Publicidade

João 12

બેથાનિયામાં ઈસુનો અભિષેક

1 પાસ્ખાપર્વના છ દિવસ પહેલાં ઈસુ બેથાનિયામાં આવ્યા, જયાં લાઝરસ રહેતો હતો જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યા હતો. 2 અહીં ઈસુના માનમાં ભોજન આપવામાં આવ્યું હતું. માર્થા સરભરા કરતી હતી, જયારે લાઝરસ તેમની સાથે જમવા બેઠો હતો. 3 તે સમયે મરિયમે આશરે અડધો કિલો અતિમૂલ્યવાન અત્તર લાવીને ઈસુના પગ પર રેડયું, અને પોતાના વાળથી તેમના પગ લૂંછયા, અને આખું ઘર અત્તરની સુગંધથી મહેકી ઉઠયુ.

4 પરંતુ તેમનો એક શિષ્ય યહૂદા ઈશ્કારિએત, જે તેમને પછીથી પરસ્વાધીન કરાવવાનો હતો, તેણે વાંધો ઉઠાવ્યો, 5 "આ અત્તર વેચીને તેના પૈસા ગરીબોને કેમ આપવામાં ન આવ્યા? તે એક વરસના પગાર જેટલું હતું." 6 તેને ગરીબોની ચિંત્તા હતી માટે એમ કહ્યું ન હતું. પણ તે ચોર હતો; અને પૈસાની થેલી રાખતો હતો, અને તેમાં જે નાંખવામાં આવતું તેમાંથી તે પોતાને માટે વાપરતો હતો.

7 ઈસુએ જવાબ, "એને એકલી રહેવા દો. તેણે મારા દફન કરવાના દિવસને સારું એ અત્તર રાખવું જોઈતું હતું. 8 ગરીબો હંમેશાં તમારી સાથે છે. પણ હું હંમેશા તમારી સાથે નથી."

9 તે દરમિયાન યહૂદીયામાંના મોટા ટોળાને ખબર પડી કે ઈસુ ત્યાં આવ્યા છે ત્યારે તેઓ ફકત તેમને નહિ, પણ મરણમાંથી સજીવન થયેલ લાઝરસને જોવા આવ્યા. 10 ત્યારે મુખ્ય યાજકોએ લાઝરસને મારી નાખવાની યોજના કરી, 11 કેમકે તેને લીધે ઘણાં યહૂદીઓ ઈસુ પાસે ચાલ્યા ગયા; અને તેમનાં પર વિશ્વાસ કયોઁ.

ઈસુ રાજા તરીકે યરુશાલેમમાં આવે છે

12 બીજે દિવસે પવઁમા આવેલા ટોળાએ સાંભળ્યું કે ઈસુ યરુશાલેમ આવી રહ્યા છે. 13 તેઓએ ખજૂરીની ડાળીઓ લઈને તેમને મળવા બહાર ગયા, અને બૂમ પાડી,

"હોસાન્ના!"

"પ્રભુને નામે જે આવે છે તેમને ધન્ય હો!"

"ઇઝરાયેલના રાજા સ્તુત્ય હો!"

14 ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો, અને તેના પર તેઓ બેઠાં, જેમ લખેલું છે તેમ:

15 "સિયોનની દિકરી બીશ નહિ,

જુઓ, ગધેડાના ખોલકા પર સવારી કરીને, તમારો રાજા આવે છે."

16 પહેલાં તો તેમના શિષ્યો આ બધું સમજયા નહિ, ઈસુ મહિમાવાન થયા પછી જ તેઓને સમજાયું કે આ બાબતો તેમના વિશે લખવામાં આવી છે અને આ બાબતો તેમના માટે કરવામાં આવી રહી છે.

17 હવે જે ટોળું તેમની સાથે હતું જયારે તેમણે લાઝરસને કબરમાંથી બોલાવ્યો અને મરણમાંથી સજીવન કર્યાં તેઓએ સાક્ષી ફેલાવવાનું ચાલુ રાખ્યું. 18 કારણ કે ઘણાં લોકોએ સાંભળ્યું હતું કે તેમણે ઘણાં ચમત્કાર કયાઁ હતા તેથી તેમને મળવા બહાર ગયા. 19 તે માટે ફરોશીઓએ એકબીજાને કહ્યું, "જુઓ, આપણું કાંઈ વળતું નથી. જુઓ, આખું જગત કેવું તેની પાછળ ગયું છે!"

ઈસુ તેમના મરણની આગાહી કરે છે

20 હવે પર્વમાં જેઓ ભજન કરવા આવ્યા હતાં તેઓમાં કેટલાક ગ્રીક લોકો હતા. 21 તેઓ ફિલિપ પાસે આવ્યા જે ગાલીલના બેથસૈદાનો હતો, તેને વિનંતી કરી. "સાહેબ! તેઓએ કહ્યું અમે ઈસુને જોવા ચાહીએ છીએ." 22 ફિલિપ આન્દ્રિયાને કહેવા ગયો; આંદ્રિયા અને ફિલિપે વારા ફરથી ઈસુને કહ્યું.

23 ઈસુએ જવાબ આપ્યો, "માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24 હું સાચે જ કહું છું, જયાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહિ જાય, તે એકલું જ બી રહે છે. પણ જો તે મરી જાય, તો તે ઘણાં બી ઉપજે છે. 25 જે કોઇ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તને ગુમાવે છે, વળી જે કોઇ આ જગતમાં પોતના જીવ નો દ્ગે્ષ કરે છે તે તેને અનંતજીવન માટે રાખશે. 26 જે કોઈ મારી સેવા કરતો હોય તો મારી પાછળ ચાલે; અને હું જયાં છું, ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે તેને મારા પિતા માન આપશે.

27 "હવે મારો જીવ વ્યાકુળ થઈ રહ્યો છે. અને હું શું કહું? ‘હે પિતા, મને આ સમયથી બચાવો?’ ના, એ જ કારણને લીધે તો હું આ સમય સુધી આવ્યો છું. 28 હે પિતા, તમારાં નામનો મહિમા થાવ."

ત્યારે સ્વર્ગમાંથી એક અવાજ આવ્યો, "મેં તેને મહિમા આપ્યો છે, અને ફરીથી તેને મહિમા આપીશ." 29 જે ટોળું ત્યાં હતું તેઓએ એ સાંભળ્યું ને કહ્યું, "ગર્જના થઈ!" પણ બીજાઓએ કહ્યું, "કે દૂતે તેમની સાથે વાત કરી."

30 ઈસુએ કહ્યું, "એ વાણી તમારે માટે હતી, મારા માટે નહિ. 31 હવે આ જગત પર ન્યાયનો સમય આવી ચૂકયો છે. હવે આ જગતના રાજાને કાઢી નાંખવામાં આવશે. 32 અને મને, જયારે પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધાં લોકોને મારી તરફ ખેંચીશ." 33 પોતે કેવી રીતે મરણ પામવાનાં છે તે દર્શાવવા ઈસુએ આ કહ્યું.

34 ટોળું બોલી ઉઠયું, "મસીહ સદા રહેશે, એવું અમે શાસ્ત્રમાંથી સાંભળ્યું છે, તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એવુ તમે કેમ કહો છો? આ માણસનો દીકરો કોણ છે?"

35 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, "હવે થોડીવાર સુધી તમારી પાસે પ્રકાશ હશે. જયાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. જે કોઇ અંધકારમાં ચાલે છે તેઓ કયાં જાય છે તે જાણતાં નથી. 36 જયાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં વિશ્વાસ કરો, જેથી તમે પ્રકાશનાં બાળકો થાઓ." આ વાતો કહી રહ્યા પછી ઈસુ ચાલ્યા ગયા અને તેઓનાથી પોતે સંતાઈ રહ્યા.

યહૂદીઓમાં વિશ્વાસ અને અવિશ્વાસ

37 તેઓની હાજરીમાં ઈસુએ ઘણાં બધા ચમત્કારો કર્યા પછી, છતાં તેઓએ તેના પર વિશ્વાસ કયોઁ નહિ. 38 યશાયા પ્રબોધકનુંં વચન પુરું કરવા માટે હતું:

"પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે.

અને પ્રભુનો હાથ કોની આગળ પ્રગટ થયેલો છે?"

39 માટે આ કારણથી તેઓ વિશ્વાસ કરી શક્યાં નહિ, વળી યશાયાએ કહ્યું હતું:

40 "તેમણે તેમની આંખો આંધળી કરી દિધી છે

અને તેઓનાં હૃદય કઠણ કર્યા છે,

જેથી તેઓ તેમની આંખોથી જોઈ શકે નહિ,

અથવા તેમના હૃદય સમજી શકે નહિ,

પાછા ફરે નહિ, અને હું તેમને સાજા કરું."

41 યશાયાએ આ કહ્યું કારણ કે તેણે ઈસુનો મહિમા જોયો અને તેમના વિશે બોલ્યો.

42 તોપણ તે જ સમયે આગેવાનોમાંના ઘણાંએ તેમના પર વિશ્વાસ કયોઁ. પણ ફરોશીઓ તેમને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂકે એ બીકથી તેઓએ જાહેરમાં તેમનો વિશ્વાસ જાહેર ન ક્યોઁ; 43 તેઓ ઈશ્વર તરફથી મળતી પ્રશંસા કરતાં માણસો તરફથી મળતી પ્રશંસાને વિશેષ ચાહતા હતા.

44 ત્યારે ઈસુએ મોટાં અવાજે કહ્યું, "જે કોઇ મારા પર વિશ્વાસ કરે છે, તે ફકત મારા પર જ વિશ્વાસ કરતા નથી. પણ જેણે મને મોકલ્યો છે તેના પર પણ. 45 જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46 હું જગતમાં પ્રકાશ તરીકે આવ્યો છું, જેથી જે કોઇ મારા પર વિશ્વાસ કરે છે તે અંધકારમાં ન રહે.

47 "જો કોઇ મારાંં વચન સાંભળ્યા છતાં પણ તેમને પાડતા નથી, તો હું એ વ્યક્તિનો ન્યાય કરતો નથી, કેમકે હું જગતનો ન્યાય કરવા નહિ, પણ જગતનો ઉધ્ધાર કરવા માટે આવ્યો છું. 48 જે મારો ઇનકાર કરે છે અને મારા વચનો સ્વીકારતો નથી; તેનો ન્યાય કરનાર એક છે, જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તેમનો ન્યાય કરશે. 49 કેમકે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી, પણ પિતાએ મને જે આજ્ઞા આપી છે, તે જ મેં તમને કહી છે. 50 હું જાણું છું કે તેમની આજ્ઞા અનંતજીવન તરફ દોરી લઈ જાય છે, તેથી જે કંઇ હું બોલું છું તે જ પિતાએ મને બોલવાનું કહ્યું છે."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-