1 હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે; 2 (જો કે હકિકતમાં ઈસુ પોતે નહિ પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતાં હતા), 3 તેથી તેઓ યહૂદિયા છોડી ને ફરી એક વાર ગાલીલમાં ગયા.
4 તેમને સમરૂનમાં થઈને જવું પડયું. 5 તેથી તેઓ સમરૂનના સૂખાર નામે એક શહેરમાં આવી પહોંચ્યા, જે જમીન યાકોબે તેના દીકરા યોસેફને આપી હતી, તેની પાસે. 6 ત્યાં યાકોબનો કૂવો હતો, અને ઈસુ મુસાફરીથી થાકેલા હોવાથી કૂવા પર બેઠાં, તે વેળાએ આશરે બપોર હતી.
7 જયારે એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી કાઢવા આવી. ત્યારે ઈસુએ તેને કહ્યું "શું તું મને પીવાને આપીશ?" 8 તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવાં શહેરમાં ગયા હતા.
9 સમરૂની સ્ત્રીએ તેમને કહે છે કે "તમે યહૂદી છો અને હું સમરૂની સ્ત્રી છું, તમે મારી પાસે પીવાને પાણી કેવી રીતે માંગી શકે?" કેમકે યહુદીઓ સમરૂનીઓ સાથે વ્યવહાર રાખતાં નથી.
10 ઈસુએ તેને જવાબ આપ્યો, "જો તું ઈશ્વરના દાનને અને જે તને કહે છે કે મને પાણી પા, એ કોણ છે, એ તું જાણતી હોત, ‘તો તું તેની પાસે માંગત અને તે તને જીવંત પાણી આપત.’ "
11 સાહેબ, સ્ત્રીએ તેમને કહ્યું, "તમારી પાસે કાઢવાનું કંઇ નથી ને કૂવો ઘણો ઊંડો છે; તો પછી એ જીવંત પાણી કયાંથી લાવશો! 12 શું તમે અમારા પૂર્વજ યાકોબ કરતાં મહાન છો? જેણે આ કૂવો અમને આપ્યો અને પોતે તેના દીકરાઓએ તથા ઢોરોએ એમાનું પીધું."
13 ઈસુએ જવાબ આપ્યો, "જે કોઇ આ પાણી પીશે તેને ફરી તરસ લાગશે. 14 પણ જે પાણી હું તેઓને આપું છું, તે જે કોઇ પીશે તેને કદી તરસ લાગશે નહિ, પણ જે પાણી હું તેમને આપીશ તેમનામાં પાણીનો ઝરો થશે, અને તે અનંતજીવન સુધી ઝયાઁ કરશે."
15 સ્ત્રીએ તેમને કહ્યું, "સાહેબ, મહેરબાની કરીને એ પાણી મને આપો, જેથી મને તરસ ન લાગે ને મારે દરરોજ પાણી ભરવાં આવવું ન પડે."
16 તેમણે તેને કહ્યું, "જા, તારા પતિને લઇ આવ."
17 સ્ત્રીએ જવાબ આપ્યો, "મારે પતિ નથી."
ઈસુએ તેને કહ્યું, "તારી વાત સાચી છે કે તારે પતિ નથી. 18 હકિકત એ છે કે તારે પાંચ પતિ હતા, અને હાલ જે માણસ તારી પાસે છે, તે તારો પતિ નથી. તે જે કહ્યું તે તદન સાચું છે."
19 સ્ત્રીએ કહ્યું, "સાહેબ, હું જોઈ શકું છું કે તમે પ્રબોધક છો. 20 અમારા પૂર્વજો આ પર્વત પર ભજન કરતા હતા, પણ તમે યહૂદીઓ કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે."
21 ઈસુએ જવાબ આપ્યો, "બાઈ, મારા પર વિશ્વાસ કર, એવો સમય આવે છે કે જયારે તમે પિતાનું ભજન આ પહાડ પર કે યરુશાલેમમાં નહિ કરશો. 22 તમે સમરૂનીઓ જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેમનું ભજન કરીએ છીએ, કેમકે તારણ યહૂદીઓમાંથી છે. 23 પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમકે એવા ભજનારાઓને પિતા શોધે છે. 24 ઈશ્વર આત્મા છે અને તેના ભજનારાઓએ આત્માથી અને સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.
25 "સ્ત્રીએ કહ્યું, હું તે મસીહને જાણું છું, તે આવે છે, જયારે તે આવશે ત્યારે તે આપણને સઘળું સમજાવશે."
26 પછી ઈસુએ જાહેર કયુઁ, "તારી સાથે વાત કરે છે, હું તે છું."
27 એટલામાં તેમના શિષ્યો પાછા આવ્યા અને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓ નવાઈ પામ્યા, પણ કોઇએ પૂછયું નહિ કે "તમે શું ઇચ્છો છો" અથવા "તેની સાથે કેમ વાત કરો છો?"
28 પછી, તે સ્ત્રી પાણીનો ઘડો મુકીને શહેરમાં પાછી ગઈ અને લોકોને કહ્યું, 29 "આવો, અને એ માણસને જુઓ કે જેણે મેં કયુઁ તે બધું મને કહી દેખાડયું, શું તે જ મસીહ છે?" 30 તેઓ શહેરમાંથી નિકળીને તેમની પાસે આવવાં લાગ્યા.
31 તે સમયે શિષ્યોએ તેમને વિનંતી કરી કે, "રાબ્બી, કંઇક ખાઓ."
32 પણ તેમણે તેમને કહ્યું, "મારી પાસે ખાવાને ખોરાક છે, તે વિશે તમે જાણતા નથી."
33 ત્યારે તેમના શિષ્યોએ એકબીજાને પૂછયું, "શું તેમના માટે કોઇ ખાવાનું લાવ્યું હશે?"
34 ઈસુએ કહ્યું, "જેણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પુરી કરવી અને તેમનું કાર્ય પૂરું કરવું તે જ મારો ખોરાક છે. 35 શું તમે નથી કહેતાં કે હજુ ચાર મહિના પછી કાપણી શરૂ થશે. હું તમને કહું છું કે તમારી આંખો ખોલીને ખેતરો જુઓ! તેઓ કાપણીને સારું પાકી ચૂકયાં છે. 36 જે કાપે છે તે વેતન પામે છે અને અનંતજીવનને માટે કાપણી લણે છે. જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે આનંદ કરે. 37 તેથી કહેવાય છે: ‘એક વાવે છે ને બીજો લણે છે’ તે સાચું છે. 38 જેને માટે તમે કામ કયુઁ નથી તે કાપવા ને મેં તમને મોકલ્યા છે, બીજાઓએ સખત મહેનત કરી છે અને તમે તેમની મેહનતનો લાભ પામ્યા."
39 તે વાતથી શહેરનાં ઘણાં સમરૂનીઓએ તેમના પર વિશ્વાસ કયોઁ, કેમકે તે સ્ત્રીની સાક્ષીને કારણે, "મેં જે કર્યું હતું તે સર્વ તેમણે મને કહી બતાવ્યું." 40 તેથી જયારે સમરૂનીઓ તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે તેમની સાથે રહેવા વિનંતી કરી અને તેઓ ત્યાં બે દિવસ રહ્યા. 41 અને તેમની વાતને કારણે ઘણાં લોકો વિશ્વાસી બન્યા.
42 તેઓએ તે સ્ત્રીને કહ્યું, "હવે માત્ર તારા કહેવાથી અમે વિશ્વાસ નથી કરતા, પણ હવે અમે પોતે સાંભળ્યું છે અને જાણીએ છીએ કે આ માણસ ખરેખર તે જગતના તારનાર છે."
43 બે દિવસ પછી તેઓ ગાલીલમાં ગયા. 44 હવે ઈસુએ પોતે કહ્યું કે, "પ્રબોધકને પોતાના દેશમાં કંઇ માન નથી." 45 જયારે તેઓ ગાલીલમાં પહોંચ્યા, ગાલીલીઓએ તેમને આવકાર્યા, કેમકે પાસ્ખાપર્વ સમયે તેઓએ યરુશાલેમમાં જે કામો તેમણે કયાઁ હતા, તે તેમણે જોયા હતા. કેમકે તેઓ પણ ત્યાં હતા.
46 ફરી એક વાર તેઓ ગાલીલનાં કાનાની મુલાકાત કરી, જયાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો. ત્યાં એક અમીર અધિકારી હતો જેનો દીકરો કપરનાહૂમમાં બિમાર પડેલો હતો. 47 જયારે આ માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તે તેમની પાસે જઈને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર, જે મરવાની અણી પર હતો.
48 ઈસુએ તેને કહ્યું, "ચિન્હો તથા ચમત્કારો જોયા વિના તમે કદી વિશ્વાસ કરવાના નથી!"
49 અમીર અધિકારીએ તમને કહ્યું, "સાહેબ, મારો દીકરો મરણ પામે, તે પહેલાં આવો."
50 ઈસુએ જવાબ આપ્યો, "જા, તારો દીકરો જીવે છે."
તે માણસે ઈસુના શબ્દો લઇને ગયો. 51 હજી તો તે માર્ગમાં હતો, એટલામાં તેના નોકરો તેને સામાચાર સાથે મળ્યાં, કે "તમારો દીકરો જીવતો રહયો છે."
52 જયારે તેણે તેઓને દીકરાના સારા થવાનો સમય પૂછયો, ત્યારે તેઓએ તેને કહ્યું, "ગઈ કાલે બપોરનાં એક વાગે તેનો તાવ ઊતરી ગયો."
53 તેથી પિતાને સમજાયું કે આ તે જ સમય હતો જયારે ઈસુએ તેને કહ્યું હતું કે, "તારો દીકરો જીવશે." તેથી તેણે તથા તેના આખા કુટુંબે વિશ્વાસ કયોઁ.
54 યહૂદિયાથી ગાલીલમાં આવ્યા પછી ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો.