Publicidade

1 João 5

ઇશ્વરના પુત્ર પર વિશ્વાસ

1 ઈસુ તે જ મસીહ છે એવો જો કોઈ વિશ્વાસ કરે છે તો તે ઇશ્વરથી જન્મેલો છે, અને જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે તેમનાં બાળકો પર પણ પ્રેમ રાખે છે. 2 ઈશ્વર પર પ્રેમ રાખવાથી અને તેમની આજ્ઞાઓ પાળવાથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના બાળકો પર પ્રેમ રાખીએ છીએ. 3 ખરેખર, ઈશ્વર પરનો પ્રેમ એ છે: કે તેમની આજ્ઞા પાળવી, અને તેમની આજ્ઞાઓ ભારે નથી, 4 કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે. 5 કોણ આ જગત પર વિજય પામી શકે? ઈસુ એ જ ઈશ્વરના પુત્ર છે એવું જે માને છે તે જ.

6 આ એ જ છે જે પાણી તથા લોહીથી આવ્યા, એટલે ઈસુ મસીહ અને તેઓ કેવળ પાણીથી જ નહિ, પરંતુ પાણી તથા રકત વડે આવ્યા. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, અને આત્મા સત્ય છે. 7 કેમકે તેઓ ત્રણ સાક્ષીઓ છે: 8 આત્મા, પાણી અને રકત એ ત્રણેની સાક્ષી એકસરખી છે. 9 માણસો જે સાક્ષી આપે છે તે આપણે માનીએ છીએ, પરંતુ ઈશ્વરની સાક્ષી મોટી છે, કારણ કે તે ઈશ્વરની સાક્ષી છે, જે તેમણે પોતાના પુત્ર વિશે આપી છે. 10 જે કોઈ ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે કોઈ ઈશ્વર પર વિશ્વાસ કરતો નથી, તો તે ઈશ્વરને જુઠા ઠરાવે છે, કેમકે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે પર તેણે વિશ્વાસ કયોઁ નથી. 11 અને સાક્ષી આ છે: ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, અને આ જીવન તેમના પુત્રમાં છે. 12 જેની પાસે પુત્ર છે તેમને જીવન છે, અને જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેને જીવન નથી.

અંતિમ નોંધ

13 જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે તેમને આ વાતો હું લખું છું, જેથી તમે જાણો કે તમને અનંતજીવન છે. 14 તેમના વિશે આપણને જે ભરોસો છે તે એ કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કાંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે. 15 અને જો આપણે જાણીએ છી કે તે આપણું સાંભળે છે, જે કંઈ માંગીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ માંગ્યું છે તે આપણને મળે છે.

16 જો તમે કોઈ ભાઈ અથવા બહેનને મૃત્યું તરફ દોરી જતું પાપ કરતાં જુઓ, તો તેને માટે પ્રાર્થના કરવી અને ઈશ્વર તેમને જીવન આપશે. હું એવા લોકોનો ઉલ્લેખ કરું છું જેમનાં પાપ મૃત્યું તરફ દોરી જતાં નથી. એવું પણ પાપ છે જે મૃત્યુ તરફ દોરી જાય છે, હું એમ નથી કહેતો કે તમારે તેમના માટે પ્રાર્થના કરવી. 17 સવઁ અન્યાય પાપ છે, અને એવું પણ પાપ છે જે મૃત્યું તરફ દોરી જતું નથી.

18 આપણે જાણીએ છીએ કે જે કોઈ ઇશ્વરથી જન્મેલો છે તે પાપ કયાઁ કરતો નથી; પણ ઇશ્વરથી જે જન્મયો છે તેને તે સુરક્ષિત રાખે છે અને દુષ્ટ તેને નુકશાન કરી શકતો નથી. 19 આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આખું જગત દુષ્ટની સત્તા હેઠળ છે. 20 વળી આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેમને ઓળખવાં માટે આપણને સમજણ આપી છે, એટલે તેમના પુત્ર ઈસુ મસીહ, તેમનામાં આપણે છીએ, તેઓ જ સાચા ઈશ્વર અને અનંતજીવન છે.

21 વહાલાં બાળકો, સાવધ રહીને મૂતિઁઓથી દૂર રહો.

Veja também

Publicidade
1 João
Ver todos os capítulos de 1 João
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-