1 વિશ્રામવાર પૂરો થતાં મરિયમ માગદાલેણ, શલોમી, તથા યાકોબની મા મરિયમ સુગંધી દ્રવ્યો ખરીદી લાવી. જેથી તેઓ તેમના શરીરે ચોળે 2 અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, સૂર્યોદય થતાં પહેલાં, તેઓ કબર તરફ જઈ રહી હતી. 3 માર્ગમાં તેઓ માંહોમાંહે કહેવા લાગી કે, "કબરના પ્રવેશદ્રારનો પથ્થર કોણ ખસેડશે?"
4 પણ જયારે તેઓએ ઊપર પથ્થરને જોયો કે જે ભારે હતો, તે ગબડી ગયો હતો. 5 તેઓએ કબરમાં પ્રવેશ કરીને જોયું તો જમણી બાજુએ એક યુવાન માણસને શ્વેત વસ્ત્રો ધારણ કરી બેઠેલો જોયો, એને તેઓ ચમકી ગઈ.
6 તેણે કહ્યું, "અચરત ન થાવ, ક્રૂસે જડાયેલાં નાઝરેથના ઈસુને તમે શોધો છો; તે સજીવન થયા છે; તે અહીં નથી, તે જગા જુઓ, જયાં તેમને મૂક્યાં હતા 7 પણ જાઓ તેમના શિષ્યોને અને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે; જેમ તેમણે કહ્યું હતું, તમે તેમને ત્યાં જોશો."
8 ધ્રુજતી અને ગભરાયેલી સ્ત્રીઓ બહાર નીકળી અને કબરેથી દોડી ગઈ, તેઓએ કોઈને કાંઈ કહ્યું નહિ. કેમકે તેઓ બીધી હતી.
9 જયારે અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે ઈસુ સજીવન થયા, ત્યારે સૌ પ્રથમ તેઓ મરિયમ માગદાલેણને તેમનાં દર્શન થયાં, જેનામાંથી તેમણે સાત દુષ્ટ આત્મા કાઢયા હતા. 10 તેણીએ તેઓને જઈને ખબર આપી, કે જેઓ તેમની સાથે રહેલા હતા જેવો શોક કરતા અને રડતાં હતા. 11 જયારે તેમણે સાંભળ્યું કે ઈસુ જીવંત છે ને તેના જોવામાં આવ્યા છે; તેઓએ વિશ્વાસ કયોઁ નહિ.
12 જયારે તેઓ ગામડે ચાલતાં જતા હતા, ત્યારે તેઓમાંના બે જણને ઈસુએ તેઓને બીજા સ્વરૂપમાં દર્શન દીધું. 13 તેઓ પાછાં આવ્યા અને બધાને એ જણાવ્યું પણ કોઈએ તેઓની વાત પર વિશ્વાસ કયોઁ નહિ.
14 પછીથી જયારે અગિયાર શિષ્યો જમતા હતા, ત્યારે ઈસુએ તેઓને દર્શન દીધું. તેઓના અવિશ્વાસ અને કઠણ હદયને લીધે તેમણે તેઓને ઠપકો આપ્યો કારણ જેઓએ તેમને સજીવન થયેલા જોયા હતા તેઓની વાત પર તેઓએ વિશ્વાસ કયોઁ નહિ.
15 ઈસુએ તેઓને કહ્યું કે, "તમે આખા જગતમાં જાઓ અને આ સુસમાચાર સમસ્ત સૃષ્ટિને જણાવો. 16 જે વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા લેશે, તેનું તારણ થશે; જે વિશ્વાસ નહિ કરે તે દોષિત ઠરશે. 17 વિશ્વાસ કરનારાંઓના હાથે આવા ચિન્હો થશેઃ મારા નામે તેઓ અશુધ્ધ આત્માઓ કાઢશે અને તેઓ નવી ભાષાઓ બોલશે. 18 તેઓ સર્પને તેમના હાથમાં પકડી લેશે અને જયારે તેઓ પ્રાણઘાતક વસ્તુ પી જાય તોપણ તેઓને કાંઈ નુકશાન થશે નહિ. તેઓ બીમાર લોકો ઉપર હાથ મૂકશે ને તેઓ સાજા થશે."
19 પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી, તેમને સ્વર્ગમાં ઊપર લઈ લેવામાં આવ્યા, ત્યાં ઈશ્વરના જમણે હાથે તે બિરાજમાન થયા. 20 પછી શિષ્યો સર્વ સ્થળે બહાર જઈ ઉપદેશ કરવા લાગ્યા, અને પ્રભુ તેઓના કામમાં સહાય કરતા, તેઓના દ્રારા થયેલા ચિન્હોથી તેમના વચન સાબિત કરતા હતા.