1 ઈસુ મંદિરમાંથી નીકળતાં હતા, ત્યારે તેમના એક શિષ્યે કહ્યું, "ગુરુજી, જુઓ! કેવાં મોટા પથ્થરો! કેવી ભવ્ય ઈમારતો,"
2 ઈસુએ જવાબ આપ્યો, "શું તમે આ બધી મોટી ઈમારતો જુઓ છો? એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ અને દરેક તોડી પાડવામાં આવશે."
3 ઈસુ જૈતુન પહાડની ઉપર મંદિરની સામે બેઠાં હતા, પિતર, યાકોબ, યોહાન અને આન્દ્રિયા એ એકાંતમાં તેમને પૂછયું, 4 "અમને કહે, એ બધું ક્યાંરે થશે? અને એ બધા પુરા થવાનાં હશે ત્યારે શું નિશાની થશે?"
5 ઈસુએ તેમને કહ્યું: "કોઈ તમને ભરમાવે નહિ માટે સાવધ રહો. 6 ઘણાં મારા નામે આવીને કહેશે, ‘હું તે છું’ અને ઘણાંને ભરમાવશે. 7 જયારે તમે યુધ્ધ વિશે અને યુધ્ધની અફવાઓ વિશે સાંભળો, ત્યારે ગભરાશો નહિ. એ બધું થવું જ જોઈએ; પરંતુ અંત હજી આવવાનો છે. 8 પ્રજા પ્રજાની વિરુધ્ધ, અને રાજ્ય રાજ્યની વિરુધ્ધ. ઠેર ઠેર ધરતીકંપ થશે, અને દુકાળ પડશે: પણ આ બધું તો જન્મ પીડાનો આરંભ છે.
9 "તમે પોતા વિશે સાવધ રહેજો. તમને ન્યાયસભાનાં હાથમાં સોંપશે અને સભાસ્થાનોમાં તમને કોરડા મારવામાં આવશે. મારા લીધે રાજ્યકર્તાઓ અને રાજાઓ આગળ મારા સાક્ષી તરીકે ઊભા રાખવામાં આવશે. 10 અને પહેલાં સર્વ પ્રજાઓને સુસમાચાર પ્રગટ થવા જોઈએ. 11 જયારે તમને પકડવામાં આવે અને ન્યાય માટે લઈ જવામાં આવે, ત્યારે શું બોલવું એ વિશે ચિંતા ન કરો, તે સમયે તમને જે આપવામાં આવે તે જ બોલજો, કેમકે બોલનાર તમે નહિ, પણ પવિત્ર આત્મા છે.
12 "ભાઈ ભાઈને મરણને માટે પકડાવશે, પિતા બાળકોને અને બાળકો માતાપિતાની સામે ઊઠશે અને તેમને મારી નંખાવશે. 13 મારે લીધે સવઁ લોકો તમને ધિક્કારશે, પણ જે અંત સુધી ટકી રહેશે તે તારણ પામશે.
14 "જયારે તમે, વિનાશને કારણ ધિક્કારપાત્ર વસ્તુને જયાં તે સંબંધીત નથી ત્યાં ઊભેલી જોશો ત્યારે, જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાઓ, વાંચક આ સમજી લે, 15 જેઓ ધાબા ઉપર હોય તો તેણે નીચે ઉતરવું નહિ, કે કંઈ પણ લેવાં નીચે ઘરમાં જવું નહિ. 16 ખેતરમાં હો તો ઝભ્ભો લેવાં ઘરે પાછાં ન જાઓ. 17 એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધવડાવતી માતાઓને માટે કેટલું ભયાનક હશે! 18 પ્રાર્થના કરો કે એ શિયાળામાં ન થાય. 19 કારણ કે તે દિવસો એવા હશે કે જયારે ઈશ્વરે જગત બનાવ્યું, ત્યારથી કદી પડી ન હોય, અને ફરી કદી પડશે નહિ એવી વિપત્તિ પડશે.
20 "જો ઈશ્વર એ દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ ન બચી શકત, પરંતુ પોતાના પસંદ કરેલાંઓને લીધે ઈશ્વરે એ દિવસો ઘટાડયા છે. 21 એ સમયે તમને કોઈ કહે, ‘જુઓ, અહીં મસીહ છે,’ અથવા જુઓ, ‘તે ત્યાં છે,’ તો માનશો નહિ, 22 કેમકે ઘણા જુઠા મસીહ અને પ્રબોધકો પ્રગટ થશે અને અદભુત ચમત્કારોથી ને ચિન્હોથી લોકોને ભરમાવશે. જો બની શકે તો ઈશ્વરના પસંદ કરેલાંઓને પણ. 23 તેથી તમે સાવધ રહો, મેં બધું તમને અગાઉથી કહ્યું છે.
24 "પણ તે દિવસોમાં એ વિપતિ પછી,
" ‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે,
અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ;
25 તારાઓ આકાશમાંથી ખરશે.
અને આકાશી મંડળો હલાવાશે.’
26 "તે સમયે લોકો માણસના દીકરાને મહાસામથ્યઁ અને મહિમાસહિત વાદળામાં આવતો જોશે. 27 અને તેઓ પોતાના દૂતોને મોકલીને, તેઓ પૃથ્વીનાં છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશામાંથી પોતાના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.
28 "હવે અંજીરી પરથી આ બોધપાઠ શીખો: જયારે તેની ડાળીઓ કુમળી હોય અને તેને પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 29 એ જ પ્રમાણે, જયારે તમે આ બનાવો બનતાં જુઓ, ત્યારે જાણો કે તે નજીક, છેક બારણાં પાસે જ છે. 30 હું સાચે જ કહું છું કે આ બધા પૂરાં નહિ થાય ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ. 31 આકાશ અને પૃથ્વી જતાં રહેશે પણ મારાંં વચનો કયારેય જતા રહેશે નહિ.
32 "પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશના દૂતો નહિ કે પુત્ર નહિ, પણ કેવળ પિતા જ." 33 સાવધ રહો, અને સાવચેત રહો; એ સમય ક્યાંરે આવશે તે તમે જાણતા નથી. 34 આ એક માણસના જવા જેવું છે. જે પોતાનું ઘર નોકરોને સોંપીને જાય છે, દરેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને ચોકી કરવા કહ્યું.
35 "માટે જાગતાં રહો, કેમકે તમે જાણતા નથી કે ઘરનો માલીક પાછો કયારે આવશે; સાંજે કે, મધરાતે, કે મરઘો બોલતી વખતે અથવા સવારે. 36 રખેને જો તે અચાનક આવે તો તમને ઊંઘતા જુએ. 37 જે હું તમને કહું છું તે બધાને કહું છું કે, જાગતાં રહો."