Publicidade

João 5

કુંડે સાજાપણું

1 થોડા સમય પછી, ઈસુ યહૂદીઓનાં એક પવેઁ યરુશાલેમ ગયા. 2 હવે ત્યાં યરુશાલેમનાં ઘેટાં દરવાજા પાસે એક કુંડ છે, કે જેને અરામીકમાં બેથઝાથા કહેવામાં આવે છે, અને જે પાંચ પરસાડોથી ઘેરાયેલો હતો, 3 અહીંયા અંધ, લંગડા, અને લકવાવાળા લોકો મોટી સંખ્યામાં પડી રહેતાં હતા, અને કુંડમાં પાણી હાલે તેની રાહ જોતાં હતા, 4 ઈશ્વરનો દૂત કોઈ કોઈ વાર આવીને પાણી હલાવતો હતો. તે વખતે જે માણસ, પહેલો કુંડમાં ઊતરતો તે સાજો થતો. 5 ત્યાં એક જણ હતો જે આડત્રીસ વરસથી પીડાતો હતો. 6 જયારે ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તે ઘણા લાંબા સમયથી એવો જ હતો, તે જોઇને તેમણે તેને પૂછયું, "શું તું સાજો થવા ચાહે છે?"

7 "સાહેબ," પીડીતે જવાબ આપ્યો, "કુંડમાં જયારે પાણી હાલે છે ત્યારે મને મદદ કરનાર કોઈ હોતું નથી. જયારે હું તેમાં ઊતરવા પ્રયત્ન કરું છું તે પહેલાં બીજો કોઈ તેમાં ઊતરી પડે છે."

8 પછી ઈસુએ તેને કહ્યું, "ઊભો થા, તારી પથારી લઈને ચાલ્યો જા." 9 તરત જ તે માણસ સાજો થઈ ગયો; તે પોતાની પથારી લઈને ચાલ્યો.

જે દિવસે આ બન્યું તે સાબ્બાથ હતો. 10 અને માણસને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદી આગેવાનો કહ્યું, "આ સાબ્બાથ છે, એટલે તારે પથારી ઊંચકવી તે નિયમ વિરુધ્ધ છે."

11 પણ તેણે જવાબ આપ્યો, "જે માણસે મને સાજો કયોઁ તેણે મને કહ્યું કે, ‘તારી પથારી ઊંચકીને ચાલતો થા.’ "

12 તેથી તેઓએ તેને પૂછયું, "આ માણસ કોણ છે કે જેણે તને એમ કહ્યું ઊંચકિને ચાલ?"

13 જે માણસ સાજો થયો હતો, તેને ખબર ન હતી કે તે કોણ હતું, કારણ કે ટોળું હતું માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા.

14 પછી ઈસુ તેને મંદિરમાં મળ્યાં અને તેને કહ્યું, "જો, તું સાજો થઈ ગયો છે, હવેથી પાપ કરીશ નહિ, રખેને કંઇક ખરાબ તારી સાથે બને." 15 તે માણસે જઈને યહૂદી આગેવાનોને કહ્યું કે, તે ઈસુ હતા જેમણે તેને સારો કયોઁ.

પુત્રનો અધિકાર

16 તેથી યહૂદી આગેવાનો તેમને સતાવવા લાગ્યા, કેમકે ઈસુ આ બધુ સાબ્બાથવારે કરતા હતા. 17 ઈસુએ તેમના બચાવમાં કહ્યું, "મારા પિતા અત્યાર સુધી હંમેશા તેમના કાયોઁ કરે છે અને હું પણ કાયઁ કરું છું." 18 એ માટે તેમને મારી નાખવા વધારે પ્રયત્ન કયોઁ. કેમકે તેમણે સાબ્બાથ ભંગ કર્યા હતો એટલું જ નહિ પણ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન ગણે છે.

19 ઈસુએ તેઓને આ જવાબ આપ્યો: "હું તમને સાચે જ કહું છું કે પુત્ર પોતાની મેળે કાંઈ કરી શકતો નથી, તે પિતાને જે કરતાં જુએ છે, તે જ તે કરે છે. કેમકે તે જે કંઇ કરે છે તે પુત્ર પણ કરે છે. 20 કેમકે પિતા પુત્ર પર પ્રેમ કરે છે અને જે કંઇ તે કરે છે તે સઘળું પુત્રને દેખાડે છે. હા, અને તે તેમને આ કરતાં મોટા કામ દેખાડશે, એ માટે કે તમે અચરત પામો. 21 કેમકે જેમ પિતા મૂએલાઓને ઊઠાડીને તેમને જીવન આપે છે, તેમજ પુત્ર પણ ચાહે તેમને જીવન આપે છે. 22 વળી પિતા કોઇનો ન્યાય કરતા નથી પણ ન્યાય ચુકવવાનું સઘળું પુત્રને સોંપ્યું છે. 23 જેથી દરેક જણ જેમ પિતાને તેમ પુત્રને પણ માન આપે, જે પુત્રને માન નથી આપતાં, તો તેને મોકલનાર પિતાને પણ માન નથી આપતાં.

24 "હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે. 25 હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે. 26 કેમકે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ પુત્રને પણ પોતાનામાં જીવન આપ્યું છે. 27 અને તેણે તેમને ન્યાય કરવાનો અધિકાર પણ આપ્યો, કેમકે તે માણસનો દીકરો છે.

28 "તેથી તમે આશ્ચર્ય પામશો નહિ, કેમકે એવો સમય આવે છે કે, જયારે જેઓ તેમની કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે. 29 અને જેઓએ સારાં કામ કર્યા છે તેઓ જીવન માટે ઉઠશે, અને જેઓએ ભૂંડા કામ કયાઁ છે, તેઓ સજા પામવાં માટે ઊઠશે. 30 હું મારી મેળે કશું કરી શકતો નથી, હું જે સાંભળું છું તે પ્રમાણે ન્યાય કરું છું, ને મારો ન્યાય યથાર્થ છે, કેમકે હું પોતાની જાતને નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેને ખુશ કરવાને ચાહું છું.

ઈસુ વિશેની સાક્ષી

31 "જો હું મારા વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી. 32 અન્ય કોઈ છે કે જે મારે વિશે સાક્ષી આપે છે, અને હું જાણું છું કે મારા વીશે તેમની સાક્ષી સાચી છે.

33 "તમે યોહાને મોકલ્યો હતો અને તેણે સત્ય વિશે સાક્ષી આપી છે. 34 હું માનવ સાક્ષી સ્વીકારતો નથી; પણ મે તમને તે જણાવ્યું કે તમે તારણ પામો. 35 યોહાન સળગતો દીવો હતો ને પ્રકાશ આપતો અને તેના પ્રકાશમાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.

36 "યોહાનની સાક્ષી કરતાં મારી પાસે મોટી સાક્ષી છે. કેમકે જે કામો પિતાએ મને પુરા કરવાને આપ્યા છે, એટલે જે કામો હું કરું છું, તે જ સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. 37 અને જે પિતાએ મને મોકલ્યો છે, તેમણે પોતે મારા વિશે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી સાંભળી નથી કે તેમનો આકાર જોયો નથી. 38 કે તેમના વચન તમારામાં રહેલા નથી, કેમકે જેને તેને મોકલ્યો તેમના પર વિશ્વાસ કરતા નથી. 39 તમે પવિત્રશાસ્ત્રનો ખંતથી અભ્યાસ કરો છો, કેમકે તમે માનો છો કે તેમાં તમને અનંતજીવન છે. આ એ પવિત્રશાસ્ત્ર છે કે જે મારે વિશે સાક્ષી આપે છે. 40 તેમ છતાં તમે જીવન પામવાં મારી પાસે આવતાં નથી.

41 "હું માણસોથી મહિમા સ્વીકારતો નથી. 42 પણ હું તમને જાણું છું કે તમારાં હ્રદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ નથી. 43 હું મારા પિતાનાં નામે આવ્યો છું અને તમે મારો સ્વીકાર કરતા નથી, પણ જયારે કોઇ પોતાના નામે આવશે તો તમે તેનો સ્વીકાર કરશો. 44 તમે કેવી રીતે વિશ્વાસ કરી શકો, કેમકે તમે એકબીજાથી મહિમા સ્વીકારો છો, પણ જે મહિમા ફકત ઈશ્વર તરફથી મળે છે તે તમે શોધતા નથી.

45 "પણ હું પિતાની આગળ તમારા પર દોષ મુકીશ એમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર તો મોશે છે તેના પર તમે ભરોસો રાખો છો. 46 જો તમે મોશે પર વિશ્વાસ કર્યા હોત તો, મારા પર પણ વિશ્વાસ કરત, કેમકે તેણે મારા વિશે લખ્યું છે. 47 પણ તમે તેનાં લખેલા પર તમે વિશ્વાસ કરતા નથી, તો હું જે કહું તેની પર તમે કેવી રીતે વિશ્વાસ કરવાનાં?"

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-