Publicidade

Marcos 7

કે જે શુધ્ધ કરે છે

1 અને યરુશાલેમથી કેટલાએક નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ ઈસુની પાસે એકઠાં થયા. 2 અને તેઓએ જોયું કે કેટલાએક શિષ્યો શુધ્ધ એટલે હાથ ધોયા વિના ભોજન ખાતા હતા. 3 ફરોશીઓ અને બધા યહૂદીઓ તેઓની પ્રાચીન ધર્મ પ્રણાલિકા પ્રમાણે હાથ ધોયાં વિના ભોજન લેતાં નહિ. 4 બજારથી ઘરે આવે ત્યારે હાથ ધોયા વિના ભોજન લેતાં ન હતા, આ અને આવી અનેક પ્રણાલિકાઓને તેઓ સદીઓથી વળગી રહ્યાં હતા, જેમ કે પ્યાલા, લોટા, વાસણો તથા પથારીઓને ધોવાની રીત તેઓ પાડતા.

5 તેથી ફરોશીઓ તથા નિયમશાસ્ત્રના પંડિતોએ ઈસુને પૂછયું, "તમારાં શિષ્યો વડીલોના રીતરિવાજો ન પાડતા અશુદ્ધ હાથે ભોજન કેમ ખાય છે?"

6 તેમણે જવાબ આપ્યો, "અરે ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારાં વિશે સાચું જ કહ્યું છે કે:

" ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,

પણ તેઓનાં હૃદય મારાંથી દૂર છે.

7 તેઓ મારી વ્યથઁ ભકિત કરે છે.

તેઓનું શિક્ષણ માત્ર માણસના નિયમ પુરતું છે.’

8 કારણ કે તમે ઈશ્વરની આ આજ્ઞાઓને અવગણીને માણસોનાં રીતરિવાજોને વધુ સ્થાન આપો છો."

9 "તમારાં રીતરિવાજોને વળગી રહેવા માટે તમે ઈશ્વરના નિયમોને સારી રીતે નકારો છો! 10 જેમ કે મોશેએ ઈશ્વરની આ વાતો તમને કહી, ‘તારાં માતાપિતાનું સન્માન કર ને જે કોઈ પોતાના માતાપિતાને શાપ દે તે માર્યો જાય.’ 11 પણ તમે કહો છો, ‘કે જો કોઇ જાહેર કરે છે કે તેના માતાપિતાને મદદ કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મેં ઈશ્વરને કુરબાન (એટલે ઇશ્વરને સમઁપણ) કરી દીધું છે.’ 12 તો તમે તેના માતાપિતાને સારું કંઈ કરવા દેતા નથી. 13 આ પ્રમાણે તમારાં રિતરીવાજોને ચાલુ રાખવા તમે ઈશ્વરની આ આજ્ઞા રદ કરો છો, અને એવા અનેક કામો તમે કરો છો."

14 ફરી ઈસુએ ટોળાને બોલાવીને કહ્યું, "તમે સઘળાં મારું સાંભળો અને સમજો. 15 બહારથી વ્યક્તિમા જઈને કંઈ તેમને અશુધ્ધ કરી શક્તું નથી, પણ વ્યક્તિમાંથી જે નીકળે છે તે જ તેમને અશુદ્ધ કરે છે. 16 જેને સાંભળવાને કાન હોય તે સાંભળે."

17 પછી ઈસુ ટોળામાંથી બહાર નીકળી એક ઘરમાં ગયા, ત્યાં શિષ્યોએ તેમને એ દ્રષ્ટાંતનો અર્થ પૂછયો. 18 તેમણે કહ્યું, "શું તમે પણ અણસમજુ છો? શું તમે જાણતા નથી કે માણસમાં જે બહારથી પેસે છે તે તેને અશુધ્ધ કરી શકે? 19 કેમકે તે હ્રદયમાં જતું નથી પણ પેટમાં પસાર થઈ બહાર નીકળી જાય છે!" આમ કહીને ઈસુએ દરેક ખોરાકને શુધ્ધ ઠરાવ્યો.

20 "વળી તેમણે કહ્યું, વ્યક્તિમાંથી જે નીકળે તે જ તેમને અશુધ્ધ કરે છે. 21 કારણ કે અંદરથી એટલે, વ્યક્તિનાં હ્રદયમાંથી ભૂંડા વિચારો, ચોરી, ખૂન, વ્યભિચાર, 22 લોભ, દુષ્ટતા, કપટ, અશુદ્ધતા, અદેખાઈ, નિંદા, અભિમાન અને દરેક પ્રકારની મૂર્ખતા બહાર નીકળે છે. 23 આ બધી ભૂંડી બાબતો અંદરથી આવે છે. તે વ્યક્તિને અશુધ્ધ કરે છે."

સિરોફોનિશિયન સ્ત્રીની વિશ્વાસ

24 પછી ગાલીલથી નીકળીને ઈસુ તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા, તેઓ ઘરમાં ગયા અને એ વાત કોઈ ન જાણે એવું તે ઈચ્છતા હતાં, પણ તે પોતાની હાજરી ગુપ્ત ન રાખી શકયા. 25 હકીકતમાં, એક સ્ત્રી જેની નાની દીકરીને અશુધ્ધ આત્મા વળગ્યો હતો, જેવું તેણે ઈસુ વિશે સાંભળ્યું કે તરત આવીને તે તેમના પગ આગળ પડી. 26 તે સ્ત્રી ગ્રીક હતી, ને સિરિયાના ફિનીકિયામાં જન્મી હતી. તેણે પોતાની દીકરીમાંથી અશુધ્ધ આત્મા કાઢવા ઈસુને વિનંતી કરી.

27 તેમણે તેને કહ્યું, "પ્રથમ છોકરાંને જેટલું જોઈએ તેટલું ખાવા દો! છોકરાંની રોટલી લઈને કૂતરાંને ફેંકવી યોગ્ય નથી!"

28 તેણે ઉત્તર આપ્યો, "ગુરુજી, કૂતરાં પણ ટેબલ નીચે પડેલા છોકરાનાં વધેલાં ટૂકડા ખાય છે."

29 ઈસુએ કહ્યું, "તેં સારો જવાબ આપ્યો છે. જા, તેનામાંથી અશુધ્ધ આત્મા નીકળી ગયો છે."

30 તે ઘરે ગઈ ત્યારે તેની દીકરી પથારીમાં સૂતેલી હતી ને તેનામાંથી અશુધ્ધ આત્મા નીકળી ગયો હતો.

ઈસુએ બહેરાં બોબડાંને સાજો કયોઁ

31 પછી ઈસુ તૂરથી નીકળીને સિદોન ગયા, ત્યાંથી દકાપોલિસનાં માર્ગે ગાલીલ સરોવર પાસે આવી પહોંચ્યા. 32 લોકો એક બહેરાં બોબડાંને તેમની પાસે લાવ્યા અને વિનંતી કરી કે તે તેના ઉપર હાથ મૂકે અને સાજો કરે.

33 ઈસુ તેને ટોળામાંથી એકાંતમાં લઈ ગયા, તેના બંને કાનમાં આંગળીઓ નાંખી અને થૂંકીને તેની જીભને અડકયા; 34 પછી આકાશ તરફ જોઈને તેમણે ઊંડો નિઃસાસો નાંખ્યો અને કહ્યું, "એફફાથા!" (એટલે "ઊઘડી જા"). 35 તે વખતે તરત તેના કાન ખુલી ગયા, તેની જીભ છૂટી ગઈ અને તે સ્પષ્ટ બોલવાં લાગ્યો.

36 ઈસુએ કોઈને ન કહેવા માટે આજ્ઞા કરી છતાં, પણ જેટલું તેમણે કયું એટલું લોકો વધારેને વધારે ફેલાવતાં ગયા. 37 તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા અને કહેતાં, "તેમણે બધું સારું જ કયુંઁ છે, તેઓએ કહ્યું, તે બહેરાંને સાંભળતા અને બોબડાંને બોલતા કરે છે."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-