1 અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, જયારે હજી અંધારું હતું, ત્યારે મરિયમ માગદાલેણ કબરે ગઈ અને જોયું તો દ્વાર આગળથી પથ્થર હઠાવી દીધેલો હતો. 2 ત્યારે તે દોડીને, સિમોન પિતર અને બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતાં, તેમની પાસે ગઇ અને કહ્યું, "તેઓ પ્રભુને કબરમાંથી લઈ ગયા છે, અને તેમને કયાં મૂક્યા છે તે આપણે જાણતા નથી."
3 તેથી પિતર અને બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યાં. 4 બંને દોડતાં હતાં, પણ બીજો શિષ્ય પિતરની આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો. 5 નીચાં નમીને તેણે અંદર પડેલા શણના કપડાં જોયા પણ તે અંદર ગયો નહિ. 6 એટલામાં સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને સીધો કબરમાં પેઠો. તેણે શણનું વસ્ત્ર ત્યાં પડેલું જોયું. 7 અને ઈસુના માથા પર વીંટાળેલું વસ્ત્ર જે શણના કપડાંથી અલગ જે કપડું હજું પણ તેની જગ્યાએ પડેલું હતું. 8 છેલ્લે બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો, તે પણ અંદર ગયો, તેણે જોયું, અને વિશ્વાસ કયોઁ. 9 તેઓ હજી પણ શાસ્ત્રમાંથી સમજી ન શક્યા કે, ઈસુએ મૃત્યુમાંથી સજીવન થવાનું હતું. 10 પછી શિષ્યો જયાં રહેતાં હતાં ત્યાં પાછા ગયા.
11 હવે મરિયમ મગ્દલા કબરની બહાર રડતી ઊભી હતી. રડતાં રડતાં તેણે નીચે નમીને કબરમાં જોયું. 12 ઈસુનું શબ જે જગ્યામાં મૂકવામાં આવ્યું હતું, ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલાં બે દૂતોને એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ બેઠેલા જોયા.
13 તેઓએ તેને પૂછયું, "બાઈ તું કેમ રડે છે?"
તેણે કહ્યું, "મારા પ્રભુને તેઓ લઈ ગયા છે અને તેમને કયાં મૂક્યાં છે તેની મને ખબર નથી." 14 એમ કહીને તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં ઈસુ ઊભેલા હતા પણ તે સમજી ન શકી કે તે ઈસુ છે.
15 તેમણે તેને પૂછયું, "બાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે?"
તેમને માળી સમજીને તે બોલી, "સાહેબ જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તેમને કયાં મૂક્યાં છે, એટલે હું તેમને લઈ જઈશ."
16 ઈસુએ તેને કહ્યું, "મરિયમ!"
તે તેમની તરફ ફરી અને અરામીક ભાષામાં બૂમ પાડી, "રાબ્બોની!" (એટલે "ગુરુજી").
17 ઈસુએ કહ્યું, "હજુ હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને અડકીશ નહિ, પરંતુ મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારાં પિતા, મારા ઈશ્વર અને તમારાં ઈશ્વર પાસે ઉપર ચઢી જાઉં છું.’ "
18 મરિયમ માગદાલેણ આ સમાચાર લઇને શિષ્યો પાસે ગઇ: "મેં પ્રભુને જોયા છે." અને તેણે તેમને કહ્યું તેમણે આ વાતો તેને કહી હતી.
19 અઠવાડિયાને પહેલે દિવસે સાંજે જયારે શિષ્યો યહૂદીઓનાં આગેવાનોના ડરના લીધે બારણાં બંધ કરીને ભેગા મળ્યાં હતા, ત્યારે ઈસુ તેમની મધ્યે આવીને ઊભા રહ્યા અને કહ્યું, "તમને શાંતિ થાઓ." 20 આમ કહીને તેમણે કહ્યું, તેમણે તેઓને પોતાના હાથ તથા કૂખ બતાવ્યાં. જયારે તેઓએ પ્રભુને જોયા ત્યારે શિષ્યો આનંદ પામ્યા.
21 ફરીથી ઈસુએ કહ્યું, "તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું." 22 અને તે સાથે તેઓના પર શ્વાસ નાંખીને કહ્યું, "પવિત્ર આત્મા પામો. 23 જો તમે કોઈનાં પાપ માફ કરશો, તો તેમના પાપ માફ થાય છે; જો તમે તેમને માફ ના કરો, તો તેમના પાપ માફ થતા નથી."
24 હવે જયારે ઈસુ આવ્યા, ત્યારે થોમા, બારમાનો એક (જે દીદીમસ કહેવાતો હતો), તે તેઓની સાથે નહોતો. 25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, "અમે પ્રભુને જોયા છે."
પણ તેણે તેઓને કહ્યું, "જયાં સુધી હું તેમના હાથ પર ખીલાના ઘા જોઉં નહિ, અને મારી આંગળી ખિલ્લા વાળી જગ્યાએ ન નાંખું નહિ અને તેમની કૂખમાં મારો હાથ ન નાખું, ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો નથી."
26 એક અઠવાડિયા પછી ફરી એક વાર શિષ્યો ઘરમાં એકઠા મળ્યાં. અને થોમા પણ તેમની સાથે હતો. જો કે બારણાં બંધ હતાં, ઈસુ તેઓની મધ્યે આવી ઊભા રહ્યા અને બોલ્યાં, "તમને શાંતિ થાઓ." 27 પછી તેમણે થોમાને કહ્યું, "તારી આંગળી અહીં નાંખ અને મારા હાથ જો, તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; સંદેહ ન રાખ, અને વિશ્વાસ કર."
28 થોમાએ તેમને કહ્યું, "મારા પ્રભુ! અને મારા ઈશ્વર!"
29 ત્યારે ઈસુએ તેને કહ્યું, "કેમકે તે મને જોયો છે માટે તેં વિશ્વાસ કર્યો છે, પરંતુ જેઓએ જોયા વગર વિશ્વાસ કયોઁ છે તેઓને ધન્ય છે."
30 ઈસુએ પોતાના શિષ્યોની હાજરીમાં બીજા ઘણાં ચમત્કારો કયાઁ, જે આ પુસ્તકમાં નોંધેલા નથી. 31 પણ આ એટલા માટે લખવામાં આવ્યું છે કે, ઈસુ તે જ મસીહ, ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો.