1 ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું, ત્યાં ઈસુના મા હતા. 2 અને ઈસુ અને તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ હતું. 3 "જયારે દ્રાક્ષારસ ખૂટી પડયો." ઈસુનાં મા તેમને કહે છે, તેઓની પાસે દ્રાક્ષારસ નથી.
4 ઈસુએ જવાબ આપ્યો કે, બાઈ, "તમે મને કેમ સામીલ કરો છો? મારો સમય હજુ આવ્યો નથી."
5 તેમના માએ નોકરોને કહ્યું, "જે કંઇ તેઓ તમને કહે, તે કરો."
6 હવે ત્યાં પથ્થરની છ કોઠીઓ હતી: યહૂદીઓનાં ધાર્મિક પ્રસંગોમાં તે ઉપયોગમાં લેવાતી હતી, દરેક કોઠીમાં આશરે સો લીટર પાણી સમાતું હતું.
7 ઈસુએ નોકરોને કહ્યું, "આ કોઠીઓ પાણીથી ભરી દો." તેથી તેઓએ તે છલોછલ ભરી દીધી.
8 પછી તેમણે તેમને કહ્યું, "હવે થોડું કાઢીને જમણના કારભારી પાસે લઇ જાઓ, તેઓએ તેમ કયુઁ,"
9 જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો. આ ક્યાંંથી આવ્યો તેની તેને ખબર ન હતી, પણ જે નોકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા, પછી તેમણે વરરાજાને બાજુમાં બોલાવ્યો. 10 અને કહ્યું, "દરેક માણસ પ્રથમ ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે અને મહેમાનોએ સારી રીતે પીધા પછી હલકા પ્રકારનો આપે છે, પરંતુ તેં અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખ્યો છે!"
11 ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડયો, અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કયોઁ.
12 એ પછી ઈસુ, તેમનાં મા, ભાઈઓ અને તેમના શિષ્યો સાથે કપરનાહૂમ ગયા. ત્યાં તેઓ થોડા દિવસ રહ્યા.
13 જયારે યહૂદીઓનાં પાસ્ખાપર્વનો સમય પાસે આવ્યો હતો, ત્યારે ઈસુ યરુશાલેમ ગયા. 14 મંદિરનાં આંગણાંમાં લોકો પશુઓ, ઘેટાં અને કબૂતરો વેચનારા તથા નાંણાવટીઓને ટેબલે બેઠેલા તેમણે જોયા. 15 તેથી તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે બધાને ઘેટાં અને પશુઓ સુધ્ધાં મંદિરનાં આંગણાંમાથી હાંકી કાઢયાં. નાંણાવટીઓને નાણાંના સિક્કા વેરી નાંખ્યાં, અને તેઓના ટેબલો ઊંધા વાળ્યાં. 16 જેઓ કબૂતરો વેચનારા હતા તેઓને કહ્યું, "આ બધું અહીંથી બહાર લઇ જાઓ. મારા પિતાનાં ઘરને બજાર ના બનાવો." 17 તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, "તમારા ઘર માટેની આસ્થા મને ખાય જાય છે."
18 યહૂદીઓએ તેમને જવાબ આપ્યો, "આ બધુ કરવા માટે તમારો અધિકાર સાબિતી કરવા તમે અમને શું ચિન્હ બતાવી શકો."
19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "આ મંદિરને જમીનદોસ્ત કરી નાંખો અને હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભુ કરીશ."
20 તેઓએ જવાબ આપ્યો, "આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને તમે શું તેને ત્રણ દિવસમાં ઊભુ કરશો?" 21 પરંતુ ઈસુએ તો પોતાના શરીરરૂપી મંદિરની વાત કરી હતી. 22 મરણમાંથી સજીવન થયા પછી તેમના શિષ્યોને યાદ આવ્યું કે જે તેમણે કહ્યું હતું. અને તેઓએ શાસ્ત્ર અને ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કયોઁ. નો ઉલ્લેખ કર્યો.
23 હવે જયારે પાસ્ખાપર્વના સમયે તેઓ યરુશાલેમમાં હતા, જે ચિન્હો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ, 24 પણ ઈસુએ પોતે એ લોકોનો ભરોસો કયોઁ નહિ કેમકે તે સવઁને જાણતા હતા. 25 કોઈ માણસ સાક્ષી આપે એવી તેમને જરૂર ન હતી. કેમકે દરેક વ્યકિતમાં શું છે એ તેઓ જાણતા હતા.