Publicidade

Efésios 4

મસીહના શરીરમાં એકતા અને પરીપકવતા

1 હું, પ્રભુને સારું બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો; 2 નમ્ર અને માયાળુ બનો, સહનશીલ બનો, પ્રેમથી એકબીજાનું સહન કરો. 3 આત્માની દોરવણી હેઠળ શાંતિના બંધનમાં ઐક્યમાં રહેવા પ્રયત્ન કરો. 4 જેમ આપણને એક આશામાં તેડવામાં આવેલા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, અને એક બાપ્તિસ્મા છે; 6 એક ઈશ્વર, અને સૌના પિતા, તે સવઁની ઉપર, તથા સવઁ મધ્યે તથા આપણ સવઁમાં છે,

7 પોતાની સમૃધ્ધિમાંથી મસીહે આપણ દરેકને કૃપાદાન આપેલાં છે. 8 માટે આ પ્રમાણે કહ્યું છે કે:

"જયારે તેઓ ઊચાંણમા ચઢયા,

તેઓ બંદીવાનોને લઇ ગયા

અને માણસોને કૃપાદાનો આપ્યા."

9 ("તે ચઢયા," એટલે શું? પ્રથમ તે પૃથ્વીનાં સૌથી નીચેનાં ભાગોમાં ઉતયાઁ? 10 જે નીચે ઊતર્યા તે એ છે કે જે આખા બ્રહ્માંડને ભરપૂર કરવા બધાં આકાશો કરતાં ઊંચા ચઢયા.) 11 તેથી મસીહે પોતે પ્રેષિતો, પ્રબોધકો, ઉપદેશકો, પાળકો અને શિક્ષકો આપ્યા, 12 પોતાના લોકોની સેવાના કામને માટે પૂરાં તૈયાર થાય, જેથી મસીહના શરીરની ઉન્નતિ થાય. 13 જયાં સુધી કે આપણે બધાં ઈશ્વરના દીકરાના વિશ્વાસમાં અને જ્ઞાનની એકતામાં ન પહોંચીએ અને પરિપકવ ન થઈએ એટલે કે મસીહની સંપૂર્ણતા સુધી પહોંચીએ.

14 પછી આપણે બાળક ન રહીએ, મોજાઓથી આમતેમ ઉછળતા ન રહીએ, અને દરેક પ્રકારના શિક્ષણના પવનથી અને માણસોની કપટી કાવતરાં અને ચાલાકીથી આમતેમ ફૂંકાતા ન રહીએ. 15 એના બદલે, પ્રેમથી સત્ય બોલીને, આપણે દરેક રીતે મસીહ જે શિર છે, તેનું પરિપકવ શરીર બનીને વૃધ્ધિ પામીએ. 16 તેમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સહાયક સાંધા દ્રારા જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાયઁ કરીને વધે છે, અને પ્રેમમાં પોતાની વૃધ્ધિ કરે છે.

મસીહી જીવન માટે સૂચનાઓ

17 તેથી, હું તમને આ કહું છું, અને પ્રભુમાં આગ્રહ કરું છું કે, જેમ બીજા વિદેશીઓ પોતના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો. 18 તેઓની સમજણ અંધકારમય થઈ ગઈ હોવાથી, તેઓમાં જે અજ્ઞાનતા છે તેને કારણે તેઓના હૃદયો કઠણ થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના જીવનથી ઘણાં દૂર છે. 19 બધી સંવેદનશીલતા ગુમાવીને તેઓ દરેક પ્રકારની અશુધ્ધતામાં ડૂબી જવા માટે પોતાને વિષયવાસનાને સોંપી દીધા છે, અને તેઓ લોભથી ભરેલાં છે.

20 પણ તમે એ પ્રમાણે જીવનનો માગઁ શીખ્યા નથી. 21 જયારે તમે મસીહ વિશે સાંભળ્યું અને મસીહમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષેનું શિક્ષણ પામ્યા, 22 તો તમારા પહેલાના જીવન વિશે તમને શીખવવામાં આવ્યું છે કે, તમારો જૂનો સ્વભાવ જે તેની લાલસાથી ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને દૂર કરો; 23 અને તમારાંં મનનાં વલણોમાં નવા બનો; 24 અને નવું માણસપણું જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાયેલું છે, તે પહેરી લો.

25 એ માટે અરસપરસ જૂઠું બોલવાનું બંધ કરીને, દરેક પોતાના પાડોશીની સાથે સાચુ બોલો, કેમકે આપણે એકબીજાનાં અંગો છીએ. 26 "તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો, 27 અને શેતાનને પગપેસારો કરવા ન દો. 28 જો કોઈ ચોરી કરતો હોય તો હવેથી તે ચોરી ન કરે, પણ તેને બદલે પોતાને હાથે કંઈક ઉપયોગી કામ કરવું, જેથી જેઓને જરૂર છે તેઓને મદદ કરવા માટે તારી પાસે કંઈક હોય.

29 તમારાં મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની જરૂરિયાત પ્રમાણે તેઓની ઉન્નતિને માટે ઉપયોગી વાત જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય. 30 ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ન કરો, જેમનાં દ્રારા તમને ઉધ્ધારના દિવસને માટે મુદ્રાકિંત કરવામાં આવ્યા છે. 31 દરેક પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, કચકચ, નિંદા અને દરેક પ્રકારની દુષ્ટતા દૂર કરો. 32 પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.

Veja também

Publicidade
Efésios
Ver todos os capítulos de Efésios
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-