1 માત્ર બે દિવસ પછી પાસ્ખાપર્વ અને બેખમીર રોટલીનું પર્વ હતું, અને મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતોએ ગુપ્ત રીતે ઈસુની ધરપકડ કરી તેમને મારી નાંખવાનો લાગ શોધતા હતાં. 2 તેઓએ કહ્યું: "પણ પર્વ દરમિયાન નહિ, રખેને લોકો હુલ્લડ કરે."
3 જયારે તે બેથાનિયામાં હતા, સિમોન કોઢીયાનાં ઘરમાં તે જમવા બેઠાં હતા, ત્યારે એક સ્ત્રી જટામાંસીનું બનેલું અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને આવી; તે શીશી તોડીને અત્તર તેણે તેમના માથા પર રેડી દીધું.
4 હાજર રહેલામાંથી કેટલાક રોષે ભરાઈને એકબીજાને કહેવા લાગ્યા, "અત્તરનો આવો બગાડ શા માટે?" 5 આ અત્તર એક વષઁની મજુરી કરતાં મોટી કિંમતે વેચીને તેનાં નાણાં ગરીબોને આપી શકાયાં હોત, અને તેણીને તેઓએ સખત ઠપકો આપ્યો.
6 ઈસુએ કહ્યું, "તેને એકલી રહેવા દો, તેને તમે શા માટે હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉત્તમ કાયઁ કયુઁ છે. 7 ગરીબો તો હંમેશા તમારી સાથે છે, અને તમે ઇચ્છો ત્યારે તેઓને મદદ કરી શકો છો, પણ હું તમારી સાથે હંમેશા નથી. 8 તેનાથી થઈ શકે તે તેણે કર્યું છે. તેણે અગાઉથી દફનની તૈયારીરૂપે મારા શરીર ઉપર અત્તર રેડયું છે. 9 હું તમને સાચે જ કહું છું કે જગતભરમાં જયાં કંઈ સુસમાચારનો પ્રચાર કરવામાં આવશે, ત્યાં તેણે જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે."
10 પછી બાર શિષ્યોમાંનો એક યહૂદા ઇશ્કરિયોત મુખ્ય યાજકોને ઈસુને પકડાવી દેવા માટે તેઓની પાસે ગયો. 11 તેઓ આ સાંભળી ખુશ ખુશ થઈ ગયા, અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તેણે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ શોધવાં લાગ્યો.
12 બેખમીર રોટલીનાં પર્વને પહેલે દિવસે, જયારે પાસ્ખાપવઁના ઘેટાનું બલિદાન આપવાનો રિવાજ હતો, ઈસુનાં શિષ્યોએ તેમને પૂછયું, "તમે પાસ્ખા ખાઓ માટે અમે તમારા માટે કયાં જઈને તૈયારી કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે?"
13 ત્યારે તેઓએ તેમના શિષ્યોમાનાં બે ને મોકલ્યા અને કહ્યું, "તમે શહેરમાં જાઓ, ને તમને પાણીનો ઘડો લઈને જતો એક માણસ મળશે, તેની પાછળ જજો. 14 તે જે ઘરમાં પ્રવેશ કરે તેના માલિકને કહેજો, ગુરુજી કહે છે કે મારે ઊતરવાનો ઓરડો કયાં છે, જયાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં? 15 તે તમને ઉપલે માળે શણગારેલો ને તૈયાર કરેલો મોટો ઓરડો બતાવશે, ત્યાં આપણે માટે તૈયારી કરજો."
16 શિષ્યો ચાલી નીકળ્યાં ને શહેરમાં ગયા ને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે મળ્યું. તેથી તેઓએ પાસ્ખાપવઁની તૈયારી કરી.
17 જયારે સાંજ પડી, ઈસુ બારની સાથે આવ્યા. 18 જયારે તેઓ ટેબલ પર બેસી ભોજન લઈ રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું: "હું તમને સાચે જ કહું છું કે, તમારાંમાંનો એક જે મારી સાથે જમે છે તે મને પરસ્વાધીન કરશે."
19 તેઓ દુઃખી થયા, અને એક પછી એક તેમને પૂછવાં લાગ્યા, "શું ખરેખર તે હું છું?"
20 તેમણે જવાબ આપ્યો, "બારમાંનો એક, જે મારી સાથે વાટકામાં રોટલી બોળે છે તે. 21 માણસના દીકરા સંબંઘી જેમ લખેલું છે તેમ તે જાય છે. પણ જે માણસ માણસના દીકરાને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ! જો તે જન્મ્યો જ ન હોત તો તેને માટે સારું થાત!"
22 જયારે તેઓ ભોજન કરતા હતા, ઈસુએ રોટલી લીધી. અને આભાર માનીને, તેમણે તે તોડીને પોતાના શિષ્યોને આપી અને કહ્યું કે, "લો અને ખાઓ, આ મારું શરીર છે."
23 પછી તેમણે પ્યાલો લીધો અને આભાર માની તેમણે તેઓને આપ્યો, ને બધાએ તેમાંથી પીધું.
24 તેમણે તેઓને કહ્યું, "કરારનું આ મારું રકત છે, જે તે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવ્યું છે. 25 હું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજ્યમાં હું નવો દ્રાક્ષારસ ન પીઉં, ત્યાં સુધી હું ફરી તે પીનાર નથી."
26 પછી તેઓએ ગીત ગાયું અને તેઓ જૈતુનના પહાડ પર ગયા.
27 ઈસુએ તેઓને કહ્યું, "તમે બધા ઠોકર ખાશો. કારણ કે એવું લખેલું છે કે:
"હું ઘેટાંપાળકને મારીશ અને
ઘેટાં વેરવિખેર થઈ જશે.
28 પણ, મારા સજીવન થયા પછી, હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ."
29 પિતરે જાહેર કયુઁ, "અગર જો બધા ઠોકર ખાય, તોપણ હું નહિ."
30 હું તને સાચું જ કહું છું, ઈસુએ જવાબ આપ્યો, "આજે, હા, આજ રાત્રે, મરઘો બીજી વાર બોલે તે પહેલાં, તું પોતે ત્રણ વાર મારો નકાર કરીશ."
31 પણ પિતર જુસ્સાથી બોલી ઊઠયો, "મારે જો તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરું." અને બાકીનાં બધાએ એ જ પ્રમાણે કહ્યું.
32 તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવ્યા, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો." 33 તેમણે પિતર, યાકોબ અને યોહાનને પોતાની સાથે લીધા, તેઓ ઊંડી વ્યથાથી આકુળ વ્યાકુળ થવા લાગ્યા. 34 તેમણે તેઓને કહ્યું, "મારો જીવ મરવા જેવો ઘણો શોકાતૂર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો."
35 થોડેક આગળ જઈને તેઓએ જમીન પર પડીને પ્રાર્થના કરી કે શકય હોય તો આ ઘડી મારાંથી દૂર થાય. 36 તેમણે કહ્યું, "અબ્બા! પિતાજી! તમને સર્વ શકય છે, આ પ્યાલો મારાંથી દૂર કરો, તોપણ મારી નહિ, પણ તમારી ઇચ્છા પૂર્ણ થાઓ."
37 પછી તેમણે પાછા આવીને જોયું તો શિષ્યો ઊંઘતા હતા. તેમણે કહ્યું, "સિમોન! તેમણે પિતરને કહ્યું, શું તું ઊંઘે છે! શું તું એક કલાક પણ જાગતો રહી શકતો નથી! 38 જાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે."
39 ફરીથી જઈને તેમણે એની એ જ પ્રાર્થના કરી. 40 જયારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓને ફરીથી ઊંઘતા જોયા, કારણ કે તેઓની આંખો ભારે થઈ હતી. શું કહેવું તે તેઓને સૂઝયું નહિ.
41 ત્રીજી વાર પાછા આવીને તેમણે તેઓને કહ્યું, "હજું શું તમે ઊંઘ્યા કરો છો અને આરામ કરો છો? જુઓ સમય આવી પહોંચ્યો છે! અને માણસનો દીકરો પાપીઓનાં હાથમાં સોંપી દેવામાં આવે છે! 42 ઊઠો! આપણે જઈએ, મને પરસ્વાઘીન કરનાર અહીં આવી પહોંચ્યો છે!"
43 ઈસુ બોલતા હતા, તેવામાં શિષ્યોમાંનો એક એટલે યહૂદા, ત્યાં દેખાયો. મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો તથા વડીલોએ મોકલેલું લોકોનું મોટું ટોળું તેની સાથે હતું. તેઓ તરવાર અને લાઠીઓ લઈને આવ્યા હતા.
44 હવે પરસ્વાઘીન કરનારે તેઓને નિશાની આપી હતી કે: "હું જેને ચુંબન કરું છું, તે જ તે માણસ હશે, તેમને પકડીને ચોકસાઈથી દૂર લઈ જજો." 45 આવતાંની સાથે જ ઈસુ પાસે જઈને યહુદાએ કહ્યું, "રાબ્બી!" અને તેમને ચુંબન કર્યું. 46 માણસોએ ઈસુને ઘેરીને પકડી લીધા. 47 પરંતુ પાસે ઊભેલા એકે તરવાર કાઢી પ્રમુખ યાજકનાં નોકરનો કાન કાપી નાંખ્યો.
48 ઈસુએ કહ્યું, "શું હું બળવાની આગેવાની કરી રહયો છું, કે તમે મને તરવાર અને લાઠી લઈને પકડવા આવ્યા છો! 49 હું દરરોજ તમારી સાથે હતો, મંદિરનાં આંગણાંમાં નિત્ય શિક્ષણ આપતો, અને તમે મને ન પકડયો પણ શાસ્ત્રવચન પૂરાં થાય તે માટે આ પ્રમાણે બન્યું છે." 50 ત્યારે બધાં જ તેમને મૂકીને નાસી ગયા.
51 એક જુવાન, શણનું વસ્ત્ર ઓઢીને ઈસુની પાછળ આવતો હતો, તેઓએ તેને પકડયો, 52 એટલે તેનું વસ્ત્ર પડતું મૂકીને તે ઉઘાડો નાસી છૂટયો.
53 તેઓ ઈસુને પ્રમુખયાજક પાસે લઈ ગયાં, અને બધા મુખ્ય યાજકો, વડીલો, યહૂદી આગેવાનો, નિયમશાસ્ત્રના પંડિતો એકઠા થયા હતા. 54 પિતર ઘણે દૂર રહીને તેમની પાછળ પ્રમુખ યાજકના મકાનનાં આંગણાંમાં ગયો, અને બેઠેલાં ભાલદારોની સાથે બેસીને પોતાને અગ્નિએ તાપતો હતો.
55 મુખ્ય યાજકોએ અને સમસ્ત યહૂદી ન્યાયસભા સાન્હેદ્રિને ઈસુને મૃત્યુદંડ ફરમાવવા માટે તેમની વિરુધ્ધ પુરાવા શોધતા હતા, પરંતુ તેઓને કંઈ મળ્યુ નહિ. 56 ઘણાએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષીઓ આપી, પણ તેઓની જુબાની મળતી આવતી ન હતી.
57 છેવટે કેટલાકે ઊભા થઈને તેમની વિરુધ્ધ જુઠી સાક્ષી આપી: 58 "અમે તેમને એમ કહેતા સાંભળ્યાં છે કે: ‘માનવી હાથો વડે બનેલું આ મંદિર હું તોડી પાડીશ અને માનવી હાથો વિના બનાવેલું એવું મંદિર હું ત્રણ દિવસમાં બાંધીશ.’ " 59 આમાં પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
60 ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને ઈસુને કહ્યું, "શું તમે કંઇ જવાબ નથી આપતાં? આ માણસો તમારી વિરુદ્ધ શું સાક્ષી લાવે છે? આ માણસો તમારી વિરુદ્ધ આ કેવી સાક્ષી આપે છે?" 61 પણ ઈસુ શાંત રહ્યા ને કાંઈ જ જવાબ ન આપ્યો.
ફરી પ્રમુખ યાજકે તેમને પૂછયું, "શું તું મસીહ, સ્તુતિમાનનો પુત્ર છે?"
62 ઈસુએ કહ્યું, "હું છું, મને માણસનાં દીકરાને પરાક્રમનાં જમણા હાથે બિરાજેલો તથા આકાશના વાદળો પર આવતો નિહાળશો."
63 ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડયાં અને કહ્યું, "હવે આપણે વધારે સાક્ષીઓની શી જરૂર છે? 64 તમે એ ઈશ્વર નિંદા સાંભળી છે. તમારો શો અભિપ્રાય છે?"
અને બધાએ તેમને દેહાતદંડને પાત્ર ઠરાવ્યા. 65 ત્યારે કેટલાક તેમના ઉપર થૂંકવા લાગ્યા, તેમની આંખે પાટો બાંધી તેમના મોં પર મુક્કા મારવાં લાગ્યા, ને કહેવા લાગ્યા, કહ્યું "પ્રબોધ કર" વળી રક્ષકોએ તેમને લઈ જઈને માયાઁ.
66 એ દરમિયાન પિતર નીચે આંગણાંમાં હતો. પ્રમુખયાજકની એક દાસી ત્યાં આવી. 67 તેણે પિતરને તાપતો જોયો, તેણીએ નજીકથી તેની સામે જોયું, ને તેણીએ કહ્યું,
"તું પણ નાઝરેથનાં ઈસુની સાથે હતો."
68 પણ તેણે નકાર કયોઁ, "તું શું કહે છે તે હું જાણતો કે સમજતો નથી." એમ કહીને તે બહાર જતો રહ્યો.
69 જયારે દાસીએ તેને ત્યાં જોયો અને પાસેનાંઓને કહ્યું, "આ પેલો તેઓમાંનો એક છે!" 70 ફરીથી તેણે નકાર કર્યો.
થોડીવાર પછી, જેઓ નજીક ઊભેલાઓએ પિતરને કહ્યું, "સાચે જતું પણ તેઓમાંનો એક છે; કારણ, તું ગાલીલનો છે."
71 તે શાપ દેવા અને સમ ખાવા લાગ્યો, તેણે કહ્યું, "અરે! જે માણસ વિશે તમે કહો છો તેને હું ઓળખતો નથી!"
72 તરત જ મરઘો બીજી વાર બોલ્યો. પછી ઈસુએ પિતરને કહેલી વાત યાદ આવી, "મરઘો બોલ્યા પહેલાં તું ત્રણ વાર મારો નકાર કરીશ." અને તે ભાંગી પડયો ને ખૂબ રડયો.