1 પછી ઈસુએ તેઓની સાથે દ્રષ્ટાંતોમાં વાત કરવાનું શરૂ કયુઁ: "એક માણસે દ્રાક્ષાવાડી રોપી, તેની ચારેબાજુ વાડ કરી, ખાડો ખોદી દ્રાક્ષાકુંડ બનાવ્યો, અને ચોકીબુરજ બનાવ્યો. પછી તેમણે કેટલાક ખેડૂતોને તે દ્રાક્ષાવાડી ઈજારે આપી અને બીજી જગ્યાએ રહેવા ગયો. 2 કાપણીની મોસમે તેણે દ્રાક્ષાવાડી માંથી થોડા ફળ લેવાં માટે નોકરને ઈજારો પાસે મોકલ્યો. 3 પણ તેઓએ તેને પકડ્યો, માર માર્યો, અને ખાલી હાથે પાછો મોકલી દીધો. 4 પછી તેણે બીજા એક નોકરને તેઓ પાસે મોકલ્યો; તેઓએ આ માણસનું માથું ફોડી નાખ્યું. અને તેનુ અપમાન કયુઁ. 5 તેણે બીજા એકને મોકલ્યો, અને તેઓએ તેને મારી નાંખ્યો. તેણે બીજા ઘણાંને મોકલ્યા; કેટલાકને તેઓએ માર્યા, ને કેટલાકને મારી નાખ્યા.
6 "તેની પાસે એક જ દીકરો હતો, જેને તે પ્રિય હતો. તેણે તેને છેલ્લે મોકલ્યો, ને કહ્યું, તેઓ ‘મારા દીકરાનો આદર કરશે,’
7 "પણ ઈજારદારોએ એકબીજાને કહ્યું, ‘આ વારસદાર છે. ચાલો, તેને મારી નાંખીએ, અને વારસો આપણો થશે!’ 8 તેથી તેઓએ તેને પકડીને મારી નાંખ્યો, અને તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો.
9 "તો પછી દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? તે આવીને ઈજારદારોને મારી નાંખશે ને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. 10 શું તમે શાસ્ત્રનો આ ભાગ વાંચ્યો નથી:
" ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કયોઁ હતો તે,
તે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો;
11 પ્રભુએ આ કયુઁ છે,
અને આપણી નજરમાં તે આશ્ચયઁકારક છે?’ "
12 ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને વડીલોએ તેમને પકડવાનો માગઁ શોધ્યો કારણ કે તેઓ જાણતા હતા કે આ દ્રષ્ટાંત તેઓ તેમની વિરુદ્ધ બોલ્યા છે, પરંતુ તેઓ ટોળાથી બીતા હતા; તેથી તેઓ તેમને છોડી ને ચાલ્યા ગયા.
13 પછી તેઓએ કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને ઈસુ પાસે મોકલ્યા કે જેથી તેઓ ઈસુને એમની વાતમાં ફસાવીને પકડે. 14 તેઓએ તેમની પાસે આવીને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે પ્રામાણિક માણસ છો, તેઓ કોણ છે તેના પર તમે ઘ્યાન આપતાં નથી; પણ તમે સત્યતાથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો. તો કૈસરને શાહી કર ચૂકવવો એ યોગ્ય છે કે નહિ? 15 આપવો જોઈએ કે ન આપવો જોઈએ?"
પણ ઈસુ તેઓનો ઢોંગ સમજી ગયા. તેમણે કહ્યું કે તમે મને ફસાવવા કેમ માંગો છો? "એક દીનાર મારી પાસે લાઓ એટલે હું તે જાઉં." 16 તેઓએ સિક્કો લાવ્યા અને તેમણે તેમને પૂછયું, "આ સિક્કા પર કોની છાપ છે, અને કોના લેખ છે?"
તેઓએ જવાબ આપ્યો, "કૈસરના."
17 પછી ઈસુએ તેઓને કહ્યું, "કૈસરનું જે છે તે કૈસરને, અને ઈશ્વરનું જે છે, તે ઈશ્વરને આપો."
અને તેઓ તેમનાથી અચંબો પામ્યા.
18 પછી સાદૂકીઓ, જેઓ કહે છે કે પુનરુત્થાન નથી તેઓ પ્રશ્ર સાથે તેમની પાસે આવ્યા, 19 તેઓએ પૂછયું, "ગુરુજી, મોશેએ અમારે માટે લખ્યું કે જો કોઈનો ભાઈ અને તેની પત્નીને નિઃસંતાન મુકીને મરી જાય, તો મરનારનો ભાઈ તે વિધવા સાથે લગ્ન કરી અને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. 20 હવે સાત ભાઈઓ હતા. સૌથી મોટો ભાઈ પરણ્યો અને નિઃસંતાન મરી ગયો. 21 એટલે બીજા ભાઈએ તેની વિધવા સાથે લગ્ન કર્યું, પણ તે પણ નિઃસંતાન મરણ પામ્યો. અને તે પ્રમાણે ત્રીજાને પણ થયું. 22 આમ સાતે નિઃસંતાન મરી ગયા, છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 23 હવે પુનરુત્થાન મા તે કોની પત્ની થશે? કારણ કે તે સાતેયએ તેની સાથે લગ્ન કયુઁ હતું."
24 ઈસુએ જવાબ આપ્યો, "શાસ્ત્ર તથા ઈશ્વરના પરાક્રમ ન જાણવાને કારણે તમે ભૂલ ખાઓ છો. 25 જયારે મૂએલાં સજીવન થાય, ત્યારે પરણતા નથી અને પરણાવતા નથી; તેઓ સ્વર્ગમાંના દૂતો જેવા થશે. 26 મૂએલાં સજીવન થાય છે, શું તમે મોશેનાં પુસ્તકમાં ના ઝાડી વિશેનાં પ્રકરણમા નથી વાંચ્યું કે ઈશ્વરે તેને કહ્યું કે, ‘હું અબ્રાહમનાં ઈશ્વર છું, ઇસહાકનાં ઈશ્વર છું ને યાકોબનાં ઈશ્વર છું?’ 27 તેઓ મૂએલાંના ઈશ્વર નથી પણ જીવતાંઓના. તમે ગંભીર ભૂલ કરો છો!"
28 કોઈ એક નિયમશાસ્ત્રના પંડિતે આવી તેમને ચચાઁ કરતા સાંભળ્યા, ને ઈસુએ તેઓને સારો જવાબ આપ્યો છે, એ જાણીને તેમણે ઈસુને પૂછયું, "બધી આજ્ઞાઓમાંથી, શ્રેષ્ઠ આજ્ઞા કઈ?"
29 ઈસુએ જવાબ આપ્યો, શ્રેષ્ઠ આજ્ઞા તો આ છે: "હે ઇઝરાયેલ સાંભળ!" આપણા ઈશ્વર: તે એક જ ઈશ્વર છે. 30 તું તારા પૂરાં હૃદયથી, તારા પૂરાં જીવથી, તારા પૂરાં મનથી અને તારા પૂરાં સામર્થ્યથી પ્રભુ તારાં ઈશ્વર પર પ્રેમ કર. 31 "બીજી આજ્ઞા આ છે, ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ આનાથી મોટી આજ્ઞા બીજી કોઈ નથી."
32 તે માણસે કહ્યું, "ગુરુજી! તમે સાચુ જ કહો છો કે એક જ ઈશ્વર છે, અને તે વિના અન્ય કોઈ ઈશ્વર નથી 33 ઈશ્વર ઉપર પૂરાં હૃદયથી, પૂરી સમજથી તથા પૂરાં સામર્થ્યથી, પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કરવો એ કોઈ પણ બલિદાન અને યજ્ઞ કરતાં વધારે અગત્યનું છે."
34 જયારે તેણે ડહાપણથી જવાબ આપ્યો છે, ત્યારે એ જોઈને ઈસુએ તેને કહ્યું, "તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી."
અને એ પછી તેમને વધારે પ્રશ્ન પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.
35 જયારે ઈસુ મંદિરનાં આંગણાંમાં શિક્ષણ આપતાં હતા ત્યારે તેમણે પૂંછયું, "નિયમશાસ્ત્રના પંડિતો એમ કેમ કહે છે કે મસીહ દાવિદનો દીકરો છે? 36 દાવિદે પોતે, પવિત્ર આત્માથી, આ પ્રમાણે કહ્યું છે:
" ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું:
"જ્યાં સુધી હું તારા શત્રુઓને તારે પગ નીચે
ન મૂકું ત્યાં સુધી મારે જમણે હાથે બેસ." ’
37 દાવિદે પોતે તેમને ‘પ્રભુ’ કહે છે. તો તે તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?"
મોટા ટોળાએ ખૂબ આનંદપૂર્વક તેમનું સાંભળ્યું.
38 ઈસુએ શીખવતા કહ્યું, "નિયમશાસ્ત્રના પંડિતોથી સાવધ રહો. તેઓને લાંબા ઝભ્ભા પહેરી આસપાસ ફરવાનું, અને બજારમાં લોકોનાં વંદન ઝીલવાનું ગમે છે, 39 અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો અને ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો પસંદ કરે છે. 40 તેઓ વિધવાઓના ઘર ગળી જાય છે અને દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરે છે; આ માણસોને ભારે શિક્ષા ભોગવવી પડશે!"
41 જયાં અપઁણો મૂકવામાં આવ્યા હતા તેની સામે ઈસુ બેઠા અને ભીડને તેમના પૈસા મંદિરનાં ભંડારમાં નાખતા જોયા. ઘણા પૈસાદાર લોકો તેમાં મોટી રકમ નાંખતા હતાં. 42 પરંતુ એક ગરીબ વિધવા આવી, અને તેણે તેમાં તાંબાના બે નાનાં સિક્કા નાંખ્યાં, જેની કિંમત થોડા સેન્ટ્સ હતી.
43 ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે, આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે ભંડારમાં નાખ્યું છે. 44 તેઓએ પોતાની સંપતિમાંથી આપ્યું, પણ તેણે પોતાની ગરીબાઈમાંથી બધું જ આપી દીધું છે. તેણે જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું."