1 ઈસુએ ઉપર જોયું તો તેમણે મંદિરમાં શ્રીમંતોને પોતાના દાન મંદિરનાં ભંડારમાં નાખતા જોયા. 2 તેમણે એ પણ જોયું કે એક ગરીબ વિધવાએ તાંબાના બે નાના સિક્કા નાખતા જોઈ. 3 તેમણે કહ્યું, હું સાચે જ કહું છું, "સાચે જ આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે આપ્યું છે. 4 આ બધા લોકોએ તેમનું દાન તેમની સંપતિમાંથી આપ્યું; પણ તેણે તેની ગરીબાઈમાંથી જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું."
5 તેમના કેટલાક શિષ્યો મંદિરને કેવી રીતે સુંદર પથ્થરોથી અને ઇશ્વરને સમપિઁત ભેટો દ્વારા મંદિરને કેવું શણગારેલું છે તે વિશે ટિપ્પણી કરવા લાગ્યા; 6 પણ ઈસુએ કહ્યું, "તમે અહીં જે જુઓ છો, પરંતુ એવો સમય આવશે જયારે એક પથ્થર પર બીજા પથ્થર રહેવા દેવામાં આવશે નહિ, અને દરેક તોડી પાડવામાં આવશે."
7 "ગુરુજી, તેઓએ પૂછયું, એ બધું ક્યાંરે બનશે? અને આ થવાનું હશે તેની નિશાની શું થશે?"
8 તેમણે જવાબ આપ્યો, "તમને કોઈ ભરમાવે નહિ માટે સાવધ રહો, કારણ મારે નામે ઘણા આવશે, ને કહેશે, હું તે છું, ‘સમય પાસે આવ્યો’ છે. ‘તેઓની પાછળ જશો નહિ.’ 9 જયારે તમે યુધ્ધ તથા યુધ્ધની અફવાઓ સાંભળો ત્યારે ગભરાઈ જતા નહિ. કારણ એ બધું થવાની જરૂર છે, પણ એટલેથી જ સિધો અંત નહિ આવે."
10 પછી તેમણે તેમને કહ્યું, "પ્રજા પ્રજાની વિરુધ્ધ અને રાજ્ય રાજયની વિરુધ્ધ ઊઠશે. 11 મોટા મોટા ધરતીકંપ થશે, દુકાળો અને અલગ અલગ જગ્યાએ મહામારી થશે, અને આકાશમાં ભયજનક ઘટનાઓ અને મોટા ચિન્હો થશે.
12 "પણ આ બધાં પહેલાં, તેઓ તમને પકડશે અને તમને સતાવશે. તેઓ તમને સભાસ્થાનોમાં સોંપી દેશે, અને તમને જેલમાં નાંખશે, અને મારે નામને લીધે તમને રાજાઓ તથા રાજ્યકતાઁઓ સમક્ષ લઈ જવામાં આવશે. 13 અને તેથી તમે મારી સાક્ષી આપશો. 14 પણ મનમાં નિશ્ચય કરો કે, તમે તમારો બચાવ કેવી રીતે કરશો તેની ચિંતા કરશો નહિ, 15 કેમકે હું તમને શબ્દો તથા જ્ઞાન આપીશ કે, તમારા વિરોધીઓમાંથી કોઈ પણ તમારો વિરોધ કે સામનો કરી શકશે નહિ. 16 વળી તમારાંં માતાપિતા, ભાઈઓ, બહેનો. સગા સંબંધીઓ અને મિત્રોથી તમને પકડાવી દેવામાં આવશે, અને તમારાંમાંના કેટલાકને તેઓ મારી પણ નંખાવશે. 17 મારે લીધે સર્વ તમારો ધિક્કાર કરશે. 18 પણ તમારાં માથાનો એક વાળ પણ નાશ પામશે નહિ. 19 મક્કમ રહો, અને તમે જીવન જીતશો.
20 "તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ, ત્યારે તમે જાણજો કે તેનો વિનાશ નજીક છે. 21 ત્યારે જેઓ યહૂદિયામાં છે તેઓ પહાડો પર નાસી જાય, અને જેઓ શહેરમાં હોય તેઓ બહાર જાય; અને જેઓ દેશમાં હોય તેઓ શહેરમાં પ્રવેશ કરવો નહિ. 22 કેમકે જે લખવામાં આવ્યું છે તે સવઁ પૂરા થાય માટે આ શિક્ષાનો સમય છે. 23 એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધવડાવતી માતાઓને માટે કેટલું ભયાનક હશે! દેશ પર મોટી વિપતિ અને આ લોકોની વિરુધ્ધ મોટો કોપ આવી પડશે. 24 તેઓ તરવારથી માર્યા જશે અને બંદીવાન તરીકે બધાં રાષ્ટ્રોમાં લઈ જવાશે. વિદેશીઓનો સમય પૂરો નહીં થાય ત્યાં સુધી યરુશાલેમને વિદેશીઓ દ્રારા ખૂંદી નંખાશે.
25 "સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો જોવા મળશે. પૃથ્વી પર પ્રજાઓ સમુદ્રના ગર્જના અને ઉછાળાથી ત્રાસ પામી ગભરાઈ જશે. 26 જગત પર જે આવી પડવાનું છે તેની બીકથી તથા ભયથી લોકો નિર્ગત થઈ જશે, કેમકે આકાશમાંના પરાક્રમ હાલી ઉઠશે. 27 ત્યારે તેઓ માણસના દીકરાને મહામહિમા સહિત વાદળમાં આવતો નિહાળશો. 28 જયારે આ પ્રમાણે થવાનું શરુ થાય, ત્યારે તમે ઊભા થાવ ને તમારા માથાં ઊંચા કરો, કેમકે તમારો ઉધ્ધાર નજીક આવી રહ્યો છે."
29 તેમણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું: "અંજીરનું વૃક્ષ અને બધા વૃક્ષોને જુઓ. 30 જયારે તેમના પર પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે તે જોઇને પોતાની મેળે જાણો છો કે ઉનાળો નજીક છે. 31 એ જ પ્રમાણે, તમે આ બનાવો બનતાં જુઓ, ત્યારે જાણો કે ઈશ્વરનું રાજ્ય નજીક છે.
32 "હું તમને સાચે જ કહું છું, કે આ બધા પૂરાં નહિ થાય ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ. 33 આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાંં વચનો કયારેય જતા રહેશે નહિ.
34 "અતિશય ખાનપાનથી તથા જીવનની ચિંતાથી તમારાંં મન જડ ન થઈ જાય માટે સાવધાન રહો, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓંચિતો આવી પડે. 35 કારણ કે એ દિવસ આખી પૃથ્વી પરનાં સવઁ વસનારા લોકો પર આવી પડશે. 36 હંમેશા જાગતાં રહો, અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ."
37 ઈસુ દરરોજ મંદિરમાં શિક્ષણ આપતાં હતા, અને દરરોજ સાંજે પડતાં જૈતુન નામના પર્વત પર રાત વિતાવવા બહાર જતા હતાં. 38 અને વહેલી સવારથી જ બધા લોકો તેમને સાંભળવા મંદિરે આવતાં.