્યું, "ચાલો, આપણે પાછા યહૂદિયા જઈએ."
8 તેઓએ કહ્યું, પણ "રાબ્બી, હજી થોડા સમય પહેલાં જ યહૂદીઓએ તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા, અને તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?"
9 ઈસુએ જવાબ આપ્યો, "દિવસનાં બાર કલાક અજવાળું નથી હોતું? જે કોઇ દિવસે ચાલશે તે ઠોકર ખાશે નહિ, કેમકે તેઓ આ જગતનો પ્રકાશ જુએ છે. 10 જયારે વ્યકિત રાત્રે ચાલે છે તે ઠોકર ખાય છે, કેમકે તેનાંમાં પ્રકાશ નથી."
11 તેમણે આ કહયાં પછી, તેઓ તેઓને કહેવા લાગ્યા કે "આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે. પણ હું તેને જગાડવા જાઉ છું."
12 તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "પ્રભુ જો તે ઉંઘી ગયો હોય તો તે સાજો થશે" 13 ઈસુ તો તેના મરણ વિશે કહેતા હતા, પણ તેમના શિષ્યોને લાગ્યું કે તેઓ સામાન્ય ઉંઘ વિશે કહે છે.
14 તેથી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, "લાઝરસ મરણ પામ્યો છે. 15 અને હું ત્યાં ન હતો એ માટે હું હષઁ પામું છું, એ માટે કે તમે વિશ્વાસ કરો, પણ ચાલો, આપણે તેની પાસે જઈએ."
16 થોમા જે દીદીમસ કહેવાતો હતો તેણે બીજા શિષ્યોને કહ્યું, "ચાલો, આપણે પણ જઈએ, અને તેમની સાથે મરી જઈએ."
17 ઈસુ ત્યાં પહોંચ્યા પછી તેમને ખબર પડી કે લાઝરસને કબરમાં મૂક્યાંને ચાર દિવસ થઈ ગયા છે. 18 હવે બેથાનિયા યરુશાલેમથી ત્રણ કિલોમીટર દૂર હતું. 19 અને ઘણાં યહૂદીઓ લાઝરસ ગુમાવવાને લિધે, માર્થા અને મરિયમને દિલાસો આપવાં આવ્યા હતા. 20 જયારે માર્થાને સાંભળ્યું કે ઈસુ આવ્યા છે ત્યારે તે તેમને મળવા બહાર ગઈ, પણ મરિયમ ઘરમાં જ રહી.
21 માર્થાએ ઈસુને કહ્યું, "ગુરુજી, તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત. 22 પરંતુ હું જાણું છું કે હજુ પણ જો તમે ઈશ્વર પાસે કાંઈ પણ માંગશો તો, તે તમને આપશે."
23 ઈસુએ તેને કહ્યું, "તારો ભાઈ ફરીથી સજીવન થશે."
24 માર્થાએ જવાબ આપ્યો, "હા, પુનરુત્થાનમાં છેલ્લે દિવસે મારો ભાઈ પાછો ઊઠશે તે હું જાણું છું."
25 ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. 26 અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"
27 માર્થાએ જવાબ આપ્યો, "હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે તમે જ મસીહ, ઈશ્વરપુત્ર છો. જે જગતમા આવનાર છે."
28 આ કહી રહ્યા પછી, તે ચાલી ગઈ અને તેની બહેન મરિયમને બાજુ પર બોલાવીને કહ્યું, "ગુરુજી અહીં છે, અને તને બોલાવે છે." 29 જયારે મરિયમે એ સાંભળ્યું, તે જલ્દી ઉઠીને તરત જ તેમની પાસે ગઈ. 30 ઈસુ હજી ગામમાં આવ્યા ન હતાં, પણ બહાર જયાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા. 31 જયારે યહૂદીઓ મરિયમની સાથે ઘરમાં હતાં, અને તેને દિલાસો આપતાં, તેઓએ જોયું કે તે કેવી જલ્દી ઊઠી અને બહાર ગઇ, તેઓ તેની પાછળ ગયા, એવું ધારીને કે તે કબરે રડવા જાય છે.
32 જયારે મરિયમ ઈસુ જે જગ્યાએ હતા ત્યાં પહોંચી અને તેમને જોયા, તે તેમને પગે પડી અને કહ્યું, "ગુરુજી, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ."
33 જયારે ઈસુએ તેને રડતી જોઈ, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતાં તેઓને પણ રડતાં જોઈને, "તેઓ આત્મામાં ખૂબ જ નિસાસો નાખીને વ્યાકુળ થયા." 34 તેમણે પૂછયું,
"તમે તેને કયાં મૂકયો છે?" તેઓએ જવાબ આપ્યો, "આવો અને જુઓ, પ્રભુ,"
35 ઈસુ રડ્યા!
36 ત્યારે યહૂદીઓએ કહ્યું, "જુઓ, તેમણે તેને કેવો પ્રેમ કયોઁ!"
37 પણ તેઓમાંના કેટલાકે કહ્યું, "જેણે આંધળા ની આંખો ખોલી તે શું આ માણસને મરતા બચાવી ન શક્યાં હોત?"
38 ઈસુ, ફરી એક વાર ખૂબ દુઃખી થયા, કબરે આવ્યા. તે ગુફા હતી. જેના પ્રવેશ આગળ પથ્થર મૂકેલો હતો. 39 તેમણે કહ્યું, પથ્થર દૂર કરો.
મરનારની બહેન માર્થાએ કહ્યું, "ગુરુજી હવે તો દુર્ગંધ આવતી હશે, તેને ત્યાં આવ્યા ને ચાર દિવસ થઈ ગયા છે."
40 ત્યારે ઈસુએ કહ્યું, "જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે એવું મેં શું તને નથી કહ્યું?"
41 ત્યારે તેઓએ પથ્થર ખસેડયો, પછી ઈસુએ ઊંચે જોઈને કહ્યું, "હે પિતા, તમે મારું સાંભળ્યું છે તેથી હું તમારો આભાર માનું છું. 42 તમે હંમેશાં મારું સાંભળો છો એ હું જાણું છું, પણ અહીં ઊભા રહેલાઓને લીધે મેં તમને એવું કહ્યું, જેથી તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે."
43 જયારે તેમણે એ કહ્યાં પછી, ઈસુએ મોટે અવાજે કહ્યું, "લાઝરસ, બહાર આવ!" 44 ત્યારે મરેલો માણસ બહાર આવ્યો. તેના હાથ અને પગ શણના કાપડથી વીંટળાયેલા હતાં, અને તેના મોંને ફરતે રૂમાલ હતો.
ઈસુએ તેઓને કહ્યું, "કબરના કપડાં ઉતારો અને તેને જવા દો."
45 આથી ઘણા યહૂદીઓ જે મરિયમની મુલાકાતે આવ્યા હતા, અને જે ઈસુએ કયુઁ તે જોયું, અને તેમના પર વિશ્વાસ કર્યો. 46 પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓ પાસે ગયા અને જે કામ ઈસુએ કયાઁ હતા તે તેમને કહયાં.
47 ત્યારે પછી મુખ્ય યાજકો તથા ફરોશીઓએ ન્યાયસભા બોલાવીને તેઓને પૂછયું, "આપણે શું કરી રહ્યા છીએ? અહીં એક માણસ જે ઘણાં ચમત્કારો કરે છે 48 જો આપણે તેને આમ જ જવા દઈશું, તો સર્વ લોકો તેના પર વિશ્વાસ કરશે, અને પછી રોમન આવશે અને આપણું મંદિર અને આપણું પ્રજાપણું લઇ લેશે."
49 તેઓમાંના કાયાફા નામે એક જે તે વરસનો પ્રમુખયાજક હતો, તેણે કહ્યું, "તમે કશું જ જાણતા નથી! 50 તમે સમજતા નથી કે એ તમારા કે લોકો માટે એક માણસ મરે અને આખી પ્રજા નાશ ન પામે."
51 આ તેણે પોતાના તરફથી કહું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખયાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદી પ્રજા માટે મરશે, 52 અને ફકત એ પ્રજા માટે જ નહિ પરંતુ વિખરાયેલ ઈશ્વરના બાળકો માટે, કે તેઓને ભેગા કરીને એક કરે. 53 તેથી તે દિવસથી તેઓએ તેમનો જીવ લેવાનો કાવતરું ઘડયું.
54 તેથી ઈસુ જાહેરમા યહૂદીઓના લોકોની મધ્યે ફયાઁ નહિ, તેઓ અરણ્યની પાસેના વિસ્તારમાં જવાને બદલે એફ્રાઈમ નામનાં ગામમાં ગયા, જયાં તેઓ પોતાના શિષ્યો સાથે રહ્યા.
55 જયારે યહૂદીઓનું પાસ્ખાપર્વ હવે નજીક આવ્યું હતું. તેમના શુધ્ધિકરણ માટેની ક્રિયામાં ભાગ લઈ શકાય એ માટે ઘણાં દેશના યરુશાલેમ આવ્યા હતા. 56 તેઓ ઈસુને શોધવાં લાગ્યા. અને જયારે તેઓ મંદિરનાં આંગણાંમાં ઊભા રહ્યા, ત્યારે તેઓ એકબીજાને પૂછવાં લાગ્યા, "ઈસુ આ પર્વમાં આવશે કે નહિ, તે વિશે તમે શું ધારો છો?" 57 પણ મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ આદેશ બહાર પાડયો હતો કે ઈસુ કોઈનાં જોવામાં આવે તો તરત જ તેઓને ખબર આપવી, જેથી તેઓ તેમને પકડી શકે.