Publicidade

2 Pedro 1

1 આપણા ઈશ્વર અને તારનાર ઈસુ મસીહના ન્યાયીપણાંથી અમારા જેવો જ મૂલ્યવાન વિશ્વાસ મેળવનારા:

તમો સૌને પત્ર લખનાર ઈસુ મસીહના સેવક અને પ્રેષિત સિમોન પિતરની સલામ,

2 ઈશ્વર અને પ્રભુ ઈસુના જ્ઞાનથી તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.

તેડું અને પસંદગી

3 જેમણે પોતાના મહિમા વડે અને ભલાઇથી આપણને બોલાવ્યા છે, તેમના જ્ઞાનથી તેમની ઇશ્વરી શક્તિએ આપણને ઈશ્વરભક્તિપૂણઁ જીવનને લગતાં તમામ વાનાં પૂરાં પાડયા છે. 4 તેનાંથી તેમણે આપણને મૂલ્યવાન અને મહાન વચનો આપ્યા છે, જેથી તેમના દ્રારા તમે જગતમાંની જે દુવાઁસનાને કારણે થતાં ભ્રષ્ટાચારથી છુટકારો મેળવીને ઇશ્વરી સ્વભાવના તમે ભાગીદાર થાઓ કે આપણી ચારે તરફ રહેલાં લાલસા અને દુરાચારથી છોડાવીને તેમણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનાવવાનું વચન આપેલું છે.

5 એ જ કારણથી તમારાં વિશ્વાસની સાથે ભલાઈ; અને ભલાઇની સાથે જ્ઞાન; ઉમેરવાનો પ્રયત્ન કરો; 6 ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધિરજ; ને ધિરજની સાથે ભકિતભાવ; 7 અને ભકિતભાવની સાથે બંધુપ્રીતી; અને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. 8 કેમકે જો આ સઘળાં તમારામાં હોય અને તેઓની વૃધ્ધિ થાય, તો તે તમને આપણા પ્રભુ ઈસુ મસીહનાં જ્ઞાનમાં તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ. 9 પણ જેની પાસે એ નથી તે અંધ છે અથવા ટૂંકી દ્રષ્ટિવાળો છે, અને તે ભુલી જાય છે કે તે પોતાના આગલા પાપોથી શુધ્ધ થયો છે.

10 તેથી મારા ભાઈઓ અને બહેનો, તમને મળેલાં તેળા તથા પસંદગી નક્કી કરવા સારું પુરો પ્રયાસ કરો. કેમકે જો તમે આ બાબતો કરશો તો તમે કયારેય ઠોકર ખાશો નહિ, 11 અને આપણા પ્રભુ તથા તારનાર ઈસુ મસીહના સાર્વકાલિક રાજ્યમાં તમારું ભવ્ય સ્વાગત થશે.

શાસ્ત્રની ભવિષ્યવાણી

12 તેથી, હું તમને હંમેશા આ બાબતોનું સ્મરણ કરાવીશ, જો કે તમે આ જાણો છો અને જે સત્ય તમારી પાસે છે તેમાં સ્થિર છો. 13 જયાં સુધી હું આ શરીરરૂપી માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવવું એ મને યોગ્ય લાગે છે, 14 કારણ કે હું જાણું છું કે આપણા પ્રભુ ઈસુ મસીહે સ્પષ્ટ કયુઁ છે તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે. 15 અને મારા મરણ પછી પણ આ બાબતો તમે હંમેશાં યાદ રહે માટે હું પુરો પ્રયત્ન કરીશ.

16 કેમકે જયારે અમે તમને આપણા પ્રભુ ઈસુ મસીહના સામર્થ્ય અને તેમના પુનરાગમન વિશે અમે જે કહ્યું છે, ત્યારે અમે ચતુરાયથી કોઈ કાલ્પનિક વાતાઁને અનુસયાઁ ન હતા, પણ અમે તેમનાં મહીમાને પ્રત્યક્ષ જોનારા હતા. 17 કેમકે જયારે મહીમાવંત મહીમામાંથી તેમને એવી વાણી સંભળાઇ "આ મારો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું." ત્યારે તેમને ઈશ્વર પિતા તરફથી માન અને મહિમા પ્રાપ્ત થયા. 18 જયારે અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા, ત્યારે અમે એ વાણી સાંભળી હતી.

19 વળી અમારી પાસે એથી વધારે ખાતરીપુવઁક વાત એટલે ભવિષ્યવચન છે, અંધારામાં પ્રકાશ કરનાર દીવાનાં જેવા જાણીને, જયાં સુધી દિવસ ઉગે અને સવારનો તારો તમારા હ્રદયોમાં ઉગે, ત્યાં સુધી તમે તેના પર ઘ્યાન આપો તો સારું. 20 આ ઉપરાંત, તમારે જાણવું કે શાસ્ત્રમાનું એકે ભવિષ્યવચન કોઈ પ્રબોધકે પોતાના અથઁઘટનથી નથી આવ્યું. 21 કેમકે કોઈ પણ ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે આવ્યું નથી, પરંતુ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચનો બોલ્યાં.

Veja também

Publicidade
2 Pedro
Ver todos os capítulos de 2 Pedro
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-