Publicidade

2 Pedro 2

જૂઠા ઉપદેશકો અને તેમનો વિનાશ

1 પરંતુ લોકોમાં જૂઠા પ્રબોધકો હતાં, જેમ તમારાંમાં પણ જૂઠા ઉપદેશકો છે. તેઓ ગુપ્ત રીતે પાખંડ ફેલાવશે, અને જે પ્રભુએ તેમનો ઉધ્ધાર કયોઁ તેમનો નકાર કરશે, અને પોતાના પર ઉતાવળે વિનાશ લાવશે. 2 ઘણાં લોકો તે પ્રમાણે વર્તશે. અને સત્યનાં માર્ગને બદનામ કરશે. 3 પોતાના લોભમાં આ શિક્ષકો ખોટી વાતાઁઓ દ્રારા તમારું શોષણ કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેમનો વિનાશ ઊંઘતો નથી.

4 કેમકે જે દૂતોએ પાપ કર્યું તેઓને પણ ઈશ્વરે છોડ્યા નહિ, પણ સાંકળોથી બાંધીને ન્યાયના દિવસ સુધી નરકનાં ગાઢ અંધકારમાં નાંખી દીધા; 5 જો કે પ્રાચીન જગતને તેના અધમીઁ લોકો પર જળપ્રલય લાવ્યા, પણ ન્યાયપણાના ઉપદેશક નૂહને અને તેની સાથેના સાત માણસોને બચાવ્યાં; 6 અને અધમીઁઓનું શું થવાનું છે તેનું ઉદાહરણ આપવાં માટે સદોમ અને ગમોરા શહેરોને પણ બાળીને ભસ્મ કરી નાંખ્યાં; 7 અને જો તેમણે લોતને બચાવ્યો, જે એક ન્યાયી માણસ હતો, જે અધમીઁઓના દુરાચારથી ત્રાસ પામતો હતો 8 (કેમકે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો તેઓના દુષ્ટ કૃત્યો જોઈને અને સાંભળીને પોતાના ન્યાય આત્મામાં દુઃખી થતો હતો) 9 જો એમ હોય તો પ્રભુ જાણે છે કે ન્યાયના દિવસે ધામિઁક લોકોને કેવી રીતે પરીક્ષણોથી બચાવવાં અને અન્યાયીઓને શિક્ષા હેઠળ રાખી મૂકવાનું જાણે છે. 10 આ ખાસ કરીને એ લોકો માટે સાચું છે કે જેઓ પોતાની ભૂંડી શારીરિક વાસનાઓ પ્રમાણે ચાલે છે, અને સત્તાને ધિક્કારે છે.

ઘમંડી અને સ્વછંદી થઈને અધિકારીઓનું અપમાન કરતાં ડરતાં નથી; 11 જો કે દૂતો, વિશેષ બળવાન અને શક્તિમાન હોવાં છતાં, પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતાં નથી. 12 પણ આ લોકો જે બાબતો સમજી શકતા નથી તેમાં નિંદા કરે છે. તેઓ મૂખઁ પ્રાણીઓ જેવા છે, જેઓ પકડાઈને મારી નંખાવાને માટે સર્જાયેલાં છે, અને પ્રાણીઓની જેમ તેઓ પણ નાશ પામશે.

13 તેઓએ કરેલાં નુકશાનનો બદલો તેમને નુકશાન સાથે મળશે. તેઓ ધોળા દિવસે સુખભોગમાં આનંદ માણે છે. તેઓ ડાઘ અને કલંકરૂપ છે. તેઓ પ્રેમભોજનમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે; 14 તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે; અને પાપ કરતાં બંધ નથી પડતી; તેઓ અસ્થિર લોકોને ફસાવે છે; તેઓ લોભમાં કેળવાયેલા છે; તેઓ શાપના છોકરાં છે! 15 તેઓ સીધો માર્ગ છોડી ને અવળે માગેઁ ભટકી ગયેલાં છે અને બેઓરના દીકરા બલામની માફક અવળે માર્ગે ચાલ્યા છે, જેને દુષ્ટતાનું ફળ પ્રિય હતું 16 પણ તેને તેના અધમઁને લીધે એક ગધેડા દ્રારા તેને ઠપકો આપવામાં આવ્યો, એક મૂંગા પ્રાણી, જેણે માણસની વાણીમાં વાત કરી પ્રબોધકની ઘેલછાને અટકાવી.

17 આ લોકો પાણી વગરનાં ઝરણાં અને તોફાનથી ઉડતાં ધુમ્મસ જેવા છે, તેઓને માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે. 18 કેમકે તેઓ ખાલી બડાઇ મારતી વાતો બોલે છે, અને દૈહીક ઇચ્છાઓને આકષિઁત કરીને, એવા લોકોને બચાવે છે જેઓ હમણાં જ ભૂલમાં જીવતાં લોકોથી બચી રહયાં છે. 19 તેઓ તેમને સ્વતંત્રતાનું વચન આપે છે, જયારે તેઓ પોતે દુષ્ટતાના ગુલામ છે, કેમકે "માણસને જે કોઈ જીતે છે તેને તે પોતાનો દાસ કરી લે છે" 20 આપણા પ્રભુ અને તારનાર ઈસુ મસીહને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં ભૂંડી થાય છે. 21 એક વાર ન્યાયપણાનો માગઁ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, તે કરતાં તેઓએ તે માગઁ વિશે અજાણ્યા રહ્યાં હોત તો સારું થાત. 22 "કૂતરું પોતાની ઓક તરફ," અને "ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા સારું પાછી જાય છે," આ કહેવત સાચી છે.

Veja também

Publicidade
2 Pedro
Ver todos os capítulos de 2 Pedro
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-