1 જયારે તેઓ જતાં હતા, ત્યારે તેમણે એક જન્મથી અંધ માણસને જોયો. 2 તેમના શિષ્યોએ તેમને પૂછયું, "રાબ્બી કોના પાપે, આ માણસના કે તેનાં માબાપનાં, કે તે અંધ જન્મ્યો?"
3 ઈસુએ કહ્યું, "આ માણસના કે તેના માબાપનાં પાપે નહિ, પણ તે એટલા માટે કે ઈશ્વરના કાયોઁ તેનાથી પ્રગટ થાય. 4 જયાં સુધી દિવસ કહેવાય છે, ત્યાં સુધી આપણે તેમના કામ કરવા જોઈએ. રાત આવે છે જયારે કોઇ કામ નઇ કરી શકે. 5 જયારે હું જગતમાં છું, ત્યાં સુધી હું જગતનો પ્રકાશ છું."
6 આ કહી રહ્યા પછી, તેમણે જમીન પર થૂંકી, લાળથી તેમણે થોડો કાદવ બનાવ્યો, અને માણસની આંખો પર લગાવ્યો. 7 તેને કહ્યું, "જા, શિલોઆહના કુંડમાં જઈને ઘો." (શિલોઆહ એટલે મોકલાયેલ.) તેથી તે માણસ ગયો અને ધોઈ, અને તે દેખતો થઈને ઘરે આવ્યો.
8 તેના પડોશીઓ તથા જેઓએ તેને અંધ ભિખારી તરીકે જોયો હતો, "શું આ, આ એ જ માણસ નથી કે જે બેસીને ભીખ માંગતો હતો?" 9 કેટલાકે દાવો કયોઁ કે તે એ હતો,
બીજાઓએ કહ્યું "ના, તે માત્ર તેના જેવો દેખાય છે."
પણ તેણે કહ્યું, "હું એ જ માણસ છું."
10 તેઓએ પૂછયું, "તારી આંખો કેવી રીતે ઉઘડી?"
11 તેણે જવાબ આપ્યો, "જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કરીને મારી આંખો પર ચોપડ્યો. તેમણે કહ્યું કે, ‘શિલોઆહના માં જઈને ધો.’ તેથી હું ગયો અને હું જોઈ શકયો."
12 તેઓએ તેને પૂછયું, "તે માણસ કયાં છે?"
તેણે કહ્યું, "મને ખબર નથી."
13 જે માણસ અંધ હતો તેઓ તેને, ફરોશીઓ પાસે લાવ્યા. 14 હવે જે દિવસે ઈસુએ કાદવ કયોઁ હતો અને માણસની આંખો ઉઘાડી હતી તે સાબ્બાથ હતો. 15 એટલા માટે ફરોશીઓએ પણ તેને પૂછયું કે તને કેવી રીતે દ્રષ્ટિ મળી. તે માણસે જવાબ આપ્યો, "તેમણે મારી આંખો પર માટી લગાડી અને મેં ધોઈને હવે હું જોઊં છું."
16 કેટલાકે ફરોશીઓએ કહ્યું, "આ માણસ, ઈશ્વર તરફથી નથી, કેમકે તે સાબ્બાથ પાળતો નથી."
પણ બીજાઓએ કહ્યું, "એક પાપી કેવી રીતે આવાં ચમત્કારો કરી શકે?" તેથી તેઓમાં ભાગલા પડયા.
17 પછી તેઓ ફરીથી અંધ માણસ તરફ ફયાઁ, "જેણે તારી આંખો ઉઘાડી હતી, તેના વિશે તારે શું કહેવું છે?"
તે માણસે જવાબ આપ્યો, "તેઓ એક પ્રબોધક છે."
18 તેઓએ તેનાં માબાપને બોલાવ્યાં ત્યાં સુધી હજું પણ તેઓ વિશ્વાસ કરતા ન હતા કે અંધને તેની દ્રષ્ટિ મળી છે. 19 તેઓએ પૂછયું, "શું આ તમારો દીકરો છે, જેને વિશે તમે કહો છો કે તે જન્મથી જ અંધ હતો? તો હવે તે શી રીતે દેખતો થયો છે?"
20 માબાપે જવાબ આપ્યો, "અમે જાણીએ છીએ કે તે અમારો દીકરો છે, અને અમે જાણીએ છીએ કે તે જન્મથી અંધ હતો; 21 પણ હવે તે કેવી રીતે દેખતો થયો અને તેની આંખો કોણે ઉઘાડી તે અમે જાણતા નથી. તે પુખ્ત વયનો છે, તેને જ પૂછી જુઓ, તે પોતે જ કહેશે." 22 તેના માબાપ યહૂદી આગેવાનોથી બીતા હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમકે તેમણે અગાઉથી ઠરાવ કયોઁ હતો, કે ઈસુ તે જ મસીહ છે તેવું કબૂલ કરનારને સભાસ્થાનની બહાર મૂકવો. 23 તેથી તેનાં માબાપે કહ્યું હતું કે, "તે પુખ્ત વયનો છે, તેને પૂછો."
24 બીજી વાર તેઓએ તે અંધ માણસને બોલાવીને કહ્યું, "તેઓએ કહ્યું, સાચું કહીને ઈશ્વરને મહિમા આપ, કેમકે અમે જાણીએ છીએ કે આ માણસ પાપી છે."
25 તેણે જવાબ આપ્યો, "તે પાપી છે કે નહિ તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો પણ હવે હું દેખતો થયો છું."
26 ત્યારે તેઓએ તેને પૂછયું, "તેમણે તને શું કર્યું? તારી આંખો તેમણે કેવી રીતે ઉઘાડી?"
27 તેણે જવાબ આપ્યો, "મેં તમને કહ્યું, અને તમે ના સાંભળ્યું? શા માટે તમારે ફરી સાંભળવું છે? શું તમારે પણ તેમના શિષ્ય બનવું છે?"
28 ત્યારે તેઓએ તેમનું અપમાન કરીને કહ્યું, "તું સાથી શિષ્ય હોઈશ! અમે તો મોશેનાં શિષ્ય છીએ. 29 ઈશ્વર મોશે સાથે બોલ્યાં હતા એ અમે જાણીએ છીએ, પણ આ માણસ ક્યાંંથી આવ્યો છે એ અમે જાણતા નથી."
30 માણસે જવાબ આપ્યો, "હવે એ અદભુત છે! તે ક્યાંંથી આવ્યો છે એ વિશે તમે કાંઈ જાણતા નથી! છતાં તેણે મારી આંખો ઉઘાડી. 31 અમે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી, પણ જેઓ ધામિઁક હોય, અને તેમની ઈચ્છા પૂર્ણ કરે છે તેઓનું તે સાંભળે છે. 32 કોઈએ જન્મથી અંધ માણસની આંખો ઉઘાડી હોય એવું કદી સાંભળ્યું નથી. 33 જો આ માણસ ઈશ્વર તરફથી ન હોય તો તે કંઇ કરી શકયો ન હોત."
34 તેઓએ આનો જવાબ આપ્યો "તું તો જન્મથી જ પાપોમાં ડુબેલો હતો! શું તું અમને બોધ કરવાની હિમંત કરે છે!" અને તેઓએ તેને બહાર ફેંકી દીધો.
35 ઈસુએ સાંભળ્યું કે તેને બહાર ફેંકી દીધો છે, અને જયારે તેમને તે મળ્યો, ત્યારે તેમણે કહ્યું, "શું તું માણસના દીકરા ઉપર વિશ્વાસ કરે છે?"
36 તે કોણ છે, "ગુરુજી? તે માણસે પૂછયું. મને કહો જેથી હું તેમના પર વિશ્વાસ કરી શકું."
37 ઈસુએ કહ્યું, "હવે તેં તેમને જોયા છે; હકીકતમાં, જે તારી સાથે વાત કરે છે તે જ તે છે."
38 ત્યારે તે માણસે કહ્યું, "પ્રભુ, હું વિશ્વાસ કરું છું," અને તેણે તેમનું ભજન કર્યું.
39 ઈસુએ કહ્યું, "ન્યાયને માટે હું જગતમાં આવ્યો છું, જેથી આંધળા જુએ અને જેઓ જુએ તેઓ આંધળા થાય."
40 કેટલાક ફરોશીઓ તેમની સાથે હતા આ વાત સાંભળી અને પૂછયું, "શું? અમે અંધ છીએ?"
41 ઈસુએ કહું, "જો તમે અંધ હોત, તો તમને પાપનાં દોષિત ઠરાવી શકાત નહિ; પણ હવે તમે દાવો કરો છો કે તમે જોઈ શકો છો, તમારો દોષ કાયમ રહે છે.