1 ઈશ્વરની ઇચ્છાથી, મસીહ ઈસુના પ્રેષિત થવા માટે તેડાયેલ પાઉલ તથા ભાઈ સોસ્થેનેસ,
2 કરિંથમાંની ઈશ્વરની મંડળી, મસીહ ઈસુમાં પવિત્ર થયેલા, અને પવિત્ર થવા માટે બોલાવેલા લોકોને, જેઓ હરકોઇ જગ્યાએ આપણા પ્રભુ ઈસુ મસીહને નામે પ્રાથઁના કરે છે, આપણા અને તેઓના પ્રભુ છે:
3 આપણા પિતા ઈશ્વર અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
4 મસીહ ઈસુમાં તમને મળેલી કૃપા તમારે માટે હું સદા મારા ઈશ્વરનો આભાર માનું છું: 5 કારણ કે તેમનામાં તમે બધી રીતે સમૃધ્ધ થયા છો, દરેક પ્રકારની વાણી અને દરેક પ્રકારના જ્ઞાનથી, 6 ઈશ્વરે તમારામાં મસીહ વિશેની અમારી સાક્ષી આપી છે. 7 જેથી, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમનની વાટ જોતાં, તમને કોઇ પણ આત્મિક દાનની કમી ન રહે. 8 વળી તે તમને અંત સુધી સ્થિર રાખશે, જેથી તમે આપણા પ્રભુ ઈસુ મસીહના દિવસે નિદોઁષ રહો. 9 ઈશ્વર વિશ્વાસુ છે, જેણે તમને પોતાના પુત્ર, આપણા પ્રભુ ઈસુ મસીહની સંગતમાં બોલાવ્યા છે.
10 ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ મસીહને નામે હું તમને વિનંતી કરું છું કે, તમે બધા એકબીજા સાથે એકમતના થાઓ, અને તમારામાં કોઇ ભાગલા ન પડે, પણ મનમાં અને વિચારમાં પૂણઁ રીતે એક થાઓ. 11 ભાઈઓ અને બહેનો, કલોએના ઘરના કેટલાકે મને કહ્યું છે કે તમારામાં ઝગડા છે. 12 મારા કહેવાનો અથઁ આ છેઃ તમારાંમાંનો એક કહે છે કે: "હું પાઉલને અનુસરુ છું," બીજો કહે છે કે, "હું અપોલસને અનુસરુ છું," બીજા, "હું કેફાને અનુસરુ છું," વળી બીજા કેટલાક કહે છે "હું મસીહને અનુસરુ છું."
13 શું મસીહ વિભાજીત થયા છે? શું પાઉલ તમારાંં માટે ક્રૂસે જડાયો? શું પાઉલને નામે તમે બાપ્તિસ્મા પામ્યા છો? 14 હું ઈશ્વરનો આભાર માનું છું કે મેં ક્રીસ્પસ અને ગાયસ સિવાય બીજા કોઈને બાપ્તિસ્મા આપ્યું નથી. 15 જેથી એવું કોઈ ન કહી શકે કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 16 (હા, મેં સ્તેફનાસના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું. એ સિવાય બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું હોય એવું મને યાદ નથી.) 17 કારણ કે બાપ્તિસ્મા આપવાં માટે મસીહે મને મોકલ્યો નથી. પણ સુસમાચાર પ્રગટ કરવા જ્ઞાનને વાકછટાથી નહિ, રખેને મસીહના ક્રૂસનુ સામથ્યઁ વ્યથઁ જાય.
18 કેમકે નાશ પામનારાઓને તો ક્રૂસની વાત મૂખઁતા જેવી લાગે છે, પણ આપણ તારણ પામેલાંઓ માટે તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. 19 કેમકે લખેલું છે:
"હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ;
અને બુધ્ધિમાનોની ની બુધ્ધિને નિરથઁક કરીશ."
20 તો જ્ઞાની કયાં છે? નિયમશાસ્ત્રના પંડિતો કયાં છે? આ જમાનાના તત્વજ્ઞાની કયાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મુખઁ બનાવ્યું નથી? 21 કેમકે ઈશ્વરના જ્ઞાન પ્રમાણે જગતે પોતાના જ્ઞાનથી તેમને ઓળખ્યા નહિ, તેથી જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તેની મૂખઁતા દ્રારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઇશ્વરને પસંદ પડયું. 22 યહૂદીઓ ચિહ્નની માગણી કરે છે, અને ગ્રીકો જ્ઞાન શોધે છે. 23 પણ અમે તો ક્રૂસે જડાયેલા મસીહને પ્રગટ કરીએ છીએ, જે યહૂદીઓને ઠોકરરૂપ અને વિદેશીઓને મૂખઁતારૂપ છે. 24 પણ જેને ઈશ્વરે તેડયા છે એટલે કે યહૂદીઓ અને ગ્રીકો બંને, તેમના માટે મસીહ ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું જ્ઞાન છે. 25 કેમકે માણસોના જ્ઞાન કરતા ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે. અને માણસોની શકિત કરતા ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શકિત છે.
26 ભાઈઓ અને બહેનો, જયારે તમને બોલાવવામાં આવ્યા ત્યારે તમે કેવાં હતા તે વિશે વિચારો. તમારામાંના ઘણાં માનવીય ધોરણ પ્રમાણે જ્ઞાનીઓ ન હતા; ઘણા પ્રભાવશાળી ન હતા; ઘણા માનવંતા ન હતા. 27 પણ જ્ઞાનીઓને શરમાવવા માટે ઈશ્વરે જગતના મૂખોઁને પસંદ કયાઁ, શક્તિમાનોને શરમાવા માટે જગતના નબળાઓને પસંદ કયાઁ. 28 ઈશ્વરે આ જગતમાં નમ્ર અને તુચ્છ ગણેલી વસ્તુઓ, અને જે નથી તેને પસંદ કરી, જેથી જે છે તેને નષ્ટ કરી શકાય. 29 એટલા માટે કે તેમની આગળ કોઇ ગર્વ ન કરે. 30 તેને કારણે જ તમે મસીહ ઈસુમાં છો, જે આપણા માટે ઈશ્વર તરફથી જ્ઞાન બન્યા છે, એટલે કે આપણું ન્યાયીપણું, પવિત્રતા અને ઉધ્ધાર. 31 તેથી જેમ લખેલું છે તેમ: "જો કોઈ અભિમાન કરે તો તે પ્રભુમાં અભિમાન કરે."