1 ભાઈઓ અને બહેનો, જેમ આત્મિક લોકોની સાથે વાત કરી શકયો નહિ પણ જેમ દુન્યવી લોકોની સાથે મસીહમાં બાળકની જેમ. 2 મેં તમને દૂધથી પોષ્યા, નહિ કે ભારે ખોરાકથી, કારણ કે હજુ સુધી તેને માટે તમે તૈયાર ન હતા અને ખરેખર હજુ પણ તૈયાર નથી. 3 કેમકે તમે હજી સુધી દુન્યવી છો કેમકે હજુ સુધી તમારામાં ઈષાઁ અને ઝધડા છે, તો શું તમે દુન્યવી નથી? શું તમે માણસોની જેમ વતઁતા નથી? 4 કેમકે કોઈ કહે છે કે, "હું પાઉલનો છું," અને બીજો કહે છે કે "હું અપોલસનો છું," ત્યારે શું તમે ફકત માણસો નથી.
5 છેવટે અપોલસ કોણ છે? અને પાઉલ શું છે? ફકત સેવકો જેમનાં દ્ઘારા તમે વિશ્વાસ કયોઁ, જેમ દરેકને પ્રભુએ સોંપ્યું તેમ સેવા કરી. 6 મેં બી વાવ્યું, અને અપોલસે તેને પાણી પાયુ, પરંતુ વૃધ્ધિ તો ઈશ્વરે જ આપી. 7 તેથી વાવનાર કે પાણી પાનાર કોઈ નથી, પણ દરેકને વૃધ્ધિ આપનાર ઈશ્વર છે. 8 વાવનાર અને પાણી પાનાર બંનેનો એક જ હેતુ છે અને પ્રત્યેકને તેમના પરિશ્રમ પ્રમાણે બદલો મળશે. 9 કેમકે આપણે ઈશ્વરની સેવામાં સહકાર્યકરો છીએ, તમે ઈશ્વરની ખેતી અને ઈશ્વરની ઈમારત છો.
10 ઈશ્વરે તેમની કૃપાથી મેં એક કુશળ મિસ્ત્રી તરીકે મે પાયો નાખ્યો અને તેના પર બીજો બાંધે છે પણ દરેકે કાળજી રાખીને બાંધવું. 11 માટે નંખાયેલો પાયો ઈસુ મસીહ છે, તે સિવાય બીજો કોઈ નાખી શક્તું નથી. 12 જો કોઇ આ પાયા પર સોનું, ચાંદી તથા કિમતી પથ્થરો, લાકડાંનો કે, ઘાસનો કે પરાળનો ઉપયોગ કરીને બાંધે છે. 13 તેમનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમકે તે દિવસે તેને પ્રકાશમાં લાવશે અને અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે, અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ પારખશે. 14 પછી જેનું બાંધકામ ટકી રહેશે તે બાંધનારને ઈનામ મળશે. 15 જો તે બળી જાય તો બાળનારને નુકશાન થશે, પણ તે બચી જશે, પણ તે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.
16 શું તમે નથી જાણતા કે તમે પોતે ઈશ્વરનું મંદિર છો, અને ઈશ્વરનો આત્મા તમારાંમાં રહે છે? 17 જો કોઈ ઈશ્વરનાં મંદિરનો નાશ કરે છે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમકે ઇશ્વરનું મંદિર પવિત્ર છે અને એ મંદિર તમે છો.
18 તમે પોતાને ન છેતરો, જો તમારાંમાંનો કોઇ એવું માને છે કે તમે આ યુગના ધોરણ પ્રમાણે જ્ઞાની છો, તો તેણે "મૂર્ખ" થવું, જેથી તે જ્ઞાની બની શકે. 19 કેમકે આ જગતનું જ્ઞાન ઈશ્વરની દ્રષ્ટિમાં મૂર્ખતા છે: "જેમ લખેલું છે કે જ્ઞાનીઓને તેમની ચાલાકીમાં સપડાવે છે." 20 અને ફરીથી, "પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચારો વ્યથઁ છે" 21 તો પછી માણસના આગેવાન વિશે અભિમાન ન કરવું, કેમકે બધા વાનાં તમારાં છે. 22 પાઉલ, અપોલસ અને કેફા કે જગત, જીવન, મૃત્યુ, વતઁમાન કે ભવિષ્ય બધા તમારા છે. 23 અને તમે મસીહના છો અને મસીહ ઈશ્વરના છે.