Publicidade

João 3

ઈસુનો નિકોદેમસને ઉપદેશ

1 હવે એક ફરોશી હતો, જે માણસનું નામ નિકોદેમસ હતું, કે જે યહૂદી સભાનો એક સભ્ય હતો, 2 તે રાત્રે ઈસુની પાસે આવ્યો અને કહ્યું, "રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવેલા ઉપદેશક છો, કેમકે જે કોઇની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે ન કરી શકે."

3 ઈસુએ જવાબ આપ્યો, "હું તને સાચે જ કહું છું કે, જો કોઇ નવો જન્મ પામ્યા ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી."

4 "કોઇ જયારે વૃધ્ધ થઇને જન્મ કેવી રીતે પામી શકે!" નિકોદેમસે પૂછયું, "ખરેખર તેઓ બીજી વાર પોતાની માના ઉદરમાં જઈને જન્મ લઈ શકે નહિ."

5 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી, 6 શરીર શરીરને જન્મ આપે છે, પણ આત્મા આત્માને જન્મ આપે છે. 7 ‘તમારે નવો જન્મ પામવો જોઈએ.’ મારી વાતથી આશ્ચર્ય પામતો ના. 8 પવન જયાં ચાહે છે ત્યાં ફૂંકાય છે, તું તેનો અવાજ સાંભળે છે પણ તે કયાંથી આવે છે ને કયાં જાય છે, તે તું કહી શકતો નથી. માટે આત્માથી જન્મેલી વ્યકિતના સંબંધમાં પણ એવું જ છે."

9 નિકોદેમસે પૂછયું, "એ કેવી રીતે થઇ શકે?"

10 ઈસુએ કહ્યું, "તું ઇઝરાયેલનો શિક્ષક થઇને" આ બાબતો નથી સમજી શકતો! 11 હું તમને સાચે જ કહું છું કે: અમે જે જાણીએ તે કહીએ છીએ અને જે જોયું છે, તેની સાક્ષી પુરીએ છીએ છતાં પણ તમે લોકો અમારી સાક્ષી સ્વીકારતા નથી. 12 હું તમને પૃથ્વી પરની વાતો કહું છું પણ તમે વિશ્વાસ કરતા નથી, તો પછી જો હું તમને આકાશની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરી શકવાનાં? 13 આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઇ નથી ચઢયું. 14 જેમ મોશેએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યા, તેમજ માણસના દીકરાને પણ ઊંચો કરવાની જરૂર છે. 15 એ માટે જે કોઈ વિશ્વાસ કરે તેને તેમનામાં અનંતજીવન મળે.

16 કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. 17 જગતને દોષિત ઠરાવવા માટે નહિ પણ તેમનાથી જગતનો ઉધ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યા. 18 જે કોઈ તેમના પર વિશ્વાસ કરતો નથી તે દોષિત ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે દોષિત ઠરી ચૂક્યો છે. કેમકે ઇશ્વરના એકાંકીજનીત દીકરાનાં નામ પર તેણે વિશ્વાસ કયોઁ નહિ. 19 સજા માટેનું કારણ આ છે કે: જગતમાં પ્રકાશ આવ્યા છતાં પણ લોકોએ પ્રકાશ કરતા અંધકારને ચાહ્યો, કેમકે તેઓનાં કામ ભૂંડા હતાં. 20 જે કોઇ ભૂંડુ કરે છે તે પ્રકાશનો ધિક્કાર કરે છે. અને પોતાના કામ ન વખોડાય માટે તેઓ પ્રકાશ પાસે આવતા નથી; 21 પણ જેઓ સત્યથી જીવે છે તેઓ પ્રકાશમાં આવે છે, જેથી તેઓએ જે કંઇ કયુઁ છે તે ઈશ્વરની નજરમાં કરવામાં આવ્યું છે તે સ્પષ્ટપણે જોવા મળે.

યોહાન ઈસુ વિશે ફરી સાક્ષી આપે છે

22 આ પછી, ઈસુ અને તેમના શિષ્યો બહાર નીકળીને યહૂદિયાની સિમોમાં ગયા, ત્યાં તેમણે થોડો સમય તેઓની સાથે વિતાવ્યો, અને બાપ્તિસ્મા આપતાં હતા. 23 હવે યોહાન પણ સાલીમ પાસેનાં એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો, કેમકે ત્યાં પુષ્કળ પાણી હતું, અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા. 24 આ યોહાનને જેલમાં પૂયાઁ પહેલાં હતું. 25 તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઇ એક યહૂદી સાથે શુધ્ધિકરણ વિશે વાદવિવાદ થયો. 26 તેઓએ યોહાન પાસે આવીને તેને કહ્યું, "રાબ્બી, જે માણસ યર્દન નદીને પેલે પાર તમારી સાથે હતા, અને જેમનાં સંબંધી તમે સાક્ષી આપી, જુઓ તેઓ બાપ્તિસ્મા આપે છે, અને લોકો તેમની પાસે જાય છે."

27 આ માટે યોહાને જવાબ આપ્યો, "વ્યકિતને આકાશમાંથી આપવામાં આવ્યું હોય તો જ તે કંઇ પામી શકે છે. 28 તમે પોતે મારા સાક્ષી છો કે, મે કહ્યું, હું મસીહ નથી પણ તેમની આગળ મોકલાયેલો છું. 29 કન્યા વરરાજાની છે, વરરાજાનો મિત્ર જે સાથે છે તે રાહ જોઇને તેનું સાંભળે છે અને જયારે તે વરરાજાનો અવાજ સાંભળે છે, ત્યારે તે બહુ આનંદ પામે છે. એ મારો આનંદ છે અને તે હવે સંપૂણઁ થયો છે. 30 તે વધતા જાય, અને હું ઘટતો જાઉં."

31 જે ઉપરથી આવે છે તે સવઁની ઉપર છે, જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે, અને પૃથ્વીનું બોલે છે. જે આકાશમાંથી આવે છે તે સવઁની ઉપર છે. 32 તેણે જે જોયું અને સાંભળ્યું છે તેની સાક્ષી તે આપે છે, પણ તેની સાક્ષી કોઇ માનતું નથી. 33 જે કોઇએ તેની સાક્ષી માની છે તેણે ઈશ્વર સત્ય છે એ પર મુદ્રા કરી છે. 34 કેમકે જેને ઈશ્વરે મોકલ્યા છે, તે ઈશ્વરનાં વચનો બોલે છે, કેમકે ઈશ્વર માપથી આત્મા આપતો નથી. 35 પિતા પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે સઘળું તેમને સોંપ્યું છે. 36 જે કોઇ પુત્ર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે, પણ જે કોઇ પુત્રનો નકાર કરશે તે જીવન નહિ દેખશે, પણ તેઓ ઉપર ઈશ્વરનો કોપ રહે છે.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-