1 શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેષિત નથી? શું મે પ્રભુને જોયા નથી? અને શું તમે મારી મહેનતનાં ફળરૂપે નથી? 2 બીજાઓને માટે હું પ્રેષિતના હોઉં, ચોક્કસ હું તમારે માટે તો છું! કારણ કે તમે પ્રભુમાં મારા પ્રેષિતપણાંની છાપ છો.
3 જેઓ મારો ન્યાય કરે છે તેમને મારો આ જવાબ છે. 4 શું મને કશું ખાવાનો કે પીવાનો અધિકાર નથી? 5 જેમ બીજા પ્રેષિતો અને, પ્રભુના ભાઈઓ અને કેફાની માફક શું અમને કોઈ વિશ્વાસી પત્ની સાથે જવાનો અધિકાર નથી? 6 શું માત્ર મારે અને બાર્નાબાસને જ હાથે મહેનત કરીને અમારું ગુજરાન કરવાનું છે?
7 લશ્કરમાં કયો સૈનિક પોતાનો ખર્ચ પોતે ઉઠાવે છે? જે દ્રાક્ષાવેલો વાવે છે અને તે શું દ્રાક્ષા ન ખાય? જે ઘેટાંબકરા પાળે તે શું તેનું દૂધ ન પીવે? 8 શું હું માત્ર માણસોનાં અધિકારો વિશે કહું છું? શું નિયમશાસ્ત્ર પણ એ જ નથી જણાવતું? 9 કેમકે મોશેનાં નિયમશાસ્ત્રમાં લખેલું છે કે: પારે ફરતાં બળદને મોઢે તું શીકી ન બાંધ. શું બળદને અનુલક્ષીને જ ઈશ્વરે આ ફરમાવ્યું છે? 10 ખરેખર તો એ આપણા માટે જ કહ્યું છે? હા તે આપણા માટે જ લખેલું છે. જેઓ ખેડે અને મસળે છે તેણે ફળ ખાવાની આશાથી લણવું. 11 જો અમે તમારાંમાં આત્મિક બી વાવ્યું છે, એના બદલામાં અમે શરીર ઉપયોગી વસ્તુઓ લણીએ એ શું વધારે પડતું કહેવાય? 12 જો બીજાને તમારી પાસેથી બદલો મળે છે તો તેઓના કરતાં શું અમને વધારે ન હોવું જોઈએ?
છતાં અમે આ હકનો ઉપયોગ કયોઁ નથી, એને બદલે, મસીહની સુસમાચારનો અટકાવ ન થાય માટે સહન કરીએ છીએ.
13 મંદિરમાં સેવા કરનારાઓને મંદિરમાંથી ખોરાક મેળવે છે અને ઈશ્વરની વેદીના સેવકોને વેદી પરનાં અર્પણમાંથી હિસ્સો મળે છે એ શું તમે નથી જાણતા? 14 તે જ પ્રમાણે પ્રભુએ આજ્ઞા આપી છે કે જેઓ સુસમાચારનો પ્રચાર કરે છે તેઓએ સુસમાચારમાંથી ભરણપોષણ કરવું જોઈએ.
15 પણ મેં આમાંથી કોઈ પણ અધિકારનો ઉપયોગ કયોઁ નથી. અને હું એ આશાથી નથી લખતો કે તમે મારા માટે આવા કામ કરો, કેમકે કોઈ મને આ અભિમાનથી વંચિત રાખે તેના કરતાં હું મરવાનું પસંદ કરીશ, 16 કેમકે જયારે હું સુસમાચાર પ્રચાર કરું છું, ત્યારે હું અભિમાન કરી શકતો નથી, કેમકે એમ કરવું મારી ફરજ છે, જો હું સુસમાચાર પ્રગટ ન કરું તો મને અફસોસ છે. 17 જો હું રાજાખુશીથી કરું, તો મને બદલો મળે છે; પરંતુ જો રાજીખુશીથી નહિ, તો એ મને કારભાર સોંપવામાં આવ્યો છે. 18 તો પછી મારો બદલો શું છે? ફકત આ: એટલું જ કે હું મફતમાં સુસમાચાર પ્રગટ કરું, અને સુસમાચાર પ્રગટ કરવાનો મારો જે હક છે તેનો હું પુરેપુરો લાભ ન લઉં.
19 જો કે હું સ્વતંત્ર છું, અને કોઇનો નથી, છતાં હું મારી જાતે સવઁનો ગુલામ થયો જેથી શકય તેટલાં લોકોને જીતી શકું. 20 યહૂદીઓને જીતાય માટે હું યહૂદીઓની સાથે યહૂદીઓ જેવો થયો છું. વળી હું પોતે નિયમને આધીન નહિ હોવા છતાં (નિયમશાસ્ત્રને આધીન રહેનારની સાથે હું તેઓના જેવો થયો છું.) જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને જીતી શકું. 21 નિયમરહિતોની સાથે હું નિયમરહીત બન્યો (જો કે હું ઇશ્વરના નિયમથી મુકત નથી, પણ મસીહના નિયમને આધીન છું), જેથી જેમની પાસે નિયમ નથી તેમને હું જીતી શકું. 22 નિર્બળોને જીતવા માટે હું નિબઁળ બન્યો, બધા લોકો માટે બધું જ બન્યો, જેથી શકય હોય તે રીતે હું કેટલાકને બચાવી શકું. 23 હું આ બધું સુસમાચારને ખાતર કરું છું જેથી હું તેના આશિષમાં સહભાગી થઈ શકું.
24 હરીફાઈમાં બધા હરીફો દોડે છે પણ પ્રથમ ઈનામ તો માત્ર એક જ જણને મળે છે તમે એવી રીતે દોડો કે તે ઈનામ તમને મળે. 25 હરીફાઈમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડી કડક શિસ્તનું પાલન કરે છે, વિનાશી ઈનામ મેળવવાં માટે તેઓ આ સર્વ કઠીનતાઓમાંથી પસાર થાય છે. પણ આપણે તો અવિનાશી સ્વર્ગીય ઈનામને માટે આમ કરીએ છીએ. 26 તેથી તે ધ્યેયને લક્ષમાં રાખીને હું નિશાન તરફ દોડી રહ્યો છું. હું કેવળ હવામાં મુક્કાબાજી કરતો નથી. 27 ના, હું મારા શરીરનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું: રખેને બીજાને સુસમાચાર પ્રગટ કયાઁ છતાં કદાચ હું પોતે ઇનામને માટે નાપસંદ થાઊ.